SearchBrowseAboutContactDonate
Page Preview
Page 322
Loading...
Download File
Download File
Page Text
________________ આત્મસિદ્ધિશાસ્ત્ર પ્રવચનમાળા ૨૭૧ નથી. મારી બધી સંપત્તિ આપી દઉં તોપણ તેનું મૂલ્યાંકન થાય તેમ નથી, તેવી કિંમતી ચીજ તારી પાસે આવી છે. સાહેબ ! આ તો છેલ્લો પત્થર છે, ૩૫૯ પત્થરો તો મેં નાખી દીધા. ખેડૂતની જેમ આપણે પણ કર્યું છે. હવે તમે કદી પણ એમ ન કહેશો કે મને તક મળી નથી, મને સદ્ગુરુનો યોગ પ્રાપ્ત થયો નથી. તમે જાગૃત રહ્યા નથી. પ્રત્યક્ષ સદ્ગુરુનો યોગ જીવનમાં ક્યારેક જરૂર પ્રાપ્ત થાય છે પરંતુ આપણે ખોઈ બેસીએ છીએ. ખેડૂત તો એમ કહે છે કે આ કિંમતી રત્ન છે તેની તો મને ખબર જ ન હતી, હવે મને મારી ભૂલ સમજાણી. આ મારું અણજાણપણું છે. પ્રત્યક્ષ સદ્ગુરુનો યોગ એ કિંમતી ચિંતામણિ રત્ન કરતાં પણ ઘણો મૂલ્યવાન છે. આપણે તે યોગ ખોઈ બેસીએ છીએ તેમાં આપણું અણજાણપણું છે, અજ્ઞાનતા છે કે અણસમજ છે તેવું નથી પણ આનું કારણ ઘણું ઊંડું છે અને તેથી જ પરમકૃપાળુદેવને આ ગાથામાં વાત કરવી છે કે જો તમે યોગ, અણસમજ કે અજ્ઞાનતાને લઈને ખોતાં હો તો માફ છે, પણ મારે જે કારણ વર્ણવવું છે તે કારણ લક્ષપૂર્વક, બુદ્ધિપૂર્વક અને હેતુપૂર્વકનું છે, અને જાણતાં હોવા છતાં આપણે આ કારણને પોષીએ છીએ, તેની અહીં વાત કરવી છે. તમને જ્યારે જ્યારે કોઈની વાણીમાં આત્મજ્ઞાનનો સંકેત મળે, વૈરાગ્ય અને સદાચારનો સંકેત મળે, ૫૨માર્થ માર્ગના ભણકાર સાંભળવા મળે, તમારી ચેતના જાગૃત થાય, અંદરમાં ખળભળાટ મટી જાય, અને તમારામાં ઉત્કૃષ્ટભાવ જાગી જાય, તમારી સુષુપ્ત ચેતના જાગૃત થઈ જાય, તમને તેમની વાણીનો ટચ થાય તો સમજી લેજો, એ પ્રત્યક્ષ સદ્ગુરુનો અણસાર છે. આવો પ્રત્યક્ષ સદ્ગુરુનો અણસાર મળવા છતાં, પરમાર્થ તરફ સૃષ્ટિ જાય તેવી સામગ્રી મળવા છતાં, સદ્ગુરુની ઝલક મળી ગઈ, તેમનો યોગ થવા છતાં તમારા દુરાગ્રહ અને મતાગ્રહના કા૨ણે એવું કંઈક બને છે કે તેમની હાજરીમાં ‘વર્તે દૃષ્ટિ વિમુખ.’ યોગ થયો પણ પ્રાપ્તિ ન થઈ. કામ સફળ ન થયું. યાદ રાખજો, કે જો તમે તૈયાર હશો, તો સદ્ગુરુ ગમે ત્યાં આવશે. આ વાત અલંકારિક ભાષામાં કરી છે, જેમ મુમુક્ષુઓ સદ્ગુરુને શોધે છે તેમ સદ્ગુરુ પણ મુમુક્ષુઓને શોધે છે. હીરા માણેક ખરીદવા તમે સારા ઝવેરીને શોધો છો અને ઝવેરી ઘરાક શોધે છે, તેમ સદ્ગુરુ તમને શોધે છે, તમારી પાસે આવે છે, તમારો હાથ પકડે છે, તમને કાનમાં કહે છે. તે વખતે તમે કહો છો કે નહિ સાહેબ ! મારો મત તો આ છે. મારો આગ્રહ અને માન્યતા આ છે. તમારા આગ્રહ અને માન્યતાનો મેળ નહિ પડે. કોઈ કવિએ કહ્યું છે કે, ‘ભગવાન ! અમે તમને બોલાવીએ છીએ અને તમે આવતાં નથી. કેટલીય વખત બોલાવ્યા પણ તમે આવ્યાં નહિ. ભગવાન એમ કહે છે કે ‘હું ઘણી વખત તારા ઝાંપા સુધી આવ્યો, પણ ત્યાં Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005521
Book TitleAtmasiddhishastra Part 01
Original Sutra AuthorShrimad Rajchandra
AuthorBhanuvijay
PublisherSatshrut Abhyas Vartul
Publication Year2011
Total Pages492
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy