SearchBrowseAboutContactDonate
Page Preview
Page 333
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૮૨ પ્રવચન ક્રમાંક - ૨૫, ગાથા ક્રમાંક - ૨૭ છે? ડૉક્ટરે શું લખી આપ્યું છે તે બતાવો. જે તમારું દર્દ હોય, તેને શામક દવા હોવી જોઈએ. જ્ઞાની પુરુષ કહે છે, તમે પોતાની જાતે નક્કી ન કરશો, હજુ નક્કી કરવાની વાર છે, કારણ કે હજુ આંતરિક શુદ્ધિ નથી, તટસ્થતા નથી, આંતરિક બળ પણ નથી, ચેતનાની અને મનની શુદ્ધિ નથી, પૂર્વગ્રહો છે, મતો અને માન્યતાઓ છે, તેથી જરા ધીરજ રાખી વિચારો, અને સદ્ગુરુએ જે અવગાહન કરવાનું કહ્યું છે તે કરો. સાધક માટે બે આધાર. (૧) સદ્ભુત અને (૨) સત્પુરુષ. શાસ્ત્રમાં કહ્યું છે કે ઉપ૨ના ગુણસ્થાનકે જેને આરોહણ કરવું છે તે સાધક માટે સદ્ભુત અને સત્પુરુષ આધારરૂપ છે. આ અદ્ભુત વાત છે. આપણને થોડું વાંચ્યા પછી એમ થાય છે કે બધું જાણી લીધું પણ એ આપણો ભ્રમ છે. સાધકની અને મુમુક્ષુની મહામૂલી મૂડી જો કોઈ હોય તો સત્શાસ્ત્રો છે. મહાપુરુષોએ કહ્યું છે કે, તમે તમારા ઘરમાં ઘરેણાં વસાવી ન શકો તો ચાલશે, મોંઘુ ફર્નિચર વસાવી ન શકો તો ચાલશે, પરંતુ તમને જાગૃતિ આપે તેવા શાસ્ત્રો અચૂક તમારાં ઘરમાં રાખજો. એ તમારો દીવો છે, એ તમારો પ્રકાશ છે. એ તમારો બોધ અને એ તમારી ચેતવણી છે, અને તમને જાગૃતિ આપનાર છે, એટલા માટે એમ કહ્યું કે એકાદ વખત ખાવા ન મળે તો ચલાવી લેજો, ઊંઘ ન થાય તો ચલાવી લેજો, પણ સ્વાધ્યાયમાં પ્રમાદ ન કરશો, કારણ કે સાધકની સૌથી મોટી મૂડી સ્વાધ્યાય છે. પ્રાચીનકાળમાં ગુરુકુળમાં ૨૫ વર્ષ સુધી છોકરાઓ રહેતાં હતાં અને ૨૫ વર્ષે અધ્યયન પૂરું થાય પછી ઘેર જતાં હતાં. જનારનાં આંખમાં પણ આંસુ હોય અને વિદાય આપનારનાં આંખમાં પણ આંસુ હોય. ઋષિઓ ગુરુ હતાં અને તેઓ અધ્યયન કરાવતાં હતાં. હવે તેઓ જઈ રહ્યા છે ત્યારે તેમના આચાર્યો-સદ્ગુરુ કહે છે કે અમારામાં જે કંઈ સારું જોયું હોય તેનું આચરણ કરજો, નબળું જોયું હોય તે અહીં મૂકી જજો. તમે જ્યાં જાઓ છો ત્યાં ગૃહસ્થ બનશો, માતા, પિતા અને આચાર્યોને પૂજ્ય માનજો, પણ સાથે એક વાત ખ્યાલમાં રાખજો કે કદાચ ખોરાક ન મળે તો ચલાવી લેજો; ઊંઘવા ન મળે તો ન ઊંધજો પણ સ્વાધ્યાય કરવામાં પ્રમાદ કરશો નહિ. સાધનાનો બગીચો ખીલવવા સ્વાધ્યાય એ પાણી છે, અને તેના દ્વારા બગીચો ખીલે તે આપણી મૂડી છે. સત્શાસ્ત્રનો શ્રેષ્ઠતમ ઉપયોગ સમ્યક્ પ્રકારે સાધના કરવી, સમ્યક્ પ્રકારે ઉપાસના કરવી તે છે. ધ્યાન કરવું છે, રાગદ્વેષ જીતવા છે, કર્મો ક્ષય કરવા છે, મોક્ષને પ્રાપ્ત કરવો છે, આ સંબંધી તમામ વિગતોની માહિતી તમને શાસ્ત્રોમાંથી મળશે. માર્ગાનુસારીથી પ્રારંભ થાય છે, સમ્યગ્દર્શન પહેલાંની ભૂમિકા માર્ગાનુસારીની છે, તેમાં પ્રથમ ગુણ ન્યાયસંપન્ન વૈભવ છે. ઈન્દ્રિયો ઉપર કાબૂ, કૃતજ્ઞતા અને ઉદારતા, આવા સદ્ગુણો પ્રાપ્ત Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005521
Book TitleAtmasiddhishastra Part 01
Original Sutra AuthorShrimad Rajchandra
AuthorBhanuvijay
PublisherSatshrut Abhyas Vartul
Publication Year2011
Total Pages492
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy