SearchBrowseAboutContactDonate
Page Preview
Page 319
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૬૮ - પ્રવચન ક્રમાંક - ૨૩, ગાથા ક્રમાંક - ૨૫ આવે. અહંકાર સૂક્ષ્મ છે. મમત્વ સૂક્ષ્મ છે. અહંકાર અને મમત્વ; અથવા રાગ અને દ્વેષ એમાંથી ચાર કષાયો ઉત્પન્ન થાય છે. શું શું વાત કરી? પહેલો શબ્દ છે જિતરાગ, બીજો શબ્દ જિતષ, ત્રીજો શબ્દ છે જિતમોહ. જ્યારે ભગવાન દીક્ષા લેવા નીકળે છે, ત્યારે ઘરની સ્ત્રીઓ સરસ ગાતી હોય છે. “જીત નિશાન ચઢાવજો રે, મોહને કરી ચકચૂર હો લાલ.” તેઓ એમ કહે છે કે તમે સંસાર છોડીને, અમને બધાને મૂકીને, વૈરાગ્યનાં માર્ગે જઈ રહ્યાં છો. તમારું કલ્યાણ થાવ, તમે હવે મોહને જીતી લેજો, ને વિજયનો ધ્વજ ફરકાવજો, વિજયના ડંકા વગાડજો.” મોહમાંથી રાગ આવે, દ્વેષ આવે, મોહમાંથી અહંકાર અને મમકાર આવે, અને મોહમાંથી ચાર કષાયો પણ આવે. જેમ બાળક માને પજવે છે તેમ ચાર તોફાની કષાયો છે તે આત્માને બહુ પજવે છે. તેઓ બહુ જબરા છે. કોઈનાં કાબુમાં ન રહે તેવાં છે. ઓળખી લો તેમને. ક્રોધ, માન, માયા, લોભ, આ ચાર તપસ્વીને પણ પજવે, જ્ઞાનીઓને અને સંતોને પણ પજવે, ભલભલાને પજવે છે. આ ચારની ફોજ ગમે ત્યાં પહોંચી જાય. માત્ર ઘરમાં આવે તેમ નહિ પણ મંદિરમાં અને આશ્રમોમાં પણ પહોંચી જાય. જંગલમાં જાવ તો ત્યાં પણ આવે. મળી ચાર ચંડાળ ચોકડી, મંત્રી નામ ધરાયા; આ ચાર ચંડાળ ચોકડી ક્રોધ, માન, માયા અને લોભને જીતવાના છે. લોકો કહેશે કે, એક ક્રોધને જીતવો કઠણ પડે છે. તો ચારની શી વાત કરવી? હે પરમાત્મા ! આપે આ ચારે કષાયોને જીત્યાં છે, માટે જિતકષાય છો. આત્માર્થી પરમાત્માની આંતરિક અવસ્થા જોશે, અને મતાર્થી ભગવાનની રિદ્ધિ, સમોવસરણ, શરીરનું સૌંદર્ય, તેનું પ્રમાણ, તેમના નાક, કાન, હોઠ કેવાં છે તે જોશે. પરમાત્મા વીતરાગ વીતષ અને વીતમોહ છે. તેઓ ચાર કષાયથી રહિત છે. કાનમાં ખીલાં ઠોક્યા, તો પણ પ્રભુ ઊભા રહ્યાં. સહેજ પણ ગુસ્સો નહિ, અને ચોસઠ ઈન્દ્રો આવી મસ્તક ઝુકાવે છે તો પણ અહંકાર નહિ, રાગ નહિ. આ પચાવવું મુશ્કેલ છે. રાષ્ટ્રપતિ જો આવે તો તેમની સાથે ફોટો પડાવે અને બતાવે કે જુઓ, મારે ત્યાં રાષ્ટ્રપતિ આવેલાં, મારે ઓળખાણ છે. આ અહંકારનો ખેલ છે. જેને એક પણ કષાય નથી તેવા પરમાત્મા જિતકષાય છે. આવી ઓળખાણ આત્માર્થી કરે. પાંચ ચોર અજહુ તો ય લુટત, તાસ મરમ નહિ જાણા. છેલ્લી વાત, જિતેન્દ્રિય! ચાર કષાય તો નટખટ છે પણ આ પાંચ ઈન્દ્રિયો પણ ઓછી ઊતરે તેમ નથી. બહુ જબરી છે. આખો દિવસ એમાં જ જાય છે, ખાવામાં, સુંઘવામાં, Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005521
Book TitleAtmasiddhishastra Part 01
Original Sutra AuthorShrimad Rajchandra
AuthorBhanuvijay
PublisherSatshrut Abhyas Vartul
Publication Year2011
Total Pages492
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy