SearchBrowseAboutContactDonate
Page Preview
Page 318
Loading...
Download File
Download File
Page Text
________________ આત્મસિદ્ધિશાસ્ત્ર પ્રવચનમાળા ૨ ૬૭ ન જાણે તો એ મતાર્થી છે, આત્માર્થી નહિ. આપણો સંબંધ વિતરાગતા સાથે છે. કરોડો દેવતાઓ કે ત્રણ ગઢ ઉપરના હીરા માણેકના કાંગરા સાથે નથી. તીર્થંકરદેવને અભુત પુણ્ય હોય પણ એ નવાઈ નથી. આશ્ચર્ય તો એ છે કે આ બધા વચ્ચે તેઓ વીતરાગ રહ્યા છે. તમે કોઈનાં લગ્નમાં ગયા હો, સરસ હોટલમાં ઉતારો હોય અને ઘેર જાવ પછી કોઈ પૂછે કે વ્યવસ્થા કેવી હતી? આગતા સ્વાગતા કેવી થઈ ? તો મોં બગાડી કહેશો કે ઠીક હતું, ખાસ નહિ, આ જે દુઃખ થયું તે કોના કારણે? દુઃખ રાગના કારણે થાય, દ્વેષ રાગનાં કારણે થાય, અશાંતિ અને મૂંઝવણ પણ રાગનાં કારણે થાય. કર્મનો બંધ રાગના કારણે થાય. ટેન્શન રાગના કારણે થાય. રાગ ગયો તો ટેન્શન ગયું, મૂંઝવણ ગઈ, સપ્રેશન, ચિંતા બધું જ ગયું. આ આગ રાગની છે. રાગ ગયા વગર સંસાર નહિ જાય. જેમ સાપનો કણિયો મોટો ભોરીંગ થાય, અગ્નિના કણિયામાંથી દાવાનળ પ્રગટે, તેમ રાગના કણિયામાંથી ચૌદ રાજલોકનો સંસાર ઊભો થાય છે. રાગ રહિત જે બન્યાં તે જિતરાગ, અને જે જિતરાગ તે જિતષ. રાગ ગયો તો ષ પણ ગયો. અલંકારિક ભાષામાં કહેવું હોય તો રાગ પાટવી કુંવર છે અને દ્વેષ ફટાયો કુંવર છે. રાજાઓની આ પરિભાષા છે. રાગ જશે તો દ્વેષ પણ જશે જ. પહેલું સૂત્ર જિતરાગ, વીતરાગ, બીજું સૂત્ર જિત દ્વેષ અને ત્રીજું-જિત મોહ. रागो य दोसोवि य कम्मबीयं, कम्मं च मोहप्पभवं वयंति। कम्मं च जाईमरणस्स मूलं, दुक्खं च जाईमरणं वयंति ॥ " મોહએ મહારાજા છે. સંસારનો ખરો મહારાજા છે, અને તેનું સામર્થ્યચૌદ રાજલોકમાં છે. એ મોહરાજાની અવિદ્યા નામની નટખટ પત્ની છે. તેનું બીજું નામ છે માયા. એ મોહ માયાના બે સંતાનો, એકનું નામ રાગ અને બીજો દ્વેષ. આ કુટુંબ ઓળખી લીધું? તેમને કોઈ ઓફિસ નથી, ચૂંટણી થતી નથી, મત મેળવવાનાં હોતાં નથી, અને તેમનું રાજ્ય પણ નષ્ટ થતું નથી. અનંતકાળથી તેઓ જગતનાં બધા જીવો ઉપર રાજ્ય કરે છે. એમને ફક્ત અણગમો હોય તો સંતો ઉપર, બાકી બધાં સારાં લાગે. અહંકાર અને મમત્વને કારણે રાગ દ્વેષ પેદા થાય છે. અહંકાર, મમત્વને કાઢવાની વાત કરવી તો સહેલી છે પણ રગ રગમાં એ ઠાંસી ઠાંસીને ભરેલાં છે. કેમ જશે? બહુ જાગૃત રહેવું પડશે. અહંકાર તો ગમે ત્યાં ઊભો થશે. એક ભાઈનું મોટું સહેજ પડેલું હતું. કોઈએ પૂછ્યું “આજે આમ કેમ લાગે છે?' તે ભાઈ જોરથી તાડૂક્યા, “ખબર નથી? આજે ઉપવાસ છે.” બાપ રે ! આટલા જોરથી તાડૂકીને કહેવાનું? એને કોઈ પૂછનાર મળવો જોઈતો હતો અને જાહેરાત કરવી હતી કે મારે આજે ઉપવાસ છે. પૂછનાર મળે તો મઝા Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005521
Book TitleAtmasiddhishastra Part 01
Original Sutra AuthorShrimad Rajchandra
AuthorBhanuvijay
PublisherSatshrut Abhyas Vartul
Publication Year2011
Total Pages492
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy