SearchBrowseAboutContactDonate
Page Preview
Page 317
Loading...
Download File
Download File
Page Text
________________ ૨ ૬૬ પ્રવચન ક્રમાંક - ૨૩, ગાથા ક્રમાંક - ૨૫ કે, શું થયું? તો કહે ફેક્ટર. કારણ? તો કહે મારો ભાઈ મુંબઈથી લક્સ સાબુ લઈ આવેલો, અને મને કહ્યું કે આ સાબુ મારો છે, તેને નહીં અડવાનું. હું રહી ન શક્યો અને મેં એ લક્સ સાબુ વાપર્યો. તેથી બોલાચાલી અને પછી મારામારી થઈ. મારો હાથ તૂટ્યો અને છ મહિના માટે પ્લાસ્ટર થયું. આ લક્સનો સવાલ નથી પણ આ રાગ કરાવે છે. બહેનોને લગ્નમાં જવાનું હોય ત્યારે કેટલાંય ઘરેણાં પહેરે છે. એક પણ અંગ બાકી નથી રહેતું. કાન, નાક, હાથ, પગ બધે જ ઘરેણાં પહેર્યા હોય. વરઘોડો બજારમાં નીકળે એટલે જુએ કે કેટલાં જણાં મારી સામે જુએ છે? પછી રાજી થાય. ઘરેણાં તો રાજી નથી થતાં કે અમારા મહાભાગ્ય કે શેઠાણીએ મને પહેર્યા. રાજી તો બહેનો થાય છે. આ ઘરેણાં પ્રત્યેનો રાગ. બધું છૂટી શકે છે પણ રાગ છૂટી શકતો નથી. બધા સાગર તરી શકાય, પણ રાગ સાગરને તરી શકાતો નથી. એવા રાગને જેમણે જીત્યો છે, તેવા જ્ઞાનીઓ ધન્યવાદને પાત્ર છે. બંને રાગ છોડવાનાં છે. અપ્રશસ્ત તો છોડવાનો જ છે. પ્રશસ્તને પણ અંતે તો છોડવાનો જ છે. સદ્દગુરુ પ્રત્યે, તીર્થંકર પ્રત્યે અને શાસ્ત્રો પ્રત્યેનો રાગ પ્રશસ્ત છે અને તેનો ઉપયોગ બાહ્ય પદાર્થો પ્રત્યેના રાગને છોડવા માટે કરવાનો છે. બાહ્ય પદાર્થો પ્રત્યેના અપ્રશસ્ત રાગને છોડવા સદ્ગુરુ અને શાસ્ત્રોનો આધાર લેવો પડે છે. પરંતુ છેવટનું લક્ષ પ્રશસ્ત અને અપ્રશસ્ત રાગ બંને છોડવાનાં છે, પછી જે અવસ્થા આવે તેને વીતરાગ અવસ્થા કહેવાય છે. સંપૂર્ણ રાગ જાય તો વીતરાગતા આવે. રાગ જાય તો વેષ પણ જાય, અને દ્વેષ જાય તો મૈત્રી પ્રગટ થાય. મૈત્રી પ્રગટ થાય એટલે દ્વેષ રૂપી અગ્નિ શાંત થાય. મૈત્રીભાવનાનું નિરંતર જે ભાવન કરે છે તેના હૃદયમાં સળગી રહેલ રાગ અને દ્વેષરૂપી અગ્નિ ઓલવાઈ જાય છે, પણ દ્વેષની અગ્નિ રાગમાંથી પ્રગટ થાય છે. લાકડામાંથી ધૂમાડો આવતો નથી, પણ લાકડું પાણીથી ભીનું થયેલ છે તેથી ધૂમાડો આવે છે, તેમષની આગ રાગના કારણે જ આવે છે. આવો રાગ જેમણે જીત્યો છે, તે તીર્થંકર પરમાત્મા છે. આવું જે માને છે, જાણે છે તે આત્માર્થી છે અને બાહ્ય વસ્તુઓ ને સમવસરણની માત્ર સિદ્ધિ અને રિદ્ધિને જ જુએ છે, તે મતાર્થી છે. મતાર્થી છે તે તીર્થંકર દેવોની રિદ્ધિ સિદ્ધિ જોઈને રાજી થાય છે, બહારનાં વર્ણન અને ઠાઠમાઠથી રાજી થાય છે. તીર્થંકરદેવોનું પુણ્ય અલૌકિક છે. ૬૪ ઈન્દ્રોને ભેગા કરો અને એમનું જે સૌંદર્ય છે, તેના કરતાં અનંતગણું સૌંદર્ય તીર્થંકરદેવોનું છે. અરે ! એક આંગળીનો ભાગ હોય તેના જેવું રૂપ જો રચવું હોય તો ૬૪ ઈન્દ્રો ભેગાં થઈને રચી ન શકે એવું અલૌકિક સૌંદર્ય છે. આ બધું તો છે પરંતુ માત્ર આ તીર્થંકરપણું છે અને અંદરની વીતરાગતાને Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005521
Book TitleAtmasiddhishastra Part 01
Original Sutra AuthorShrimad Rajchandra
AuthorBhanuvijay
PublisherSatshrut Abhyas Vartul
Publication Year2011
Total Pages492
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy