SearchBrowseAboutContactDonate
Page Preview
Page 316
Loading...
Download File
Download File
Page Text
________________ ૨ ૬૫ આત્મસિદ્ધિશાસ્ત્ર પ્રવચનમાળા પદાર્થમાં નથી, વસ્તુઓમાં નથી, સંસાર વ્યક્તિઓ કે ઘટનાઓમાં નથી. સંસાર અંદરમાં રહેલાં રાગમાં છે. ફરી વાર કહીએ છીએ કે મમત્વના કારણે, મૂછના કારણે, મારાપણાના કારણે રાગ થાય છે. સાગોડિયાની, આપણી ગૌશાળામાં એક રાત્રે ગાય જોર જોરથી ભાંભરતી હતી. અમને થયું કે આને શું થયું અત્યારે ? અમે ભરવાડને બોલાવી પૂછ્યું કે આ ગાય કેમ ભાંભરે છે? તો કહે બીજ વાંધો નથી, પણ તેનું વાછરડું છેટું બાંધ્યું છે એટલે બૂમ પાડે છે. શાસ્ત્રો એમ કહે છે કે આ બધું રાગના કારણે થાય છે. પશુઓમાં પણ રાગ છે. એ વાછરડું મોટું થઈને ગાયની શું સેવા કરશે? પણ મમત્વનો, મારાપણાનો રાગ. આના કરતાં પણ મહત્ત્વની વાત વીરવિજયજી મહારાજે કહી. તિર્યંચ તરુનાં મૂળ, રાખી રહ્યા ધન ઉપરે રે.” આ અભુત વાત છે. વૃક્ષ પોતાનાં મૂળિયા ધન ઉપર ફેલાવે છે. વૃક્ષના જીવે કોઈ ભવમાં ધરતીમાં ધન દાટ્યું હોય અને તે જીવ ત્યાં નજીકમાં જો ઝાડ થયો હોય તો એ ઝાડ પોતાનાં મૂળિયા ધન ઉપર ફેલાવે છે. તેને ક્યાં શેરબજારમાં ધંધો કરવા જવું છે? કે મૂડી રોકાણ કરવું છે? આ કોનું તોફાન છે? બધાંને સંસારમાં જો કોઈ રાખનાર હોય તો રાગ છે. બધી આગ ઓલવાશે. રાગની આગ ઓલવાતી નથી. જેમણે રાગની આગ ઓલવી છે, તેમના ચરણોમાં અનંતવાર નમસ્કાર. ભગવાન મહાવીર રાગરહિત બન્યાં. હે ભગવાન! અમે તમારાં અતિશયો કે તમારા સૌંદર્યને જોઈને મુગ્ધ બનતાં નથી. તમે સમવસરણમાં બેસીને ઉપદેશ આપો છો તે માટે કે તમે ચાલો છો ત્યારે તમારા પગ નીચે સુવર્ણકમળો મૂકાય છે તે માટે અમે મુગ્ધ બનતાં નથી. ભગવાન જ્યારે ચાલે ત્યારે વૃક્ષો ઝૂકે છે અને કાંટાઓ રસ્તામાં વેરાયાં હોય તે સીધામાંથી ઊંધા થઈ જાય છે. પ્રભુ ! આવો તમારો બાહ્ય ઠાઠ, લબ્ધિ અને સિદ્ધિ છે, તે માટે અમે તમને નમસ્કાર કરતા નથી. આ બધું હોવા છતાં, તમારામાં રાગ નથી, એ અમને આશ્ચર્ય થાય છે, અને રાગ ન હોવાને કારણે આપ અરાગી છો, વીતરાગ છો તેથી અમે તમને નમસ્કાર કરીએ છીએ. રાગનાં બે પ્રકાર પડે છે. એક પ્રશસ્ત રાગ, અને બીજો અપ્રશસ્ત રાગ. અપ્રશસ્ત રાગ એટલે ન કરવા જેવો રાગ. ધન પ્રત્યે, સ્ત્રી પ્રત્યે, પુરુષ પ્રત્યે, વસ્તુ, વ્યક્તિ કે પદાર્થ ઉપરનો રાગ તે અપ્રશસ્ત રાગ છે. દેવ, ગુરુ, શાસ્ત્રો, ધર્મ ઉપરનો રાગ તે પ્રશસ્ત રાગ છે. પાલનપુર પાસે માલણ ગામ છે. અમારી ત્યાં સ્થિરતા હતી. સવારે પ્રવચનમાં એક ભાઈ આવેલાં. તે જ ભાઈ બપોરે ચાર વાગે હાથ ઉપર પાટાપીંડી કરીને આવ્યાં. મેં પૂછ્યું Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005521
Book TitleAtmasiddhishastra Part 01
Original Sutra AuthorShrimad Rajchandra
AuthorBhanuvijay
PublisherSatshrut Abhyas Vartul
Publication Year2011
Total Pages492
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy