SearchBrowseAboutContactDonate
Page Preview
Page 314
Loading...
Download File
Download File
Page Text
________________ આત્મસિદ્ધિશાસ્ત્ર પ્રવચનમાળા ૨૬૩ છે તે છે વીતરાગ. જેનામાં રાગ નથી, જેનામાં દ્વેષ નથી, જેનામાં મોહ નથી, જેનામાં કષાયો નથી અને જેણે ઈન્દ્રિયો જીતેલી છે તેને કહેવાય છે જિતરાગ, જિતદ્વેષ, જિતમોહ, જિતકષાય અને જિતેન્દ્રિય. આ ધરતી ઉપર વિજેતાનું સન્માન એમને મળવું જોઈએ કે જેણે રાગને જીત્યો, દ્વેષને અને મોહને જીત્યો, કષાયોને તથા ઈન્દ્રિયોને જીતી. શાસ્ત્રોને એમ કહેવું છે કે સંસા૨નું મૂળ રાગ છે. રાગ એટલે આસક્તિ, રાગ એટલે મૂર્છા, રાગ એટલે એટેચમેન્ટ, રાગ એટલે આકર્ષણ, રાગ એટલે ખેંચાણ, રાગ એટલે ઢળી જવું, ગમી જવું અને રાગ એટલે રુચવું, સારું લાગવું, અને રાગ એટલે અટકી જવું. ક્યાં અટકીને ઊભા છીએ આપણે ? પદાર્થ નડતો નથી પણ પદાર્થ પ્રત્યેનો રાગ આપણને નડે છે. ભતૃહિરએ બહુ અદ્ભુત વાત કરી કે ‘અમે પ્રાપ્ત કરેલાં પદાર્થો એની મેળે, અમને પૂછ્યા વગર, અમને કહ્યા વગર, અમારી સંમતિ લીધા વગર, અમને છોડીને ચાલ્યાં જાય તો અંદરમાં ભયંકર આગ સળગી ઊઠે છે.’ પદાર્થો એની મેળે છોડીને ચાલ્યા જાય એટલે કે તમે બેઠાં છો, અથવા રાત્રે સૂતાં છો, શેર લીધા છે, અને રાત્રે બાર વાગ્યે સમાચાર મળે કે શેરનાં ભાવ ગગડી ગયાં. શું થાય ? બહુ સારું થયું એમ તમે કહો કે અંદ૨માં બળતરાં થાય? તમારી ઈચ્છા નથી પદાર્થો છોડવાની, પણ પદાર્થો તમને છોડીને ચાલ્યાં જાય તો અંદ૨માં આગ સળગે, પણ સ્વતંત્રતાપૂર્વક, ઈચ્છાપૂર્વક પદાર્થોનો ત્યાગ કરો તો પરમસુખનો અનુભવ થાય. ચક્રવર્તી છ ખંડની સાહ્યબી છોડે છે, હસતાં મોઢે. અણગાર બનીને, નિગ્રંથ બનીને, તે ઝાડ નીચે ઊભો રહે છે. તેની મસ્તીનો કોઈ પાર નથી. ઈન્દ્ર પણ તેની પાસે તુચ્છ લાગે છે કારણ કે ચક્રવર્તીએ સ્વતંત્રતાપૂર્વક પદાર્થોનો ત્યાગ કર્યો છે, સાથે તેણે અંદરથી આસક્તિ કાઢી નાખી છે. જે ભીખ માંગી રહ્યો છે તેની પાસે તૂટેલું એક પાત્ર છે પરંતુ તેના પ્રત્યે આસક્તિ છે. જનકવિદેહીની સભામાં અષ્ટાવક્રજી સત્સંગ કરતાં હતાં. હવે પરીક્ષા કરવા કોઈએ કૃત્રિમ આગ લગાડી, અને જેવી આગ લાગી કે જનકવિદેહીનાં માણસો દોડતાં આવ્યાં અને કહ્યું કે ‘મહારાજ ! મહેલને આગ લાગી છે.’ હજારો માણસો બેઠાં હતાં તે ભાગ્યાં, ઊભા રહે ખરાં ? જનકવિદેહી શાંત અવસ્થામાં એમ કહે છે કે, मिहिलाओ डज्झमाणीओ ण मे डज्झइ किंचनं । મિથિલા બળે છે એમાં મારું કંઈ બળતું નથી. જે બળે છે તે મારું નહિ, અને મારું હોય તે બળે નહિ. એટલામાં ભગવાં વસ્ત્રો પહેરેલાં સંન્યાસીઓ દોડ્યાં. તેમને પૂછ્યું કે તમે કેમ દોડો છો ? તેઓ કહે છે કે અમારી તુંબડી અને લંગોટી ત્યાં પડી છે, એ લેવા માટે જઈએ છીએ. આ એમ કહે છે કે મિથિલા બળે છે તેમાં મારું કાંઈ બળતું નથી અને Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005521
Book TitleAtmasiddhishastra Part 01
Original Sutra AuthorShrimad Rajchandra
AuthorBhanuvijay
PublisherSatshrut Abhyas Vartul
Publication Year2011
Total Pages492
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy