SearchBrowseAboutContactDonate
Page Preview
Page 313
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૬૨ પ્રવચન ક્રમાંક - ૨૩, ગાથા ક્રમાંક - ૨૫ ભાષામાં સમજે છે, તરજુમાની વ્યવસ્થા વગર સમજી જાય એવી જેમની અદ્ભુત વચન સિદ્ધિ છે, વચનાતિશય છે. એ અરિહંત પરમાત્મા જ્યારે દેવછંદામાં જાય છે ત્યારે તેમની સેવામાં ઓછામાં ઓછા એક કરોડ દેવતાઓ રહે છે. આ બધા વર્ણનમાં જિનેશ્વર પરમાત્માનું વર્ણન પૂરું થાય છે એમ જે માની લે છે અને એમાં જ જેની બુદ્ધિ અટકી જાય છે, તે છે મતાર્થી. સંમંતભદ્ર આચાર્ય સિંહ જેવી ગર્જના કરીને કહે છે, ‘હે તીર્થંકર પરમાત્મા ! આ તમારું સમવસરણ છે એટલા માટે અમે તમને માનીએ છીએ તેમ નથી. આવું સમવસરણ અંબડ પરિવ્રાજક કે જાદુગર પણ કરી શકે, આ માયાજાળ હોઈ શકે, ઈન્દ્રજાળ પણ હોઈ શકે. આ મારું મસ્તક એટલા માટે ઝૂકે છે કે આવાં સમવસરણમાં આપ બેઠાં હોવા છતાં, આપના રૂંવાટામાં ક્યાંય રાગ નથી, ક્યાંય મોહ નથી, ક્યાંય મમત્વ નથી. આપ વીતરાગ છો, અમારું મસ્તક વીતરાગતાને ઝૂકે છે.’ પ્રભુ ! અમને તો એ આશ્ચર્ય થાય છે કે, આ બધા વચ્ચે રહીને પણ તમને રાગનો અંશ સ્પર્શતો નથી. આવી બહાદુરી અને આવી શ્રેષ્ઠતા જગતમાં ક્યાં જોવા મળશે ? આ જોઈને અમારું મસ્તક ઝૂકે છે. પહેલાં જે વર્ણન કર્યું હતું તે બહારનું અને હવે પાંચ સૂત્રોથી જે વર્ણન થાય છે તે અંદરનું વર્ણન છે, તે તીર્થંકર દેવની સાચી ઓળખાણ માટે છે. એક શબ્દ છે જિન. આ જિન શબ્દ જૈનદર્શનનો પારિભાષિક શબ્દ છે. તે શબ્દનો અર્થ થાય છે જીતનાર. જેમણે જય કર્યો, વિજય મેળવ્યો, તેને કહેવાય છે જિન, પણ કોના ઉપર જીત મેળવી ? કોના ઉપર વિજય મેળવ્યો ? રાગ, દ્વેષ, મોહ, કષાય અને ઇંદ્રિયો આ પાંચ ઉપર વિજય મેળવ્યો. પહેલો શબ્દ જિતરાગ, જિતરાગ એટલે જેણે રાગને જીત્યો છે. શાસ્ત્રોને એમ કહેવું છે કે જગતમાં ખરેખરો બહાદુ૨ એટલે મહાવીર અથવા યુદ્ધ નિષ્ણાત જો કોઈ હોય તો તે છે કે જેમણે રાગને જીત્યો છે, તે જ ખરેખર શૂરવીર છે. નમિરાજની પરીક્ષા કરવા ઈન્દ્ર મહારાજા આવ્યાં, ત્યારે તેમણે કહ્યું કે, ‘નમિરાજ ! તમે સંસાર ત્યાગીને મુનિ થઈને બેઠાં છો, પણ હું તમને કહેવા આવ્યો છું કે તમે ક્ષત્રિય છો, મિથિલાના મહારાજા છો. હજુ પણ તમારા દુશ્મનો અને શત્રુઓ છે. તો જેઓ તમને નમતા નથી તેમને જીતીને, નમાવીને, પછી આ માર્ગે તમે જાવ.' ત્યારે નમિરાજ ધીરેથી કહે છે, ‘ઈન્દ્ર મહારાજા ! તમારી સૂચના પ્રમાણે જ કરું છું. ફરક એટલો છે કે તમારા શત્રુઓ બહાર છે, અને મારા શત્રુઓ અંદર છે. એકને જેણે જીત્યો તેણે પાંચ જીત્યાં, પાંચને જીત્યાં તેણે ચારને જીત્યાં અને ચારને જીત્યાં તેણે દશને જીત્યાં.’ જીતવા જેવો તો એક જ છે, અને એ છે રાગ. આ રાગની આગ જેણે ઓલવી નાખી Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005521
Book TitleAtmasiddhishastra Part 01
Original Sutra AuthorShrimad Rajchandra
AuthorBhanuvijay
PublisherSatshrut Abhyas Vartul
Publication Year2011
Total Pages492
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy