SearchBrowseAboutContactDonate
Page Preview
Page 312
Loading...
Download File
Download File
Page Text
________________ આત્મસિદ્ધિશાસ્ત્ર પ્રવચનમાળા ૨૬૧ બીજી વાત, પાંચસો જાનૈયા સ્ટેશન ઉપર ઊતર્યા છે. બેંડવાજાં વાગી રહ્યાં છે. સ્વાગત કરવાની તૈયારી થાય છે, પરંતુ વ૨૨ાજા પાછલા સ્ટેશને રહી ગયા છે. એ તો મૂળ પાત્ર છે. હવે સ્વાગત કોનું કરવું ? આમ જો આત્માને જ ભૂલી જાય તો બાહ્યત્યાગ છે પણ આત્મજ્ઞાન નથી. આત્મજ્ઞાનનો અર્થ આત્મા અવિનાશી છે, આત્મા નિત્ય છે, આત્મા અજર અમર છે. તે ખાતો પીતો નથી એમ બોલતો જાય ને રસપૂર્વક લાડવા ખાતો જાય, આવા બધા ચાળાં તે આત્મજ્ઞાન નથી. જ્ઞાનીપુરુષો કહે છે કે ‘જેણે આત્મા જાણ્યો એણે બધું જ જાણ્યું’ -અહીં જાણવું એટલે અનુભવવું, એ અનુભવની ઘટના ઘટી નથી અને બાહ્યત્યાગ છે, એ બાહ્યત્યાગનો પણ વાંધો નથી, પરંતુ બાહ્યત્યાગથી મારું કામ પરિપૂર્ણ થયું છે, હવે મારે કંઈ કરવા જેવું નથી આવું માનીને જે ચાલે છે તેને કહેવાય છે અસદ્ગુરુ. એવાં અસદ્ગુરુને સદ્ગુરુ તરીકે માનવાં અને તેને દઢ કરવાં તેને કહેવાય છે મતાર્થી. જેમ આ એક ભૂલ છે, તેમ તીર્થંકર પરમાત્માને ઓળખવામાં પણ આ જીવે અનેકવાર ભૂલ કરી છે. જે જિનદેહ પ્રમાણ ને, સમવસરણાદિ સિદ્ધિ, વર્ણન સમજે જિનનું, રોકી રહે નિજબુદ્ધિ. આ બધું વર્ણન બરાબર છે. તીર્થંકરદેવની વાણીનાં પાંત્રીસ ગુણો, ચોત્રીસ અતિશયો, એમની અદ્ભુત કાયા, તેમના દેહમાં રોગ નથી, દેહ સુંદર છે. યશોવિજયજી મહારાજે કહ્યું, ઈન્દ્ર ચંદ્ર રવિ ગિરિ તણા, ગુણ લહી ઘડીયું અંગ લાલ રે. ઈન્દ્રનાં ગુણ, ચંદ્રના ગુણ, સૂર્યનાં ગુણ, હિમાલય પર્વતનાં ગુણ, આવાં બધાં ગુણો લઈને જેમની કાયા ઘડવામાં આવી છે, અને જેમનાં સૌંદર્યની સામે ઈન્દ્રોનું સૌંદર્ય પણ તુલના કરી શકે તેમ નથી, એવું જેમનું અદ્ભુત સૌંદર્ય છે, જેમનાં મળમૂત્ર દેખાતાં નથી, શરીરમાંથી સુગંધ આવે છે, દુર્ગંધ આવતી નથી, એવાં જેમના અતિશયો છે અને તેમના દેહનું પ્રમાણ આટલું છે. આ બધું સાચું હોવા છતાં આ વર્ણન એક અપેક્ષાએ છે. આ બહારનું વર્ણન છે. જ્યારે સર્વજ્ઞ અવસ્થા પ્રાપ્ત થાય છે, તીર્થંકર નામકર્મનો ઉદય થાય છે ત્યારે દેશના માટે, સમવસરણની રચના થાય છે. તેમાં ચાંદી, સોના અને રત્નના ત્રણ ગઢો હોય, તેમાં અદ્ભુત બેઠક હોય છે. આ ત્રણ ભુવનનો નાથ સમવસરણમાં બેસીને દેશના આપે છે. અશોકવૃક્ષ છે, દુંદુભિના નાદ થઈ રહ્યાં છે. પુષ્પોની વૃષ્ટિ થાય છે, વાંસળિયો વાગે છે, સંગીતમાં તાલ પૂરવામાં આવે છે, કરોડો માણસો અને કરોડો દેવતાઓ આવી સમવસરણમાં બેસે છે, અને પોતપોતાની ભાષામાં સહુ સમજે છે. વાઘ વાઘની ભાષામાં અને ઘેટું ઘેટાની Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005521
Book TitleAtmasiddhishastra Part 01
Original Sutra AuthorShrimad Rajchandra
AuthorBhanuvijay
PublisherSatshrut Abhyas Vartul
Publication Year2011
Total Pages492
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy