SearchBrowseAboutContactDonate
Page Preview
Page 311
Loading...
Download File
Download File
Page Text
________________ ૨ ૬૦ પ્રવચન ક્રમાંક - ૨૩, ગાથા ક્રમાંક - ૨૫ શ્રીમજી કહે છે, “અનંતવાર આ દેહ માટે આત્મા અર્પણ કર્યો, એક વખત માત્ર આત્માને અર્થે દેહ અર્પણ કર તો અનંતભવનું સાટું વળી જશે.” કેટલી વખત આ સાંભળ્યું? આપણે રીઢા થઈ ગયા છીએ. આ શરીરની આ પ્રકારની સ્થિતિ છે, માટે કહ્યું કે લક્ષ્મી અને અધિકાર વધતાં શું વધ્યું? તે તો કહો.” હવે તમારા લીસ્ટમાં પહેલે નંબરે એ લખો કે અમારે આત્માને પ્રાપ્ત કરવો છે. આત્મા માટે અમારે આ જીવન જીવવું છે, આત્મારૂપી ધન પ્રાપ્ત કરવું છે, આત્માની અનુભૂતિ કરવી છે. શરીર સાચવો, સંભાળો પણ તે કાયમ રહેશે નહિ, જીવ નીકળી ગયા પછી બે કે ત્રણ દિવસ કોઈને દર્શન કરાવવા, દવાઓમાં રાખે પરંતુ ચોથા દિવસે નિકાલ કરવો જ પડશે. જે નથી રાખી શકાતું તેની ચિંતા અને જે રાખી શકાય છે તેની બેદરકારી, એમ કેમ? તેનું ધ્યાન જ નહિ? તેનું લક્ષ જ નહિ? જ્ઞાની પુરુષ કહે છે તારે આત્માને પ્રાપ્ત કરવો છે? “રે આત્મ તારો, આત્મ તારો, શીધ્ર એને ઓળખો.” આત્મા પ્રાપ્ત કરવો હોય તો જીવનનું લક્ષ, જીવનનો હેતું આત્મા હોવો જોઈએ. તમને કોઈ પૂછે કે શું પ્રાપ્ત કરવું છે? તો આત્મા. શેનો વિચાર કરો છો? તો આત્માનો. શેનું ધ્યાન કરવું છે? તો આત્માનું. શું જોઈએ છે? શું પ્રાપ્ત કરવું છે? તો આત્મા. કદાચ ધરણેન્દ્ર દેવ અને પદમાવતીજી હાજર થઈ જાય અને તમને પૂછે, શું જોઈએ છે? આત્મા સિવાય અમારે કાંઈ જોઈતું નથી, એમ કહો ને? આત્મા એ જ જેના જીવનનો હેતુ છે, આત્માનુભૂતિ એ જ જેના જીવનનું કર્તવ્ય છે, આત્મા એ જ સાચું ધન અને સંપત્તિ જેને માની છે-એવા આત્માર્થી માટે ષપદનું વર્ણન છે. આત્માર્થી બનતાં પહેલાં એ મતાર્થી જ છે. મતાર્થી બનવાનું નથી પણ મતાર્થી મટવાનું છે. વાક્ય સમજી લો, મતાર્થી છીએ તે મટવાનું છે અને આત્માર્થી થયા નથી, તો આત્માર્થી બનવાનું છે. એક વાત નિશ્ચિત છે કે મતાર્થી મટ્યા સિવાય આત્માર્થી બની શકાશે નહિ, અને આત્માર્થી બન્યા સિવાય આત્માની પ્રાપ્તિ થઈ શકશે નહિ. કેવો છે મતાર્થી? તેની સમજમાં ક્યાં ક્યાં ભૂલ થાય છે અને કેવી રીતે એ ભૂલો કરે છે તેનું વર્ણન પરમકૃપાળુદેવ આ ગાથામાં કરી રહ્યા છે. ગયા પ્રવચનમાં વાત એ હતી કે બાહ્યત્યાગ છે પણ આત્મજ્ઞાન નથી. અભુત બાહ્યત્યાગ હોય, પહેરવાં કપડાં પણ ન હોય, દિગંબર અવસ્થા હોય અને પાંદડા જ ખાઈને રહેતો હોય, આવો બાહ્યત્યાગ હોય પણ આત્મજ્ઞાન ન પણ હોય. એક બહુ મોટા સંત અને જ્ઞાની પુરુષ થયાં છે. એમણે કહ્યું કે “આહારનો સ્વાદ જીતવા મેં એક પ્રયોગ કર્યો. ધીમે ધીમે લીમડો વાટી લીમડાંનાં લાડું બનાવતો હતો. આ લાડુ ખાતો હતો અને ધીમે ધીમે એમાં પણ સ્વાદ આવવા માંડ્યો.” આવો ત્યાગ હોવા છતાં આત્મજ્ઞાન ન પણ હોય. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005521
Book TitleAtmasiddhishastra Part 01
Original Sutra AuthorShrimad Rajchandra
AuthorBhanuvijay
PublisherSatshrut Abhyas Vartul
Publication Year2011
Total Pages492
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy