SearchBrowseAboutContactDonate
Page Preview
Page 308
Loading...
Download File
Download File
Page Text
________________ આત્મસિદ્ધિશાસ્ત્ર પ્રવચનમાળા ૨૫૭ બહુ ધીરજથી, કંટાળ્યા વગર અને વચમાં બુદ્ધિને ડહોળ્યાં વગર આ બધા લક્ષણોને સમજવાનો પૂરેપૂરો પ્રયત્ન કરજો. ઘણાં તર્કો મનમાં ઊઠશે. અમારા મહારાજ, અમારા બાપદાદાના મહારાજ, એને અમારે છોડી દેવાં? તેને કેમ છોડવાં ? એ તો અમારી પરંપરાના છે. આવા ખ્યાલો મનમાં આવશે. પરંતુ તથ્ય જેમ છે તેમ સમજી લઈએ. પરમકૃપાળુદેવે (૧) પક્ષપાત વગર (૨) કોઈની ટીકા કે નિંદા કર્યા વગર વાત કરી, અને (૩) આત્માર્થીનું કલ્યાણ થાય તે માટે વાત કરી. આટલી બધી વાત તમારી સમજણમાં આવ્યા વગર જાય તો ન ચાલે. પૂરેપૂરી રીતે વાત સમજજો. મતાર્થીના લક્ષણો બરાબર સમજશો તો મતાર્થીપણું જશે. મતાર્થીપણું જશે તો પચાસ નહિ પણ નેવું ટકા કામ પૂરું થશે, અને મતાર્થીપણું જો રહેશે તો નેવું ટકા કામ નિષ્ફળ જશે. બધું જ કરવા છતાં જો મતાર્થ હશો તો કામ નહિ થાય. આવું મતાર્થીપણું ટાળવા તેનાં લક્ષણો જાણવા જરૂરી છે. પણ લક્ષણો જ્યારે જાણવા બેસીએ ત્યારે જે જાણેલું છે, આજ સુધી જે ઘંટેલું છે તેનો ઉભરો આવે છે, આ કેમ છોડાય? આ કેમ મનાય? આ બધાં ઉભરા શમાવી, શાંત બની, સમજવા પૂરેપૂરો પુરુષાર્થ કરજો. ધન્યવાદ, આટલી ધીરજપૂર્વક સાંભળ્યું તે બદલ. દરેકના અંતઃકરણમાં રહેલા પરમાત્માને પ્રેમપૂર્વક નમસ્કાર, Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005521
Book TitleAtmasiddhishastra Part 01
Original Sutra AuthorShrimad Rajchandra
AuthorBhanuvijay
PublisherSatshrut Abhyas Vartul
Publication Year2011
Total Pages492
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy