SearchBrowseAboutContactDonate
Page Preview
Page 306
Loading...
Download File
Download File
Page Text
________________ આત્મસિદ્ધિશાસ્ત્ર પ્રવચનમાળા ત્યાગી ગુરુ કેવી રીતે આત્મા તરફ આંગળી ચીંધી શકે અને બતાવી શકે ? આનંદઘનજીએ બહુ મુલાયમ અને નમ્ર ભાષામાં સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે, આતમજ્ઞાની શ્રમણ કહાવે, બીજા તો દ્રવ્યલિંગી રે. આચારાંગ સૂત્રમાં કહ્યું છે કે, ’નં સમ્મ તિ પાસદ્દા તં મોળું ત્તિ પાસઠા, ખં મોળું તિ પાપ્તહા, તેં સમ્મ તિ પાસહા.’ જેને આત્મજ્ઞાન છે તે મુનિ છે અને મુનિ છે તેને આત્મજ્ઞાન છે. અસદ્ગુરુ શબ્દ પહેલાની ગાથામાં આવ્યો, અને અસદ્ગુરુ કેવાં હોય તે સ્પષ્ટ થયું કે જેને બાહ્ય ત્યાગ છે પણ આત્મજ્ઞાન નથી, અને સદ્ગુરુ અથવા મુનિ તે છે જેને આત્મજ્ઞાન છે. ૨૫૫ બાહ્ય ત્યાગ હોય, ઋદ્ધિ કે સિદ્ધિ હોય, ચમત્કાર હોય, મમત્વ, મોટાઈ, માન, પ્રતિષ્ઠા અને હજારો શિષ્યો હોય, હજારો શાસ્ત્રો કંઠસ્થ કર્યાં હોય, અને હજારોને ઉપદેશ આપતાં ભલે હોય, પણ આત્મજ્ઞાન ન હોય તો તેમને કહ્યાં છે અસદ્ગુરુ. બહુ મહત્ત્વનું લક્ષણ અસદ્ગુરુનું છે કે ‘માંહ્યલાને જાણતાં નથી.' માંહ્યલો અંદર શરીરમાં બેઠો છે પણ શરીરથી જુદો છે, તેને જાણતાં નથી. રિદ્ધિ, સિદ્ધિ, લબ્ધિઓ હોવા છતાં જો આત્મજ્ઞાન નથી તો શાસ્ત્રમાં તેને સદ્ગુરુ કહ્યાં નથી. અસદ્ગુરુથી ચેતવવાની અને સદ્ગુરુને પ્રાપ્ત કરાવવાની આટલી બધી ચિંતા પરમકૃપાળુદેવને શું કામ કરવી પડે ? તે એટલા માટે ક૨વી પડે છે કે પરમાર્થ માર્ગની યાત્રા જેને કરવી છે, આધ્યાત્મિક માર્ગની યાત્રા જેને કરવી છે, આત્મજ્ઞાન, આત્મધ્યાન જેને પ્રાપ્ત કરવું છે, આત્મસાક્ષાત્કાર અથવા અનુભૂતિ જેને કરવી છે, આત્મદર્શન જેને કરવું છે તે અલૌકિક કાર્ય, દિવ્ય અને અદ્ભુત કાર્ય કરવા માટે મહત્ત્વની વ્યક્તિ જો કોઈ હોય તો તે સદ્ગુરુ છે. પરમકૃપાળુદેવ કહે છે કે ‘રે આત્મ તારો, આત્મ તારો, શીઘ્ર એને ઓળખો.’ આત્માને તારો, બચાવો, આત્માનું રક્ષણ કરો. સાચવવા અને મેળવવા જેવો આત્મા છે તો તેને ક્યારે તા૨શો અને ક્યારે ઓળખશો ? ટાઈમ ન બગાડો. પછી કરીશું, મોટી ઉંમરે અને ઘડપણમાં કરીશું, તેમ ન કહો. પગ ચાલતાં નથી, હાથ થથરી રહ્યાં છે, માથું ડોલી રહ્યું છે-એવી હાલતમાં કેવી રીતે શક્ય બનશે ? એટલા માટે ‘યાવશ્ર્વથમિવં શરીરમનમ્’, જ્યાં સુધી સ્વાસ્થ્ય સારું છે, શરીર રોગ વગરનું છે અને ઈન્દ્રિયો સક્ષમ છે એવી અવસ્થામાં આત્માને જાણી લો. શીઘ્ર એને ઓળખી લો. આત્માને ઓળખવાની પ્રક્રિયા, આત્માને જાણવાની પ્રક્રિયા જેની હાજરી વગર ન થાય તેવું તત્ત્વ તે સદ્ગુરુ છે. સદ્ગુરુ વ્યક્તિ નથી પણ સદ્ગુરુ તત્ત્વ છે, સદ્ગુરુ ચેતના છે, સદ્ગુરુ અસ્તિત્વ છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005521
Book TitleAtmasiddhishastra Part 01
Original Sutra AuthorShrimad Rajchandra
AuthorBhanuvijay
PublisherSatshrut Abhyas Vartul
Publication Year2011
Total Pages492
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy