SearchBrowseAboutContactDonate
Page Preview
Page 305
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૫૪ પ્રવચન ક્રમાંક - ૨૨, ગાથા ક્રમાંક - ૨૩, ૨૪ આત્મજ્ઞાન એમને એમ ન થાય. તેના માટે તો એક પ્રકારનું માળખું અથવા તો અમુક પરિસ્થિતિ જોઈએ. આત્મજ્ઞાન માટે સતુશાસ્ત્રો જોઈએ, સત્પુરુષ જોઈએ, સતુશ્રવણ જોઈએ. આરંભ પરિગ્રહનું અલ્પત્વ જોઈએ, મૌન જોઈએ. મનમાં બોજો, લાગણી કે આવેશ ન જોઈએ. શાંત અવસ્થા કે વિચાર કરી શકે તે પ્રકારની પરિસ્થિતિ જોઈએ, અને તત્ત્વના ઊંડાણમાં જવાની તૈયારી હોવી જોઈએ. આટલું બધું માળખું ગોઠવાય ત્યારે તત્ત્વજ્ઞાનની ઘટના ઘટે. આ કંઈ મુંબઈ સમાચાર વાંચવાની વાત નથી, આ તત્ત્વજ્ઞાનની વાત છે. વર્તમાન પત્રો એ જુદી વસ્તુ છે અને આત્મસિદ્ધિ જુદી વસ્તુ છે. એકાંતમાં રહીને ગહન તત્ત્વચિંતન થાય અને આત્મ પ્રાપ્તિની સાધના નિશ્ચિતપણે કરી શકે તેવી ભૂમિકા પૂરી પડે તે માટે ત્યાગ છે. ફરી સમજી લો, ત્યાગની સાધના જ્ઞાનની ઉપાસના માટે છે. હવે એમ કહે છે કે બાહ્ય ત્યાગ પણ જ્ઞાન નહિ' બાહ્ય ત્યાગ તો છે અને બાહ્ય ત્યાગ જ દેખાય. એ જોવો સહેલો છે, જ્યારે જ્ઞાન દેખાતું નથી. જ્ઞાન અંદરની ઘટના છે અને ત્યાગ બહારની ઘટના છે. કોઈને અંદર આત્મ અનુભૂતિ થઈ છે તે જાણવા બીજું કોઈ જ સાધન નથી. પોતે જાહેરાત કરે તો ખબર પડે. આમ તો એ જાણે અને ઉપરવાળો જાણે. પરંતુ જાહેરાતથી નક્કી ન થાય. આત્મજ્ઞાન એ આંતરિક અતીન્દ્રિય ઘટના છે. હવે જેનામાં આંતરિક ઘટના ઘટી નથી, આત્મ અનુભવ કે આત્મસાક્ષાત્કાર થયો નથી એ પાછા ગુરુ થઈને બેસે, અને બાહ્ય ત્યાગ જોઈને જ એ ગુરુને સત્ય માને તેને કહેવાય છે મતાર્થી. માર્ગદર્શક સાચાં, યોગ્ય અને યથાર્થ મળવાં જોઈએ. માત્ર સવા રૂપિયો અને શ્રીફળ એમનાં ચરણમાં અર્પણ કરી દો, એટલે લીસ્ટમાં નામ લખાઈ જાય અને અમને ગુરુ મળી ગયાં, અમારું કામ થઈ ગયું, નગરા ન રહ્યાં એમ માને. જે સાચાં ગુરુ હોય તે અંદરમાં પરિવર્તન લાવે છે, ક્રાંતિ કરે છે. જેમની હાજરીમાં આ આંતરિક પરિવર્તનની ઘટના ઘટે છે તે સાચા ગુરુ છે, સદ્ગુરુ છે. અસદ્ગુરુને પોતાના વાડામાંથી છાનોમાનો નીકળી ન જાય એટલી જ કાળજી રાખવાની હોય છે. સાચી કાળજી તો સદ્ગુરુ કરે છે, આ નહિ કરે. બીજી વાત, “અથવા નિજકુળ ધર્મનાં તે ગુરુમાં જ મમત્વ', એટલે પરંપરાથી ચાલ્યાં આવતાં જે ગુરુ છે, પોતાના કુળ અને સંપ્રદાયનાં જ ગુરુને માનવાની જેની વૃત્તિ છે, તેને પરમકૃપાળુદેવ મતાર્થી કહે છે. માર્થીપણું હોવાથી સત્યનાં દ્વાર બંધ થયા, અતીન્દ્રિય તત્ત્વને જાણવાનાં દ્વાર બંધ થયાં. અતીન્દ્રિય તત્ત્વ જાણવાનો અણસાર તેને હવે નહિ મળે. કારણ? જેને આત્મજ્ઞાન થયું નથી તેવા બાહ્ય Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005521
Book TitleAtmasiddhishastra Part 01
Original Sutra AuthorShrimad Rajchandra
AuthorBhanuvijay
PublisherSatshrut Abhyas Vartul
Publication Year2011
Total Pages492
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy