SearchBrowseAboutContactDonate
Page Preview
Page 302
Loading...
Download File
Download File
Page Text
________________ આત્મસિદ્ધિશાસ્ત્ર પ્રવચનમાળા ૨૫૧ અનેક જાગ વિત્યાં તેને પંથે ચાલતાં; પણ હાથમાં કશું આવ્યું નથી. સત્યનું જ્ઞાન નહિ, સત્યનો સ્વીકાર નહિ, સત્યની અનુભૂતિ નહિ, પરિણામ એ આવ્યું કે બાહ્ય કર્મકાંડો કરવા છતાં, મતાર્થીપણું હોવાના કારણે એ તમામ બાહ્યકર્મકાંડોને નિષ્ફળ બનાવે છે અને આત્માર્થીપણું થઈ શકતું નથી. આત્મકલ્યાણની વાતો કરતાં પહેલાં જરા વિચાર કરજો કે આપણે વાત તો આત્માની કરીએ છીએ પણ આપણે ક્યાં અટકીને ઊભા છીએ? દરેક માણસ એમ જ કહે છે કે તમે ગમે તે કહો પરંતુ મારો અભિપ્રાય, મારો મત તો આ છે. સત્ય કરતાં તેના માટે તેનો મત મહત્ત્વનો બની જાય છે. જેને પોતાનો જ મત મહત્ત્વનો છે, જેને આત્માર્થીપણું નથી, તે ગમે તેટલાં કર્મકાંડો કરે પણ તે સફળ થતાં નથી. આ વાતની ગેરસમજ ન કરશો, જ્ઞાની પુરુષો કર્મકાંડનો નિષેધ કરતાં નથી, ના પાડતાં નથી પરંતુ એમ કહે છે કે કંઈક તો વિચાર કરો, દળી દળીને ઢાંકણીમાં ઉઘરાવ્યું, હાથમાં શું આવ્યું? ગુજરાતીમાં કહેવત છે કે “આંધળો દળે, અને વાછરડો ચાટે.’ હાથમાં કંઈ ન આવે. અહીં આટલું બધું કરવા છતાં આત્મા પ્રાપ્ત થતો નથી, તેનું કારણ એ છે કે તે જે કંઈ કરે છે, તેનું લક્ષ મતને પોષવાનું જ છે. તેનું લક્ષ આત્મા નથી. આપણે તેને કહીએ કે તારે આ કરવા જેવું છે, તો કહેશે ના, ના, આમાં કંઈ ફેરફાર કરવા જેવો નથી. આ જ સાચું છે. આ મતાર્થીને આત્મલક્ષ ન થાય. શ્રીમદ્જીએ કહ્યું કે, હોય મતાર્થી તેહને, થાય ન આતમલક્ષ. આતમલક્ષ થયા સિવાય આત્મજ્ઞાન ન થાય અને આત્મજ્ઞાન થયા સિવાય આત્મધ્યાન ન થાય. આત્મધ્યાન ન થાય તો સર્વ કર્મનો ક્ષય ન થાય, અને સર્વ કર્મના ક્ષય વિના મોક્ષ પ્રાપ્તિ ન થાય. મતમાં અટવાઈને આખું જગત ઊભું રહ્યું છે, અને જગતના તમામ ક્ષેત્રોમાં, મોટે ભાગે ધાર્મિક ક્ષેત્રમાં જીવનારાં માણસો હંમેશા પોતાનાં મતને સિદ્ધ કરવા અને સત્ય ઠરાવવા પ્રયત્નો કરે છે. મતાર્થીનાં લક્ષણો જાણવાં ખૂબ જ જરૂરી છે. ઓળખી લેજો કે મતાર્થી કેવો હોય? બીજા સામે જોવાની જરૂર નથી. આપણી જાત સામે જોવાની જરૂર છે કે આપણે તો મતાર્થીના ખાનામાં આવતાં નથી ને? જો આત્માર્થીની વાતો કરીએ અને હોઈએ મતાર્થીના ખાનામાં તો મેળ નહિ પડે. આ મતાર્થીપણું કેવું હોય? તેના શું લક્ષણો હોય? કઈ રીતે તેનો ખ્યાલ આવે? તેની એક એક રીતનું સંક્ષેપમાં વર્ણન કરવાનો કૃપાળુદેવપ્રારંભ કરે છે, અને પ્રારંભ કરતાં પહેલાં સ્પષ્ટતા કરે છે કે અમે જે કહીએ છીએ તે નિષ્પક્ષપણે કહીએ છીએ. અમારો કોઈ પક્ષ નથી અમારો કોઈ મત નથી. જો મત હોય તો અમને કહેવાનો અધિકાર નથી. જગતમાં નિષ્પક્ષ થવું અત્યંત કઠિન છે. માણસ જ્યાં જ્યાં જાય ત્યાં ત્યાં પોતાનો પક્ષ ધારણ કરે છે. કાં તો Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005521
Book TitleAtmasiddhishastra Part 01
Original Sutra AuthorShrimad Rajchandra
AuthorBhanuvijay
PublisherSatshrut Abhyas Vartul
Publication Year2011
Total Pages492
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy