SearchBrowseAboutContactDonate
Page Preview
Page 303
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૫૨ પ્રવચન ક્રમાંક - ૨૨, ગાથા ક્રમાંક - ૨૩, ૨૪ નિશ્ચયનયનો પક્ષ, કાં તો વ્યવહારનયનો પક્ષ, કાં તો નિમિત્તનો પક્ષ, કાં તો ઉપાદાનનો પક્ષ, કાં તો જ્ઞાનનો, કાં તો ક્રિયાનો, કાં તો બાહ્ય કર્મકાંડનો પક્ષ, કાં તો ધ્યાનનો પક્ષ, કાં તો તપનો પક્ષ, પણ પક્ષ તો ખરો જ ખરો. પક્ષ લઈને જ વાત કરે છે. અમારે સંપૂર્ણપણે નિષ્પક્ષ વાત કરવી છે. હોય મતાર્થી તેહને, થાય ન આતમ લક્ષ, તેહમતાર્થી લક્ષણો, અહીં ક્યાંનિપેક્ષ. અહીં પક્ષપાત રહિત કહીશ. અમારી પાસે એક તો પક્ષપાત નથી, અને બીજી વાત એ કે કોઈની નિંદા કરવાનો અમારો હેતુ નથી. ત્રીજી વાત, અમે જે વાત કહીએ છીએ તે અમારી સામે જે એક પાત્ર છે, તે પાત્રનું કલ્યાણ થાય, હિત થાય, ભલું થાય એવું લક્ષ રાખી વાત કરીશું. એ પાત્ર આત્માર્થીનું છે. હવે અમે અમારું ધ્યાન જગતમાંથી પાછું ખેંચી લીધું. મતાર્થી, કામાર્થી, સત્તાર્થી કે ધનાર્થી ઉપર ધ્યાન નથી. અમારું ધ્યાન માત્ર આત્માર્થી ઉપર છે. જેને આત્માનું પ્રયોજન છે, આત્માનું હિત કરવું છે, આત્મકલ્યાણ કરવું તે જ જેની દૃષ્ટિ છે, નિષ્પક્ષપણે મતાર્થનો ત્યાગ કરી, જેને માત્ર સાધના કરવી છે એવા આત્માર્થી પાત્ર માટે અમે વાત કરી રહ્યા છીએ. આ કહેવાથી આગ્રહી, કદાગ્રહી, સંપ્રદાય અને મત માન્યતાવાળા છૂટ્યા. તેના ઉપર કામ કરવું ઘણું મુશ્કેલ છે. એમને બદલવા ઘણાં મુશ્કેલ છે. તેમને આગ્રહમાંથી બહાર લાવવા મુશ્કેલ છે. દરિયામાં ડૂબતો હોય તો બહાર કાઢી શકાય, ઊંડા કૂવામાંથી પણ બહાર કાઢી શકાય પણ મતાર્થીને મતનાં કૂવામાંથી બહાર કાઢવો ઘણો મુશ્કેલ છે. એ કુવામાં રહીને અનંતકાળ સુધી અનંત પ્રકારનાં સાધનો કરે છે તેથી તેમના માટે કહ્યું કે, ‘તદપિ કછુ હાથ હજાન પર્યો', આટલું બધું કરવાં છતાં હજુ કંઈ હાથમાં આવ્યું નથી, કંઈ પાર પડ્યું નથી. હવે મતાર્થીનાં લક્ષણો કહીએ છીએ, અહીં ક્રમ પાડેલાં છે, અને એ ક્રમ હેતુપૂર્વક છે. આધ્યાત્મિક માર્ગમાં સૌથી વધારે મહત્ત્વનું સાધન સતપુરુષ-સગુરુ છે. બીજું સાધનતીર્થંકર પરમાત્મા છે. ત્રીજું સાધન-સશાસ્ત્રો છે અને ચોથું સાધન-બહારની પ્રક્રિયા છે. એ ચારેમાં કેવું મતાર્થીપણું છે તેની વાત કરવી છે તે ક્રમથી કરશે. પહેલી વાત, બાહ્ય ત્યાગ', ત્યાગ ઉત્તમ વસ્તુ છે, શ્રેષ્ઠ વસ્તુ છે, ત્યાગનો નિષેધ કદી પણ જ્ઞાની પુરુષ કરતાં નથી. ત્યાગનો તો ઉપદેશ આપે છે. આ પહેલાં, એક ગાથામાં પરમકૃપાળુદેવે કહ્યું છે કે, Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005521
Book TitleAtmasiddhishastra Part 01
Original Sutra AuthorShrimad Rajchandra
AuthorBhanuvijay
PublisherSatshrut Abhyas Vartul
Publication Year2011
Total Pages492
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy