SearchBrowseAboutContactDonate
Page Preview
Page 301
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૫૦ પ્રવચન ક્રમાંક - ૨૨, ગાથા ક્રમાંક - ૨૩, ૨૪ એના પુત્રોએ અને મંદોદરીએ પણ સમજાવ્યો. ન સમજ્યો, તે ખતમ થઈ ગયો, આ છે કામવાસના-કામનો રાગ. શ્રી હેમચંદ્રાચાર્યજીને કહેવું છે કે સ્નેહરાગ છોડી શકાય પરંતુ કામરાગ છોડવો કઠિન છે. તેને પણ મુશ્કેલીથી છોડી શકાય પરંતુ એ બધા કરતાં દૃષ્ટિરાગ ભયંકર છે. દૃષ્ટિરાગ એટલે પોતે માનેલા અને સ્વીકારેલા મત પ્રત્યે જે રાગ, જે મમત્વ, જે મૂર્છા તેને કહેવાય છે દૃષ્ટિરાગ. આખો સંસાર છોડ્યો, ઉગ્રમાં ઉગ્ર તપ કરે છે, માખીની પાંખ પણ ન દુભાય તેવું ચારિત્ર પણ પાળે છે, પરંતુ મારો જે મત છે તે જ સત્ય છે એવો જે આગ્રહ, એ મતને સાચવવાની ચિંતા, એ મતમાં સમાવાની ચિંતા અને એ મતને સત્ય ઠરાવવાની ચિંતા કરવી અને તે માટે તમામ શાસ્ત્રોને કામે લગાડવા તેને કહેવાય છે મતાર્થીપણું. ક્યાં જીવ અટકીને ઊભો રહ્યો છે? મારો મત સાચો છે તેને સિદ્ધ કરવા તે તમામ બુદ્ધિનો ઉપયોગ કરે છે, તમામ શાસ્ત્રોનો ઉપયોગ કરે છે, એને આત્માની, પરમ તત્ત્વની પડી નથી. ધનાર્થી પણ આવાં જ હોય છે. ધન પાછળ પાગલ છે એ તમે જોયું હશે, એ ખાતો પીતો નથી, શાંતિથી જીવતો નથી, કુટુંબ સાથે મળતો નથી, બાળકો સાથે વાતો કરવાનો ટાઈમ નથી, ઘરવાળી કહે તો પણ તેની સાથે પાંચ મિનિટ બેસતો નથી, તે કહે છે કે મારે ઘણું કામ છે, આવો છે ધનાર્થી. સત્તાની પાછળ જે પડ્યાં છે, તે છે સત્તાર્થી અને કામવાસના પાછળ જે પડ્યા છે તે કામાર્થી. પોતાનાં જ સુખ માટે જે ચિંતા કરે છે તે સ્વાર્થી. પરંતુ ધનાર્થી, કામાર્થી, સત્તાર્થી અને સ્વાર્થી કરતાં પણ મતાર્થી વધારે આગ્રહથી ભરેલો છે. ધનાર્થી કદાચ ધન છોડી દે, સત્તાર્થી કદાચ લોકસભામાંથી રાજીનામું આપી દે, એ શક્ય બનશે પરંતુ મતાર્થી પોતાનો અભિપ્રાય છોડે તે શક્ય નથી. મતાર્થી જીવને અધ્યાત્મમાર્ગમાં પ્રવેશ મળતો નથી. અનંતકાળથી અનંતવાર આ સાધનોનો ઉપયોગ કરવાં છતાં, જીવનાં હાથમાં કંઈ ન આવ્યું, તેનું કારણ એ છે કે તેનું લક્ષ મત ઉપર છે, આત્મા ઉપર નથી. જેનું લક્ષ મત ઉપર છે તેનાં બધાં બાહ્ય સાધનો નિષ્ફળ જાય છે, તેનામાં કામ કરી શકતાં નથી. આવી વાત પરમકૃપાળુદેવે તો કરી જ છે અને દેવચંદ્રજી મહારાજે પણ કહ્યું કે, આદર્યું આચરણ લોક ઉપચારથી, શાસ્ત્ર અભ્યાસ પણ કાંઈ કીધો, શુદ્ધ શ્રદ્ધાન વળી, આત્મ અવલંબન વિનુ, તેહવો કાર્ય તિણે કો ન સીધો. બીજા સંતોએ પણ કહ્યું છે કે અનેક જુગ વીત્યાં રે, એને પંથે ચાલતાં, હજુએ ન આવ્યો મારગડાંનો અંત. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005521
Book TitleAtmasiddhishastra Part 01
Original Sutra AuthorShrimad Rajchandra
AuthorBhanuvijay
PublisherSatshrut Abhyas Vartul
Publication Year2011
Total Pages492
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy