________________
આત્મસિદ્ધિશાસ્ત્ર પ્રવચનમાળા
૨૪૯ તેનું કારણ સાધન ખોટાં છે તેમ નહિ, પણ મતાર્થીપણું મટ્યું નથી, અને આત્માર્થીપણું હજુ આવ્યું નથી. આત્મા એ જ એનું પ્રયોજન, આત્મા એ જ એનું લક્ષ, આત્મા એ જ એની ચિંતા, એનો જ વિચાર, આત્મા એ જ પ્રાપ્તવ્ય, એવી ધૂન જેનામાં હોય તેને કહેવાય છે આત્માર્થી. મતાર્થીનાં લક્ષણો છોડવા જેવાં છે-હેય રૂપ છે, પણ તેને સમજવા માટે પક્ષપાત કે નિંદાના ઉદ્દેશ વગર, આત્માર્થીના ઉપકાર અર્થે અમે તે કહેવાનો પ્રારંભ કરીએ છીએ.
મતાર્થી શબ્દ સમજી લેજો, અર્થ એટલે પ્રયોજન, હેતુ અથવા લક્ષ. જેના જીવનમાં પોતાનો મત એ જ હેતુ છે, એ જ જેનું લક્ષ છે, અને એ જ જેનું પ્રયોજન છે તે મતાર્થી. મત એટલે શું? વીતરાગદશા અપ્રાપ્ત એવો અસર્વજ્ઞ-એટલે કે જે બધું જાણતો નથી એવો અર્થ જ્ઞાની અથવા ખંડિત જ્ઞાની અથવા અજ્ઞાની, જે શાસ્ત્રો જાણે છે, સિદ્ધાંત જાણે છે. વેદ ઉપનિષદો જાણે છે, પુરાણો જાણે છે, ને તે બીજાને ઉપદેશ આપે છે આવા આ અજ્ઞાનીના અભિપ્રાયે કરેલો તત્ત્વનો ખંડિત અને અપૂર્ણ નિર્ણય, ધર્મનો નિર્ણય એને કહેવાય છે મત.
પોતે અજ્ઞાની હોવા છતાં, પોતાનો અભિપ્રાય અને પોતાના મતનો આગ્રહ એ જ સત્ય છે અને તેને વિચારવાની જરૂર નથી, અમને કહેવાની કે સમજાવવાની જરૂર નથી, શાસ્ત્રોના પાઠ આપવાની જરૂર નથી, એ સો ટકા સાચા છે અને તમે સો ટકા ખોટાં છો, આવો જેનો આગ્રહ છે, એ મતનો જ જેને રાગ છે, પોતાના મતનું જ જેને મહત્ત્વ છે તેને કહેવાય છે મતાર્થી. ધનનો રાગ છૂટી શકે, સ્ત્રી, પુત્ર, કુટુંબ, દેહ અને સત્તાનો રાગ છૂટી શકે, પદાર્થોનો રાગ છૂટી શકે, પણ મતનો રાગ છૂટી શકતો નથી. મતનો રાગ બળવાન છે. તેથી સંસારનો પરિત્યાગ કર્યા પછી, મુનિ જીવન સ્વીકાર્યા પછી, બધું જ છોડ્યા પછી, પોતાના મતને છોડી શકતો નથી તેને કહેવાય છે મતાગ્રહી. ત્યાગ કર્યો, પણ મતને પુષ્ટ કર્યો.
શ્રી હેમચંદ્રાચાર્યે રાગ ત્રણ પ્રકારનાં ગણાવ્યાં છે. સ્નેહ રાગ, કામરાગ અને દૃષ્ટિરાગ. વાત્સલ્યનો ભાવ એ સ્નેહ રાગ છે જેમ કે મા, દીકરો, ભાઈ, મિત્ર, સાથી, સ્વજનો, સંબંધીઓ, એમનાં પ્રત્યે જે રાગ, આસક્તિ, મમત્વ છે તે નેહરાગ. સ્ત્રી પુરુષ વચ્ચે વિજાતીયતાના કારણે જે રાગ થાય તે કામરાગ. કામરાગ છૂટતો નથી. માએ દીકરાને મોટો કર્યો, કેટલાય સમણાં રાખ્યાં હશે કે દીકરો મોટો થશે, મારી સેવા કરશે, મારી સાથે રહેશે, એને બહુ લાડકોડથી પરણાવે અને છ મહિના પછી દીકરો કહેશે કે મા ! તમે અને અમે જુદા રહીએ, આનંદ આવશે. તમને કે અમને કોઈને તકલીફ નહિ. આ દીકરાને સ્નેહ રાગ ગયો અને કામનો રાગ આવ્યો. સ્નેહ રાગ છૂટી શકે છે પરંતુ કામરાગ છોડવો મુશ્કેલ છે. રાગના કારણે રાવણ ખતમ થઈ ગયો, બરબાદ થઈ ગયો. રાવણને વિભિષણે,
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org