SearchBrowseAboutContactDonate
Page Preview
Page 299
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪૮ પ્રવચન ક્રમાંક - ૨૨, ગાથા ક્રમાંક - ૨૩, ૨૪ પર્યુષણમાં ઉપવાસ કર્યા છે અને જમણવાર કરી ઢોલ નગારાં પણ વગાડ્યાં છે, આવા સાધનો અનંતવાર કર્યા છે, પરંતુ જરા તો વિચારો, કે અનંતવાર સાધનો કરવા છતાં હજુ કંઈ સફળતા મળી નથી. વલોણું બે કલાક કર્યું, હાથ દુખવા આવ્યાં પણ માખણ હાથ ન આવ્યું. જુઓ તો ખરા કે વલોણું દહીનું કર્યું કે પાણીનું કર્યું? અનંતવાર સાધનો કર્યા પણ કંઈ હાથ લાગ્યું નથી. જ્ઞાની પુરુષો કહે છે કે કંઈક એવું બળવાન કારણ હોવું જોઈએ કે જેના કારણે તે બધાં સાધનો નિષ્ફળ ગયાં છે, અને એ કારણોમાં એક જ મુખ્ય કારણ છે મતાર્થીપણું. મતાર્થી અને આત્માર્થી એ બે ધારાઓ જુદી છે. જે મતાર્થી છે તે આત્માર્થી નથી, અને જે આત્માર્થી છે તે માર્થી નથી. હોય મતાર્થી તેહને, થાય ન આતમ લક્ષ, તેહ મતાર્થી લક્ષણો, અહીં કહ્યા નિર્પક્ષ. (૨૩) : આ મહત્ત્વની ગાથા છે. જે મતાર્થી હોય તેને આત્માનું લક્ષ થતું નથી. સાધનો તો અનંતવાર કર્યા છે પણ આત્મજ્ઞાનનું લક્ષ ન હતું. બાણ તો ફેંક્યા, પરંતુ નિશાન તાક્યા વગર, લક્ષ નક્કી કર્યા વગર. એવા મતાર્થી જીવનાં અહીં લક્ષણો કહ્યાં છે. તે કહેતાં પહેલાં એક સ્પષ્ટતા કરી લઈએ કે, અમે જે કહેવાના છીએ તેમાં કોઈનો પક્ષ લેતાં નથી. જે સત્ય હશે તે નિષ્પક્ષપણે કહીશું. જેનામાં મતાર્થીનાં લક્ષણો હોય તેવાં જીવને આત્માનો લક્ષ થતો નથી. અને આત્માનો લક્ષ થયા વગર આત્મસાધના થતી નથી. આત્મસાધના વગર આત્મ-અનુભૂતિની, સમ્યગદર્શનની ઘટના ઘટતી નથી. સમ્યમ્ આચરણ થતું નથી. અને સમ્યક ચારિત્ર વગર, સમ્યક તપ વગર રાગદ્વેષનો ક્ષય થતો નથી. રાગદ્વેષના ક્ષય વગર વીતરાગતાની પ્રાપ્તિ થતી નથી, સર્વજ્ઞ અવસ્થા મળતી નથી. મોક્ષની ઘટના તો સૌથી છેલ્લી ઘટના છે. આત્માર્થ અને મતાર્થ એ બંનેને પ્રકાશ તથા અંધકારની જેમ વિરોધ છે. અંધકાર હોય ત્યાં પ્રકાશ ન હોય અને પ્રકાશ હોય ત્યાં અંધકાર ન હોય. એક દિવસ અંધકારે સુપ્રીમ કોર્ટમાં કેસ દાખલ કર્યો અને કહ્યું “સાહેબ ! આ પ્રકાશ મારી પાછળ પડ્યો છે. મને જંપીને રહેવા દેતો નથી. તમે કંઈક ગોઠવણ કરી આપો.' મુખ્ય ન્યાયાધીશે કહ્યું, ‘તમારી વાત સાચી હશે, પણ મારે તમારી હાજરીમાં સૂર્યને બોલાવી જાબાની લેવી પડશે.' સૂર્યને બોલાવ્યો ત્યાં અંધકાર ગાયબ. સૂર્ય હોય ત્યાં અંધકાર ન હોય અને અંધકાર હોય ત્યાં સૂર્ય ન હોય. તેવી રીતે જ્યાં આત્માર્થીપણું હોય, ત્યાં મતાર્થીપણું ન હોય અને મતાર્થીપણું હોય ત્યાં આત્માર્થીપણું ન હોય. “વહ સાધન બાર અનંત કિયો, તદપિ કછુ હાથ હજુ ન પર્યો.” Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005521
Book TitleAtmasiddhishastra Part 01
Original Sutra AuthorShrimad Rajchandra
AuthorBhanuvijay
PublisherSatshrut Abhyas Vartul
Publication Year2011
Total Pages492
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy