SearchBrowseAboutContactDonate
Page Preview
Page 296
Loading...
Download File
Download File
Page Text
________________ આત્મસિદ્ધિશાસ્ત્ર પ્રવચનમાળા ૨૪૫ સમજાવવો સહેલો છે, બહુ મુશ્કેલ નથી. અજ્ઞાનીને સમજાવવો પણ બહુ મુશ્કેલ નથી, કારણ કે તેની પાટી કોરી છે. પરંતુ જે પૂરો જ્ઞાની પણ નથી અને પૂરો અજ્ઞાની પણ નથી ને હું જાણું છું તેવો જેને અહંકાર છે તેને સમજાવવો બહુ મુશ્કેલ છે. હાહિતં નરં રંગતિ. સાક્ષાત બ્રહ્મા આવે તો પણ આ માણસને સમજાવી ન શકે. “મતાર્થી જીવ હોય તે અવળો નિર્ધાર કરે', એટલે કાં તો પોતે સિદ્ધાંતને જે રીતે સમજવો જોઈએ તે રીતે સમજતો નથી, અથવા અસગુરુને વિષે સદ્દગુરુની ભ્રાંતિ રાખી આ વિનયમાર્ગનો ઉપયોગ કરે છે. અસદ્ગુરુ ક્યારેય પણ પોતાની ઓળખાણ નહિ આપે કે અમે સદ્ગુરુ નથી, જેમ સદગુરુ ક્યારેય કહેતા નથી કે અમે સદ્ગુરુ છીએ. અસદ્દગુરુ એમ જ કહેશે કે અમે સદ્ગ છીએ. કબીરજી કહે છે કે “હીરા મુખસે ના કહે, લાખ હમારા મોલ.” હીરો પોતાના મુખથી ક્યારેય કહેતો નથી કે અમારું મૂલ્ય લાખથી પણ વધારે છે, અથવા અમે મણિ, મોતી, માણેકથી વધારે છીએ. ખરેખર જો સદ્ગુરુ પોતાની ઓળખાણ આપે તો, લોકોને તપાસ ન કરવી પડે કે પ્રત્યક્ષ સદ્ગુરુ કોણ? પરોક્ષ કોણ? એ ક્યાં મળે? કેમ ઓળખવાં? કઈ રીતે જાણવા? સદ્ગુરુ ન હોય તો શું થાય? આવા ઘણાં બધાં પ્રશ્નો ઉકલી જાય. અસદ્ગુરુ અમે સદ્ગુરુ છીએ તેવી ભ્રમણા ઉત્પન્ન કરે છે, અને એ ભ્રાંતિનો લાભ લઈને શાસ્ત્રોમાં જે વિનયનો માર્ગ કહ્યો છે, એ વિનયના માર્ગનો ઉપયોગ કરે છે. મુમુક્ષુ કે વિચારવાન જીવ હોય તે જન્મ-મરણથી ભય પામી સપુરુષોનો વિનય ભક્તિ પોતે કરે, પરંતુ સપુરુષ હોય તે બીજા પોતાની ભક્તિ કરે તેવું ક્યારેય ઈચ્છે નહિ. આ ગંભીર શબ્દો સમજી લેજો કે અસગુરુ પ્રત્યે વિનય કરવો નિરર્થક છે, તે ઉપરાંત મિથ્યામાર્ગને ઉત્તેજન આપવા જેવું છે. એમ સમજીને મુમુક્ષુ હોય તે અસદ્ગુરુને તજી દે છે, પણ મતાર્થી જીવની સમજણ ઊલટી હોવાથી પોતાને લાભ નથી તેવી વિનય આદિની ઈચ્છા રાખી માનાદિ શત્રુઓને પોષે છે. વિનય કોઈ ન કરે તો ઠેષ રાખે છે. માનની ભૂખથી પીડાઈને તમારું કલ્યાણ અમારા પ્રત્યેના વિનયથી થાય છે તેમ પોતે કહ્યા કરે છે. આ રીતે વિનયમાર્ગનો દુરુપયોગ કરે છે. મતાર્થી, મુમુક્ષુ અને આત્માર્થી આ ત્રણ શબ્દોને સમજવા કોશિશ કરજો. મુમુક્ષુને તાલાવેલી હોય છે પણ મતાર્થી પાસે ગમે તે તત્ત્વની વાત મૂકવામાં આવશે તો સમ્યક પ્રકારે, યથાર્થપણે સમજવું જોઈએ તેમ નહિ સમજે. તે અવળો નિર્ણય કરે છે. કલ્પસૂત્રની ટીકામાં એક નાનકડી ઘટનાનું વર્ણન કર્યું છે. એક માતા પિતાએ નાના છોકરાને કહ્યું કે વડિલોની સામે બોલવું નહિ, તેમાં તારી શોભા છે.' છોકરાએ કહ્યું કે “ભલે.” એક દિવસ મા બાપ બહાર ગયા અને છોકરાએ અંદરથી બારણું બંધ કર્યું. મા બાપ પાછા આવ્યાં અને Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005521
Book TitleAtmasiddhishastra Part 01
Original Sutra AuthorShrimad Rajchandra
AuthorBhanuvijay
PublisherSatshrut Abhyas Vartul
Publication Year2011
Total Pages492
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy