SearchBrowseAboutContactDonate
Page Preview
Page 295
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪૪ પ્રવચન ક્રમાંક - ૨૧, ગાથા ક્રમાંક - ૨૨ નંબર આવે મુમુક્ષુતાનો. મુમુક્ષુ બહુ બુદ્ધિશાળી છે એવું ન સમજતાં, મુમુક્ષુએ ઘણાં શાસ્ત્રો વાંચ્યા છે તેવું ન સમજશો, પરંતુ મુમુક્ષુ એ સરળ છે. તેનું હૃદય તૈયાર છે. તેની જીવન ધરતી તૈયાર છે. સદગુરુ ખેડૂતને જે ધાન વાવવું હોય તે વાવી શકે અને વાવેલું ઊગી શકે તેવી તેની તૈયારી છે. આપણે તો બિયારણ નકામું વેડફીએ છીએ. લોકો વાવ્યા કરે છે પણ ઊગતું નથી. જો ઊગવા દઈએ તો કામ થાય ને ! જે મુમુક્ષુ હશે તે મોક્ષ પ્રાપ્ત કરવા બધી કિંમત ચૂકવવા તૈયાર છે. જન્મ અને મરણનો જેને અત્યંત કંટાળો આવેલ છે, અને સંસારના તમામ બંધનોમાંથી મુક્ત થવાની જેને તાલાવેલી જાગી છે, તે મુમુક્ષુ છે. વાછરડાંને ખીલે બાંધવા જઈએ તો તે તેની તમામ તાકાત વાપરીને પોતાને ખીલે બંધાવા દેતો નથી. તે જાણે છે કે એક વખત જો બંધાણા તો બંધાણા, પછી છૂટકારો નહિ થાય. પરંતુ જબરો રબારી તેને બાંધે તો બધી તાકાત વાપરી ખીલો ઉખેડી નાખશે, કારણ કે તેને બંધન સહન થતું નથી. તેવી જ રીતે સંસારના બંધન જેને ગમતાં નથી તે સંસારથી બંધાતો નથી. તમારે બંધાવાની જરૂર નથી, તમે બંધાઈ ગયેલાં જ છો. એક બીજી વાત પણ એ છે કે એક વખત જ બંધાઈ ગયાં તો બીજી વખત બંધનની ટેવ પડી ગઈ. અને જ્યારે ખેડૂત ખેતરેથી પાછો આવીને કહેશે કે ખીલે જા, તો બળદ ત્યાં જઈ ઊભો રહેશે, તેને ફરી કહેવું નહિ પડે. તમે પણ પ્રવચન સાંભળી પાછાં સંસારમાં, તમને કહેવું નહિ પડે. મોક્ષ માટે તીવ્રતા જેનામાં જાગી છે તે ધન્નાજી એમ કહે છે કે “મા! હવે હું આ સંસારમાં નહીં રહું. કેમ ? હવે આ બંધન સહન થતું નથી. આ જન્મ-મરણ સહન થતાં નથી.” જન્મ મરણનો કંટાળો જેને આવ્યો છે, અને મોક્ષ પ્રાપ્ત કરવાની તાલાવેલી જેનામાં જાગી છે, અને મોક્ષ પ્રાપ્ત કરવા જે કિંમત ચૂકવવી પડે તે કિંમત ચૂકવવા પોતે તૈયાર થયો છે, તેને કહેવાય છે “મુમુક્ષુ'. આ અદ્ભુત પાત્ર છે, આધ્યાત્મિક સાધનામાં આ જ પાત્ર સાધના કરી શકશે, અને એ સાધના કરવા તૈયાર છે. પરમકૃપાળુદેવ એમ કહે છે કે... હોય મુમુક્ષુ જીવ તે, સમજે એહ વિચાર, હોય મતાર્થી જીવ તે, અવળો લે નિર્ધાર. જ્ઞાની પુરુષોએ સ્પષ્ટતા કરવામાં કંઈ જ બાકી નથી રાખ્યું. જે મોક્ષાર્થી જીવ હોય તે આ વિનયમાર્ગ આદિનો વિચાર સમજે, અને જે મતાર્થી હોય તે તેનો અવળો નિર્ધાર લે. તે સમજે તો નહિ પણ અવળો નિર્ણય લે, વિપરીત નિશ્ચય કરે. આ મોટી ઉપાધિ. ન સમજે તો એક જ વાત, પણ જે નિર્ણય કરે તે અવળો જ કરે. જે અવળો નિર્ણય કરે છે, તેને સપુરુષનો યોગ થાય તો પણ તેને સમજાવવો મુશ્કેલ પડે છે. ભર્તુહરીએ કહ્યું કે ત્રણ જાતનાં મનુષ્યો છે. એક જ્ઞાની, એક અજ્ઞાની, અને એક દુર્વિદગ્ધ એટલે વચલો. જ્ઞાનીને Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005521
Book TitleAtmasiddhishastra Part 01
Original Sutra AuthorShrimad Rajchandra
AuthorBhanuvijay
PublisherSatshrut Abhyas Vartul
Publication Year2011
Total Pages492
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy