SearchBrowseAboutContactDonate
Page Preview
Page 294
Loading...
Download File
Download File
Page Text
________________ આત્મસિદ્ધિશાસ્ત્ર પ્રવચનમાળા ૨૪૩ છે. તમને નવાઈ લાગશે કે આસ્તિક દર્શનોના સ્થાન છે, એમનાં મંદિરો અને આશ્રમો છે, એમની ગોઠવણ અને વ્યવસ્થા છે, સંન્યાસીઓ અને ઉપદેશકો પણ છે, એમની ઓફિસો છે, પરંતુ ચાર્વાકની કોઈ વ્યવસ્થા આ જગતમાં નથી. એમનું કોઈ સંગઠન નથી, જાણે આખું જગત ચાર્વાક જ બની ગયું છે. ચાર્વાક શબ્દનો અર્થ એ થાય કે ચારુ વાક, જેની વાત સાંભળવી આપણને ગમે. ચાર્વાક એમ કહે છે કે – “avi 9ત્વા કૃતં પિતા’ દેવું કરીને ઘી પીવો, ઘી કેળા ખાવ. ચિંતા કરશો નહિ, બેંકમાંથી જેટલી લોન લેવાય તેટલી લો. પાછી કોને આપવાની છે? બેંક ફડચામાં જશે. તમને શું વાંધો છે? કોણ જન્મ લેવાનું છે ? અને કોણ પાછું આવવાનું છે? કોઈએ ઉપર ગયા પછી તમને કહ્યું કે હું આ જગ્યાએ છું? પરદેશી રાજાએ કેશીકુમારને કહ્યું કે, “મહારાજ ! તમે કહો છો ને કે પરલોક છે, મારા દાદા તો બહુ દુરાચારી અને નાસ્તિક હતા, મદિરાપાન કરતાં હતાં, અને તમારા કહેવા પ્રમાણે ચોક્કસ નર્કમાં જ ગયા હશે. એમને મારા પ્રત્યે બહુ હાલ અને પ્રેમ હતો, અને નર્કમાં જો બહુ વેદના ભોગવવાની હોય તો મને યાદ કરીને કહેવા ન આવે કે દીકરા ! તું મારા જેવું કરતો નહિ, નહિ તો બહુ દુઃખ ભોગવવું પડશે. એ કહેવા તો આવ્યા જ નહિ.” અને પછી એમ કહ્યું કે, “મારા દાદીમા બહુ ધાર્મિક હતા. તેઓ તપ, જપ, વ્રત, અનુષ્ઠાન કરતાં હતાં. તો સ્વર્ગમાં ગયેલા તેઓ મને જોતાં તો હશે કે હું મદીરાપાન, હિંસા, જુગાર બધું કરું છું. મારા દાદીમાને મારા ઉપર બહુ વ્હાલ હતું, તો સ્વર્ગમાં ગયેલા તેઓ મને કહેવા ન આવે કે બેટા ! પાપકર્મો બંધ કર ને સત્કર્મો કર, જેથી તું મારી જેમ સદ્ગતિમાં સુખ પામીશ.' તેઓ બન્નેમાંથી કોઈ પણ મને કહેવા આવ્યા નથી, માટે છોડો આ બધી વાત કેશીકુમાર !' મૃત્યુ પછી જન્મ છે અને શાશ્વત કોઈ તત્ત્વ છે તેથી નિત્ય અને અનિત્ય બને પદાર્થને જાણવાં. જો નિત્ય તત્ત્વ ન હોય તો સાધના કોણ કરશે? ધર્મ કોણ કરશે? ધ્યાનની શું જરૂર છે? અને ભક્તિની પણ શું જરૂર છે? તો નિત્યને પણ જાણી અને અનિત્યને પણ જાણો. બીજું સૂત્ર - (૧) શમ (મનનો નિગ્રહ) (૨) દમ (ઈદ્રિય નિગ્રહ) (૩) શ્રદ્ધા (૪) સમાધાન (૫) ઉપરતિ (સંસારના પદાર્થોમાંથી મન વિરમી જાય) () તિતિક્ષા (સુખ દુઃખ આદિ દ્વન્દ્રોને સમભાવે સહન કરવા) આ સાધકની ષડગુણ સંપત્તિ છે. ત્રીજું સૂત્ર - આ લોકનાં અને પરલોકનાં ભોગો પ્રત્યે વૈરાગ્ય. ચોથું સૂત્ર - મુમુક્ષુતા. આ ચાર સાધનો જેની પાસે હશે, તે આત્મજ્ઞાનની પ્રક્રિયા શ્રવણ, મનન અને નિદિધ્યાસનમાં ઢળી શકશે. આ સાધન ચતુષ્ટય છે. એમાં ચોથો નંબર અને મહત્ત્વનો Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005521
Book TitleAtmasiddhishastra Part 01
Original Sutra AuthorShrimad Rajchandra
AuthorBhanuvijay
PublisherSatshrut Abhyas Vartul
Publication Year2011
Total Pages492
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy