SearchBrowseAboutContactDonate
Page Preview
Page 297
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪૬ પ્રવચન ક્રમાંક - ૨૧, ગાથા ક્રમાંક - ૨૨ બહારથી સાંકળ ખખડાવી. તે અંદર બેઠો હતો. બારણું ન ઉઘાડ્યું. તેથી તેઓ ઘરમાં વંડી ઠેકીને પાછળના રસ્તાથી ઘરમાં આવ્યા. આવીને પૂછ્યું કે, તું કેમ ન બોલ્યો, બારણું કેમ ન ખોલ્યું? તો કહે કે “તમે જ કહ્યું હતું કે સામે બોલવું નહિ.' આ અવળો નિર્ધાર. આવા લોકો સામે સગુરુની શી હાલત થતી હશે તે વિચારો. મતાર્થી વિનય માર્ગનો દુરુપયોગ કરે છે અને અસગુરુને પોતાનું માન પોષવાની મીઠાશ આવે છે. જો કોઈ એમ કહે કે ગુરુ મહારાજ માથે હાથ મૂકે અને રોગ મટી જાય, તેવી લબ્ધિવાળાં છે, ત્યાં ડોકું હલાવે છે. જેટલી શુશ્રુષા, સેવા અને બહુમાન મળે તે બધાને કારણે પોતાનું માન પોષ્યા કરે છે. પોતાનું માન પોષવું તે હલાહલ ઝેર કરતાં પણ કાતિલ ઝેર છે. મતાર્થી જીવને પોતાના કુળધર્મનો પણ આગ્રહ વધારે છે, તેથી તે સત્ય જાણી શકતો નથી, માટે કહ્યું કે, હોય મતાર્થી જીવતે, અવળો લે નિર્ધાર, અને હોય મુમુક્ષુ જીવતે, સમજે એહવિચાર. અમે જે સત્ય કહી રહ્યા છીએ, અમે જે સિદ્ધાંત સ્થાપી રહ્યા છીએ એ કોણ સમજશે? જે મુમુક્ષુ હશે તે સમજશે, અને જે મતાર્થી હશે તે સમજશે તો નહિ, પણ ખોટો અને અવળો નિર્ણય કરશે, અને નિર્ણય કર્યા પછી તેને સમજાવવો મુશ્કેલ છે. હવે આ સૂત્રથી મતાર્થી જીવ કેવો હોય, તેના લક્ષણો કયા કયા હોય? તેનું વિવેચન વિગતવાર કરવાનો પ્રારંભ પરમકૃપાળુદેવ કરશે. નીતિ, સદાચાર, પૂજાપાઠ, ચારિત્ર પાલન આ બધું કરતો હોવા છતાં મતાર્થી જો હોય તો તેને આત્મજ્ઞાનની પ્રાપ્તિ થતી નથી. માર્ગમાં સૌથી મોટો અવરોધ હોય તો મતાર્થીપણું છે. માતા એ છે કે “જેને પોતાનો મત સાચો કરવો છે, જેને પોતાના મતનો આગ્રહ છે, જેને પોતાનો મત બીજા ઉપર લાદવો છે, જેને પોતાનો મત સત્ય ઠરાવવો છે, અને જેને પોતાની માન્યતાનો અત્યંત આગ્રહ છે.” જગતમાં મોટા યુદ્ધો પણ મતાર્થીપણાને કારણે થયાં છે. બે પાત્રો ઓળખવાં પડશે. (૧) મતાર્થી અને (૨) આત્માર્થી. મતાર્થીપણાંને તિલાંજલિ આપવાની છે અને આત્માર્થીપણું પ્રાપ્ત કરવું છે. પરમકૃપાળુદેવ કહે છે કે અમે જ્યારે મતાર્થીની વાત કરીએ છીએ ત્યારે તેની ટીકા કે નિંદા નથી કરતાં, પણ મતાર્થીપણું દૂર થાય તેવી ભાવના રાખી, અમે તેનાં સૂત્રોનું વર્ણન કરીએ છીએ. બહુપ્રેમથી, ધીરજથી, સદ્ભાવથી આ સૂત્રો સમજજો, અને આત્મસાત કરવા પ્રચંડ પુરુષાર્થ કરજો. હવે પછીની ગાથાથી મતાર્થીના લક્ષણોનો પ્રારંભ થશે. ધન્યવાદ આટલી ધીરજપૂર્વક સાંભળ્યું તે બદલ. દરેકના અંતઃકરણમાં રહેલા પરમાત્માને પ્રેમપૂર્વક નમસ્કાર. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005521
Book TitleAtmasiddhishastra Part 01
Original Sutra AuthorShrimad Rajchandra
AuthorBhanuvijay
PublisherSatshrut Abhyas Vartul
Publication Year2011
Total Pages492
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy