SearchBrowseAboutContactDonate
Page Preview
Page 287
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૩૬ પ્રવચન ક્રમાંક - ૨૧, ગાથા ક્રમાંક - ૨૨ આજ્ઞાનું પાલન તો પોલીસખાતું પણ કરે છે અને સૈનિકો પણ કરે છે, અને પરતંત્ર માણસો પણ કરે છે. અહીં પાલન શબ્દ નથી પણ આરાધના શબ્દ છે. આજ્ઞાની આરાધના અહીં કરવાની છે. આજ્ઞાનું પાલન કરવું તેમાં દબાણ છે, ભાર છે, બોજો છે, કરવું પડે તેવો ભાવ છે, જ્યારે આજ્ઞાની આરાધનામાં સમર્પણ અને ભક્તિ છે. જ્ઞાની પુરુષની આજ્ઞાની આરાધના કરવી તે ધર્મ છે, તે તપ છે. બહુ મહત્ત્વની કડી પરમકૃપાળુદેવે મૂકી છે કે, “ગુરુ રહ્યા છઘસ્થ પણ વિનય કરે ભગવાન.” આ કડી મહત્ત્વની એટલાં માટે છે કે આવી અવસ્થા (ભગવત્તા) પ્રાપ્ત થઈ છે, જેમને કોઈપણ જાતની નિયમાવલી રાખવાની જરૂર નથી છતાં તેઓ વિનય કરે છે. આનો કંઈ હેતુ, લક્ષ હોવો જોઈએ, કંઈક ગુપ્તતા હોવી જોઈએ, કંઈક ગંભીરતા હોવી જોઈએ. વિતરાગદેવે વિનયનો માર્ગ એટલા માટે ભાખ્યો કે જે હળુકર્મી છે, જે આરાધક છે, જેનું મન નિર્મળ છે, જેનું અતઃકરણ શુદ્ધ છે, તે જ આ વિનયનો માર્ગસમજી શકશે, હેતુ સમજી શકશે. સમક્તિનાં ૬૭ બોલમાં જ્યારે વિનયની વાત કરી ત્યારે અરિહંતાદિ દેશના પાંચ પ્રકારનાં વિનયની વાત કરી. અરિહંત પરમાત્માનો વિનય, સિદ્ધ પરમાત્માનો વિનય, આચાર્ય ભગવંતોનો વિનય, ઉપાધ્યાય ભગવંતોનો વિજ્ય, સાધુ-સાધ્વીનો વિનય, ધર્મનો વિનય, શાસ્ત્રોનો વિનય, સદગુરુનો વિનય. આ વિનય વિનય શબ્દ જે વારંવાર આવ્યો તેનું એક કારણ છે. વિનય જ્યારે પ્રાપ્ત કરવો હોય ત્યારે સામે કોઈ જીવંત વ્યક્તિ જોઈએ. વિનય એ ભાવ છે, વિનય એ સમર્પણ છે, વિનય પ્રેમની સાધના છે, વિનય એ ભક્તિ છે, વિનય આરાધના છે. કોની આરાધના કરશો ? સામે પાત્ર જીવની કરવી, અને એ પાત્ર છે સપુરુષો. સપુરુષનો યોગ જ્યારે થાય, એમની ઓળખાણ થાય, એમના પ્રત્યે બહુમાન અને પ્રેમ થાય, ત્યારે એ પ્રેમ પ્રગટ કરવાની જે રીત, પદ્ધતિ, તેને કહેવાય છે વિનય, વિનય અભિવ્યક્તિ છે. વિનય પ્રાગટ્ય છે, ભાવની ધારા છે અને વિનય જીવનનો આહલાદ અને આનંદ છે. વિનય કરવો એ પરતંત્રતા નથી, વિનય એ પ્રેમમાંથી ખીલેલું પુષ્પ છે અને એ પુષ્ય જીવનમાં ખીલે છે. વિનય શબ્દ આવે ત્યારે બે વ્યક્તિઓનો સંબંધ આવે છે. એક શિષ્ય અને બીજા સપુરુષ. શિષ્ય અને પુરુષ વચ્ચેનું અનુસંધાન, એમના વચ્ચેની કડી, એમના વચ્ચેનો જેતાલ, એમના વચ્ચેનું ઐક્ય અને આત્મીયતા, તાદાભ્યતા એ વિનય છે. પુરુષ અને શિષ્યનું જોડાણ માત્ર જ્ઞાનથી નહિ થાય, માત્ર વ્રતથી નહિ થાય, એ બંનેનું જોડાણ વિનયથી જ થશે. જેના હૃદયમાં વિનયનો ભાવ છે, તેનામાં નમ્રતા, સરળતા અને સદાચાર તો હોય જ. સદ્ભાવના પણ હોય પરંતુ સૌથી મોટી વાત, તેનામાં અહંકાર ઓગળેલો હોય. જ્યાં સુધી અહંકાર ઓગળેલ ન હોય ત્યાં સુધી વિનયનો ભાવ આવતો નથી. જ્યારે Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005521
Book TitleAtmasiddhishastra Part 01
Original Sutra AuthorShrimad Rajchandra
AuthorBhanuvijay
PublisherSatshrut Abhyas Vartul
Publication Year2011
Total Pages492
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy