SearchBrowseAboutContactDonate
Page Preview
Page 286
Loading...
Download File
Download File
Page Text
________________ આત્મસિદ્ધિશાસ્ત્ર પ્રવચનમાળા ૨૩૫ પ્રવચન ક્રમાંક - ૨૧ ગાથા ક્રમાંક - ૨૨ વિનય માર્ગનો સખ્ય નિર્ધાર હોય મુમુક્ષુ જીવતે, સમજે એહ વિચાર, હોય મતાર્થી જીવ તે, અવળો લે નિર્ધાર. (૨૨) ટીકા જે મોક્ષાર્થી જીવ હોય તે આ વિનયમાર્ગાદિનો વિચાર સમજે, અને જે મતાર્થ હોય તે તેનો અવળો નિર્ધાર લે, એટલે કાંપોતે વિનયશિષ્યાદિ પાસે કરાવે, અથવા અસગુરુને વિષે પોતે સદ્ગુરુની ભ્રાંતિ રાખી આ વિનય માર્ગનો ઉપયોગ કરે. (૨૨) માણસ સદાચારી હોય, નીતિમાન હોય, તપ, ત્યાગ, વ્રત, અનુષ્ઠાન પણ કરતો હોય, એણે મુનિજીવનનો-દ્રવ્યલિંગનો પણ સ્વીકાર કર્યો હોય, અગિયાર અંગનો પાઠી હોય, અને ઘોર તપશ્ચર્યા પણ કરતો હોય, આ બધું કરવું શક્ય છે, પરંતુ પોતાનો મત છોડવો ઘણો મુશ્કેલ છે. જીવ અટક્યો છે, તે પોતાના મતાર્થીપણામાં અટક્યો છે. પોતાનો મત મહત્ત્વનો છે કારણ કે પોતે મહત્ત્વનો છે. મતનો આગ્રહ જેના અંદરમાં છે તે જીવ સાચા અર્થમાં આત્માર્થને પામી શકતો નથી. અનંતકાળ આ બધી સાધનાઓ કરી પણ આ સાધનાઓ કરવા છતાં મતાપણું છોડ્યું નહિ, તેથી સાધના ફલિત થતી નથી. અહીં ત્રણ શબ્દો અત્યંત મહત્ત્વનાં છે. એ શબ્દો છે મતાર્થી, મુમુક્ષુ અને આત્માર્થી. અભુત શબ્દો છે, પાયાના શબ્દો છે. આ સમજી લેવાં જરૂરી છે. આ સમજતા પહેલાં ઓગણીસ, વીસ અને એકવીસ આ ત્રણે ગાથાઓમાં જે ચર્ચા કરી તેને અત્યંત સંક્ષેપમાં ફરી સમજવા પ્રયત્ન કરીએ. મોક્ષનો મૂળ માર્ગ રત્નત્રય છે, સમ્યગદર્શન, સમ્યગ્રજ્ઞાન અને સમ્યફ ચારિત્ર. આ રત્નત્રયને પ્રાપ્ત કરવાનો માર્ગ વિનય છે. વિનય વગર સમ્યગુદર્શન પ્રાપ્ત ન થાય, સમ્યજ્ઞાન અને સમ્યફ ચારિત્ર પણ પ્રાપ્ત ન થાય. વિનય એટલે સમર્પણ, વિનય એટલે ભક્તિ અને વિનય એટલે આજ્ઞાની આરાધના. સંબોધ-સત્તરિ સૂત્રમાં કહ્યું છે કે, आणाइ तवो आणाइ संजमो, तह य दाणमाणाओ। आणारहिओ धम्मो, पलालपुल्लूव पडिहाइ ॥ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005521
Book TitleAtmasiddhishastra Part 01
Original Sutra AuthorShrimad Rajchandra
AuthorBhanuvijay
PublisherSatshrut Abhyas Vartul
Publication Year2011
Total Pages492
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy