SearchBrowseAboutContactDonate
Page Preview
Page 283
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૩૨ પ્રવચન ક્રમાંક - ૨૦, ગાથા ક્રમાંક - ૧૯, ૨૦ અને ૨૧ ચોવિશી સુધી જગતમાં રહેશે. આવા સમર્થ પુરુષને પણ અહંકારે પાડ્યા. તેઓએ દશપૂર્વનો અભ્યાસ કર્યો હતો. યક્ષા યક્ષદિન્ના આદિ એમની સંયમી સાત બેનો તેમને વંદન કરવા માટે આવતા હતા, સ્થૂલિભદ્ર મુનિ પોતાની લબ્ધિ શક્તિ બતાવવા ક્ષણ માટે સિંહનું રૂપ લઈને બેઠા. ગુરુ મહારાજને તેનો ખ્યાલ આવ્યો. તેથી આગળના બીજા ચાર પૂર્વના જ્ઞાન માટે તેઓને અયોગ્ય કહ્યાં. Fearless થઈ શકાય, Sexless પણ થઈ શકાય પરંતુ Egoless થવું ઘણું કપરું છે. આપણાં એક વખતનાં ભૂતપૂર્વ વડાપ્રધાને તેમના દરવાજા બહાર પાટિયું રાખ્યું અને લખ્યું કે ભૂતપૂર્વ વડાપ્રધાન. હવે સરકારી નિયમ પ્રમાણે માણસો આવ્યાં અને પાટિયું કાઢવા લાગ્યા તો તેમણે એમ કહ્યું કે, “અરે મત નિકાલો, ઈસમેં લિખા હૈ ભૂતપૂર્વ વડાપ્રધાન. પ્રધાન તો નહિ લિખા હૈ, ભૂતપૂર્વ વડાપ્રધાન પઢને સે હમેં શાંતિ મિલતી હૈ.” અહંકાર રહિત થવું-Egoless થવું કઠિન છે. છેલ્લામાં છેલ્લી ગ્રંથિ રહી જતી હોય તો તે અહંકારની છે. સદ્ગુરુના ઉપદેશથી શિષ્યને કેવળજ્ઞાન થાય, તે શિષ્ય કેવળજ્ઞાન પામ્યાનું અભિમાન કરે નહિ. મોહનો ક્ષય થયા વિના કેવળજ્ઞાન થાય નહિ. બંને સાથે નહિ રહે. મોહ ઊભો હોય અને કેવળજ્ઞાન હોય, આ ઘટના અધ્યાત્મિક જગતમાં ઘટતી નથી. મોહ ઓછો થાય, મંદ થાય તેમ પણ નહિ, પૂરેપૂરો ક્ષય થવો જોઈએ. સંપૂર્ણપણે ક્ષય થવો જોઈએ. મોહ ઘટવાની, ઓછો થવાની કે ઉપશમ થવાની વાત નહિ, પણ સંપૂર્ણપણે ક્ષય, અને આવો ક્ષય ન થાય ત્યાંસુધી કેવળજ્ઞાન થાય નહિ. બીજું સૂત્ર – કેવળજ્ઞાન થયા પછી મોહ નથી, રાગદ્વેષ નથી, તેનો આખો પરિવાર ગયો. હુંપણું ગયું, મારાપણું ગયું. કર્તાપણાની બુદ્ધિ ગઈ, ભોક્તાપણાની બુદ્ધિ ગઈ. આ બધો મોહનો પરિવાર છે. આનંદધનજીએ કહ્યું છે, અવધુ વૈરાગ્ય બેટો જાયો, વાને ખોજ કુટુંબ સબ ખાયો. એવી ઘટના ઘટી કે આ દીકરો જનમ્યો અને દીકરાએ જન્મતાની સાથે પહેલું કામ એ કર્યું કે મોહના કુટુંબને ખાઈ ગયો. અલંકારિક ભાષામાં એ વાત છે. મોહ ગયા પછી એમની પ્રવૃત્તિઓ જે રહે છે તે ઉદયાધીન જ હોય છે. જો પ્રવચન આપવાનું હોય, દેશના આપવાની હોય, સંઘ સ્થાપવાનો હોય કે આહાર, વિહાર વિ. જે કંઈ પ્રવૃત્તિ રહે છે તે ઉદયાધીન પ્રવૃત્તિ હોય છે. હવે એ પ્રવૃત્તિઓ વાસના કે રાગદ્વેષને આધીન નથી, મોહને આધીન નથી, કષાયોને આધીન નથી, વિભાવોને આધીન નથી. એ માત્ર ઉદયાધીન છે. ઉદય સિવાય બીજી કોઈ ઘટના ઘટતી નથી. એવી અવસ્થામાં ગુરુ સેવા પણ થઈ શકે અને Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005521
Book TitleAtmasiddhishastra Part 01
Original Sutra AuthorShrimad Rajchandra
AuthorBhanuvijay
PublisherSatshrut Abhyas Vartul
Publication Year2011
Total Pages492
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy