SearchBrowseAboutContactDonate
Page Preview
Page 282
Loading...
Download File
Download File
Page Text
________________ આત્મસિદ્ધિશાસ્ત્ર પ્રવચનમાળા ૨૩૧ છે. આ વાત ક૨વામાં એટલા માટે જોખમ છે કે આ વાતનો ઉપયોગ સદ્ગુરુ તો કદી કરતાં નથી પણ અસદ્ગુરુઓ ઉપયોગ કર્યા વગર રહેતાં નથી. આગળની ગાથામાં કહેશે, અસદ્ગુરુ એ વિનયનો લાભ લહે જો કાંઈ, મહામોહનીય કર્મથી બૂડે ભવજળ માંહી. (૨૧) અસદ્ગુરુ આવી ભૂમિકાનો ગેરલાભ લઈ લે છે, અને જે કેવળજ્ઞાન પામ્યા છે એવા કેવળી ભગવાન છદ્મસ્થ ગુરુની વૈયાવચ્ચ કે સેવા કર્યા વગર રહેતાં નથી. આ તો કેવળજ્ઞાન અને સર્વજ્ઞ અવસ્થા છે છતાં વિનયનું માહાત્મ્ય છે. એટલાં માટે ભગવાન મહાવીરે અંતિમ દેશમાં જે ઉત્તરાધ્યયનસૂત્રના ૩૬ અધ્યાયો કહ્યાં છે, તેમાં સૌથી પહેલાં અધ્યાયનું નામ વિનય અધ્યયન છે. ભગવાને વિનયની વાત કરી. ભગવાને એમ કહ્યું કે શિષ્યની પાસે બીજી મૂડી નહિ હોય તો ચાલશે, પણ વિનયની મૂડી તો જોઈશે જ. ગઈકાલે એ ચક્રવર્તી હતો, કરોડો રૂપિયાનો માલિક હતો, અને આજે એ શિષ્ય બન્યા પછી એ ચક્રવર્તીના પટાવાળાએ જો પહેલા દીક્ષા ગ્રહણ કરી હોય અને એ ચક્રવર્તીને ગુરુ એમ કહે કે આમની તમે સેવા કરો તો ચક્રવર્તી એમ ન કહે કે ‘તમે મને ઓળખો છો ? હું ચક્રવર્તી હતો.' હવે અવસ્થા બદલાઈ ગઈ છે. ભૂમિકા બદલાઈ ગઈ છે, એટલે એમ નહિ કહે. જ્ઞાની પુરુષો આવો વિચાર કરતાં નથી, કારણ કે જ્ઞાનથી અભિમાન ટળે છે. આ વાત સમજી લેજો. જ્ઞાન જ એક સાધન છે, જે અભિમાન ઓગાળી શકે છે અને જ્ઞાન જ એવું સાધન છે કે એના કારણે અભિમાન ઉત્પન્ન થાય છે. જ્ઞાનથી અભિમાન ટળે પણ ખરું અને જ્ઞાનથી અભિમાન થાય પણ ખરું. પરંતુ જ્ઞાનનું અભિમાન થતું હોય તો આંખો મીંચીને એ જ્ઞાનને અજ્ઞાન કહેજો, જ્ઞાન ન કહેશો. જ્ઞાનની વ્યાખ્યા સમજાઈ ? મનોવૈજ્ઞાનિક એમ કહે છે કે ત્રણ ગ્રંથિઓ બહુ મજબૂત છે. (૧) ભયની ગ્રંથિ, (૨) કામવાસનાની ગ્રંથિ અને (૩) અહંકારની ગ્રંથિ. આ ત્રણ ગ્રંથિઓ કાઢવી ઘણી મુશ્કેલ છે. જગતનાં બધા જીવો અને પ્રાણીમાત્ર જો અટક્યાં હોય તો આ ત્રણ ગ્રંથિઓમાં અટક્યાં છે. કારણ કે ત્રણે ગ્રંથિઓ ભરપૂર તાકાતથી કામ કરે છે. શાસ્ત્રોને એમ કહેવું છે કે ભયની ગ્રંથિ દૂર થાય તે સહેલું છે, પરંતુ કામવાસનાની ગ્રંથિ દૂર કરવી મુશ્કેલ છે. કામવાસનાની ગ્રંથિ પણ હજુ દૂર થઈ શકશે પણ અહંકારની ગ્રંથિ કાઢવી એ ઘણી ઘણી મુશ્કેલ છે. શાસ્ત્રોમાં કામવિજેતા સ્થૂલિભદ્ર મુનિ માટે કહેવાયું છે કે નામ રાખ્યું છે જગમાંહી, ચોરાસી ચોવિસી લગે ત્યાંહી, સાધુ પહોંચ્યા છે દેવલોકમાંહી. આ ધરતી ઉપર એવો પુરુષ થયો છે કે કામવિજેતા તરીકે જેની નામના ચોરાસી Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005521
Book TitleAtmasiddhishastra Part 01
Original Sutra AuthorShrimad Rajchandra
AuthorBhanuvijay
PublisherSatshrut Abhyas Vartul
Publication Year2011
Total Pages492
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy