SearchBrowseAboutContactDonate
Page Preview
Page 281
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૩૦ પ્રવચન ક્રમાંક - ૨૦, ગાથા ક્રમાંક - ૧૯, ૨૦ અને ૨૧ ઘટના જુઓ, પ્રસંગ ઘણો નાનો છે. માત્ર ચંદનાજીએ એટલાં જ શબ્દો કહ્યાં કે “ઉત્તમ કુળની સ્ત્રીએ આવી રીતે નીકળવું હિતાવહ નથી.” આમાં કશું જ વધારે કહ્યું નથી. મૃગાવતીજી ચંદનબાળાજી પાસે બેઠા છે. ચંદનબાળાજી સંથારા ઉપર સૂતા છે. તેમનો હાથ બાજુમાં છે, ત્યાંથી એક કાળો ઝેરી સાપ નીકળે છે. તેથી મૃગાવતીજીએ હાથ ઉપાડી બાજુ પર લીધો. ચંદનબાળાજીએ પૂછયું, “મારો હાથ કેમ ઉપાડ્યો?” ત્યારે મૃગાવતીજીએ કહ્યું કે “અહીંથી એક કાળો ઝેરી સર્પ જતાં જોયો, તે આપને પીડા ન આપે તે માટે મેં આપનો હાથ બાજુ પર મૂક્યો.” ચંદબાવાજીએ પૂછ્યું કે આવા ઘનઘોર અંધારામાં તમને ખબર કેમ પડી? ત્યારે મૃગાવતીજી વિનય સાથે કહે છે કે જ્ઞાનથી ખબર પડી. તેમણે ફરી પૂછ્યું, 'કયું જ્ઞાન?' આના માટે શાસ્ત્રોમાં બે શબ્દો આવે છે. (૧) પ્રતિપાતિ (આવીને ચાલ્યુ જાય પણ ખ) (૨) અપ્રતિપાતિ. (આવ્યા પછી ક્યારે પણ જાય નહીં) તેમણે કહ્યું કે મને આપની કૃપાથી અપ્રતિપાતી જ્ઞાન થયું છે. સાંભળતાની સાથે જ ચંદનબાળાજી બેઠાં થયાં અને મૃગાવતીજીને ખમાવ્યાં, વંદન કર્યું ઉપદેશ આપનાર ગુરુ પાછળ રહ્યા અને ઉપદેશ ગ્રહણ કરનાર શિષ્ય સર્વજ્ઞ અવસ્થાની પ્રાપ્તિ કરી છે. આવી ગુપ્ત ઘટના શિષ્યમાં ઘટી છે પણ શિષ્ય અર્થાત કેવળજ્ઞાની પોતાના છદ્મસ્થ ગુરુને સામે ચાલી કહેતાં નથી કે મને કેવળજ્ઞાન થયું છે. તથા પોતાની સેવાવૈયાવચ્ચનો ક્રમ ગુરુ છદ્મસ્થ હોવા છતાં બંધ કરતા નથી. સોમલ અને કાચો પારો પચાવવો સહેલો છે પણ જ્ઞાન પચાવવું બહુ મુશ્કેલ છે. સંપૂર્ણપણે રાગ, દ્વેષ અને મોહ ગયા સિવાય કેવળજ્ઞાન થાય નહિ. આ સંપૂર્ણ આધ્યાત્મિક ઘટના છે. આવી ઘટના ઘટી હોવા છતાં છબસ્થ સદ્ગુરુનો તેઓ વિનય અને વૈયાવચ્ચ છોડતા નથી. બીજી વાત, જ્યારે સદ્ગુરુને ખબર પડે કે શિષ્યને કેવળજ્ઞાન થયું છે, તે જ વખતે ગુરુ તેમને વંદન કરે છે અને એમ કહે છે કે તમારી સેવા અમારાથી લેવાય નહિ. અમે તમારી સેવા કરીશું. એક વખતના શિષ્યની સેવા ગુરુ કરે છે. ગુરુને એમ થતું નથી કે આ એક વખતનો ચેલો છે. અને હું તેની સેવા કેમ કરું? શાસ્ત્રો કહે છે કે “ગુરુ રહ્યા છઘસ્થ પણ વિનય કરે ભગવાન. અહીં ભગવાન શબ્દન મૂક્યો હોત તો ન ચાલત? તો કહે છે ના. ભગવાન એટલે ભગવત્તા જેમને પ્રાપ્ત થઈ, કૈવલ્યજ્ઞાનની અવસ્થા જેમને પ્રાપ્ત થઈ, એવી અવસ્થાવાળા પુરુષ પણ એમના ગુરુ છદ્મસ્થ હોવા છતાં વિનય કરવાનું ચૂકતાં નથી. સર્વજ્ઞ તમામ નિયમોથી પર છે, વિધિ અને મર્યાદાની બહાર છે. એમની કોઈ આચારસંહિતા નથી, છતાં છદ્મસ્થ ગુરુનો વિનય ભગવાન કરે છે. અહીં એમ બતાવવું છે કે વિનય અને સદ્ગુરુ પ્રત્યેના ભાવનું કેટલું મહત્ત્વ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005521
Book TitleAtmasiddhishastra Part 01
Original Sutra AuthorShrimad Rajchandra
AuthorBhanuvijay
PublisherSatshrut Abhyas Vartul
Publication Year2011
Total Pages492
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy