SearchBrowseAboutContactDonate
Page Preview
Page 280
Loading...
Download File
Download File
Page Text
________________ ૨ ૨૯ આત્મસિદ્ધિશાસ્ત્ર પ્રવચનમાળા રહી ગયો છું. ભગવાન મહાવીર કહે છે, ગોયમ મ કરીશ ખેઉ, છેહ જઈ આપણ સહી, હોશ તુલ્લા બેઉ. ચિંતા કરીશ નહિ. છેલ્લે તમે અને અમે સરખાં થઈ જઈશું. ધીરજ રાખજે. પંદરસોને ગૌતમસ્વામીએ વંદન કર્યા. ગૌતમસ્વામીને ચાર જ્ઞાન છે. ચાર જ્ઞાન એટલે મતિ, શ્રુત, અવધિ અને મન:પર્યય. એ ચાર જ્ઞાનના ધણીને છબી કહ્યા. છદ્મ એટલે દોષ, આવરણ અને જેનામાં હજુ પણ દોષ છે તે છબ0. સર્વજ્ઞ અને છદ્મસ્થ વચ્ચે ફરક છે. વીતરાગસર્વજ્ઞ એને કહેવાય કે જેનામાં રાગ દ્વેષનો અત્યંત અભાવ છે. ગૌતમસ્વામીમાં મન:પર્યય જ્ઞાનની ઊંચાઈ આવી છે, પણ મંદ મંદ રાગદ્વેષ રહ્યાં છે તેથી તેમને છબસ્થ કહ્યાં. અપ્પડિહયવરનાણદંસણધરાણ, વિઅછઉમાણે. “છબસ્થ અવસ્થા જેમની દૂર થઈ છે, અને જેઓ સર્વજ્ઞ બન્યાં છે, તેમને નમસ્કાર થાઓ.” જેઓ ચાર જ્ઞાનનાં ઘણી છે, આટલો બધો વિકાસ થયો હોવા છતાં અલ્પતમ એવાં રાગદ્વેષ હોવાને કારણે એમને પૂર્ણજ્ઞાની, કેવળજ્ઞાની, સર્વજ્ઞ કહ્યાં નથી. કેવળજ્ઞાનની દૃષ્ટિએ હજુ કચાશ છે. આવી છદ્મસ્થ અવસ્થા રહી હોય, અને તેમણે જેમને ઉપદેશ આપ્યો તે કેવળજ્ઞાની થાય તો તેમની વચ્ચે વ્યવહાર કેવો હોય ? કઈ રીતે વ્યવહાર થાય? તેઓ પોતાના ગુરુ ભલે છમસ્થ છે છતાં વિનય છોડતાં નથી. ચંદનબાળાજી ભગવાન મહાવીરની પ્રથમ શિષ્યા છે. તેઓ બીજા સાધ્વીજીઓ સાથે ભગવાન મહાવીરને વંદન કરવા, દેશના સાંભળવા ગયા છે. આશ્ચર્યકારક ઘટના એવી ઘટી કે સૂર્ય અને ચંદ્ર મૂળ વિમાને પ્રભુને વંદન કરવા આવ્યા છે. સાંજે સંધ્યા સમય થતાં પહેલાં ચંદનબાળાજી તથા બીજા સાધ્વીજી ભગવંતો પોતાના સ્થાને પાછા આવી ગયા. તેમના શિષ્યા સાધ્વીજી મૃગાવતીજીને સમયનો ખ્યાલ ન રહ્યો કે સાંજ પડી ગઈ છે. સૂર્ય અને ચંદ્ર દર્શન કરી ચાલ્યાં જાય છે, અને અંધકાર છવાઈ જાય છે. અંધકારમાં મૃગાવતીજી ચંદનાજી પાસે આવે છે. તે વખતે ચંદનાજી મૃદુભાષામાં ઠપકો આપે છે કે ઉત્તમ કુળમાં જન્મેલી સ્ત્રીએ આવા અંધકારમાં જવું હિતાવહ નથી. આટલી જ વાત ચંદનાજીએ કરી અને મૃગાવતીજીને થયું કે મેં મારા ગુરુ મહારાજને પીડા આપી, દુઃખ આપ્યું. મારા નિમિત્તે તેમણે મને કહેવું પડ્યું ને? સાધારણ સ્ત્રી માટે ઉચિત ન હોય તો સાધ્વી માટે ઉચિત કેમ હોય? તેમને ખૂબ જ પશ્ચાત્તાપ થઈ રહ્યો છે. પશ્ચાત્તાપ કરતાં કરતાં તેઓ શ્રેણીઓ ચડવા માંડ્યાં. છઠ્ઠા ગુણસ્થાનેથી સાતમા ગુણસ્થાને અને સામેથી આઠમા ગુણસ્થાને અને ત્યાંથી શ્રપકશ્રેણી માંડી તેરમા ગુણસ્થાનકે ગયા, અને મૃગાવતીજીને કેવળજ્ઞાન થયું. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005521
Book TitleAtmasiddhishastra Part 01
Original Sutra AuthorShrimad Rajchandra
AuthorBhanuvijay
PublisherSatshrut Abhyas Vartul
Publication Year2011
Total Pages492
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy