SearchBrowseAboutContactDonate
Page Preview
Page 275
Loading...
Download File
Download File
Page Text
________________ ૨ ૨૪ પ્રવચન ક્રમાંક - ૨૦, ગાથા ક્રમાંક - ૧૯, ૨૦ અને ૨૧ પ્રવચન ક્રમાંક - ૨૦ ગાથા ક્રમાંક - ૧૯, ૨૦ અને ૨૧ વિનયનું માહાન્યા જે સદ્ગુરુ ઉપદેશથી, પામ્યો કેવળજ્ઞાન, ગુરુ રહ્યા છદ્મસ્થ પણ, વિનય કરે ભગવાન. (૧૯) એવો માર્ગવિનય તણો, ભાખ્યોશ્રીવીતરાગ, મૂળ હેતુ એ માર્ગનો, સમજે કોઈ સુભાગ્ય. (૨૦) અસદ્દગુરુ એ વિનયનો, લાભ લહે જો કાંઈ, મહામોહનીય કર્મથી, બૂડે ભવજળ માંહી. (૨૧) ટીકા જે સગુરુના ઉપદેશથી કોઈ કેવળજ્ઞાનને પામ્યા, તે સદ્ગુરુ હજુ છઘસ્થ રહ્યાં હોય, તોપણ જે કેવળજ્ઞાનને પામ્યા છે એવા તે કેવળી ભગવાન છાસ્થ એવા પોતાના સદગુરુની વૈયાવચ્ચ કરે. (૧૯) એવો વિનયનો માર્ગ શ્રી જિને ઉપદેશ્યો છે, એ માર્ગનો મૂળ હેતુ એટલે તેથી આત્માને શો ઉપકાર થાય છે, તે કોઈક સુભાગ્ય એટલે સુલભ બોધિ અથવા આરાધક જીવ હોય તે સમજે. (૨૦) આવિનયમાર્ગ કહ્યો તેનો લાભ એટલે તે શિષ્યાદિની પાસે કરાવવાની ઈચ્છા કરીને જો કોઈપણ અસગુરુ પોતાને વિષે સદ્દગુરુપણું સ્થાપતો તે મહામોહનીય કર્મ ઉપાર્જન કરીને ભવસમુદ્રમાં બૂડે. (૨૧) આ ત્રણે ગાથા ગહન અને ગંભીર છે. અલૌકિક સિદ્ધાંતો પરમકૃપાળુદેવે આ ગાથામાં પ્રગટ કર્યા છે. બરાબર સમજવામાં આવે તો લાભ થશે, અને બરાબર સમજવામાં નહિ આવે તો નુકસાન પણ થશે. તટસ્થપણે, સ્વસ્થ મનથી, નિષ્પક્ષપાતપણે આમાં જે કાંઈ જ્ઞાની પુરુષને કહેવું છે તેને સરળતાથી, નમ્રતાથી સમજવાનો પ્રયત્ન સાધકે કરવાનો છે. સત્યને કોઈપણ જાતના અવરોધ અને કદાગ્રહ વગર સ્વીકારવાની પૂર્વ તૈયારી તેને કહેવાય Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005521
Book TitleAtmasiddhishastra Part 01
Original Sutra AuthorShrimad Rajchandra
AuthorBhanuvijay
PublisherSatshrut Abhyas Vartul
Publication Year2011
Total Pages492
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy