SearchBrowseAboutContactDonate
Page Preview
Page 274
Loading...
Download File
Download File
Page Text
________________ ૨ ૨૩ આત્મસિદ્ધિશાસ્ત્ર પ્રવચનમાળા ઘેટાને પૂછતું નથી કે ખાડામાં કેમ પડો છો? આ ગાડરિયો પ્રવાહ છે. આમાં જ આપણને મજા આવે છે. જાગૃત થઈને જીવવું આપણને ગમતું નથી. આ જે ગાડરિયો પ્રવાહ તેને કહે છે ઓઘ દૃષ્ટિ. સંગુરુનો યોગ થવાથી જીવ ઓઘ દૃષ્ટિમાંથી યોગ દૃષ્ટિમાં ટ્રાન્સફર થાય છે. અહીં જીવ સ્ટાર્ટીગ પોઈન્ટ પર આવે છે. તેના જીવનમાં ટર્નીંગ પોઈન્ટ આવે છે, તે વખતે દોષો સહેજે દૂર થાય છે. અહીંથી બહુ મહત્ત્વની પ્રક્રિયાનો પ્રારંભ થાય છે. યોગનાં બીજ ઈહાં ગ્રહે, જિનવર શુદ્ધ પ્રણામો રે, ભાવાચાર જ સેવના, ભવ-ઉદ્વેગ સુઠામો રે. યોગદષ્ટિસઝાયની એક બહુ નાનકડી કડી છે. યોગનાં વીશ બીજો છે. હરિભદ્રસૂરિજી મહારાજે તેનું યોગદષ્ટિમાં વર્ણન કર્યું છે કે કોઈપણ જાતની કામના વગર જિનેશ્વર પરમાત્માનાં ચરણોમાં નમસ્કાર તથા ભાવાચાર્યના ચરણોમાં નમસ્કાર એ યોગનું બીજ છે. સદ્ગુરુ માટે શાસ્ત્રીય પરિભાષામાં શબ્દ છે ભાવાચાર્ય, પરમકૃપાળુદેવ કહે છે કે આવા સદગુરુના શરણમાં જતાં આ બધા દોષો અલ્પ પ્રયાસે જશે. હવે નક્કી તમારે કરવાનું છે. શરણે જવું કે ન જવું, તે તમારી મરજીની વાત છે. મનમાં એમ થાય કે મારે કષાયોમાંથી મુક્ત બનવું છે, તો પહેલાં કષાયો ખટકવા જોઈએ. આંખમાં કણું પડે તો ન ખટકે? જ્યારે ડૉક્ટર પાસે જઈ કઢાવો ત્યારે નિરાંત થાય. કોઈ સાથે અણબનાવ થયો હોય તો પણ ખટકે, કાંટો વાગ્યો હોય તો પણ ખટકે. જે ખટકે છે તેને આપણે દૂર કર્યા વગર રહી શકતાં નથી. તુરત જ ઈલાજ કરીએ છીએ, તેમ કષાયો ક્યારેય ખટકે છે? દુઃખ કે પીડા થાય છે? વ્યથા થાય છે? એમ વિચાર થાય છે કે આટલા વર્ષોથી અમે મંદિરે જઈએ છીએ, પ્રવચનો સાંભળીએ છીએ, ભગવાનની પૂજા કરીએ છીએ, તો પણ આ ક્રોધ અને અહંકાર મારો કેડો મૂકતાં નથી, તે માટે ક્યારેય આંખમાં આંસુ આવ્યા ખરા? રત્નાકર પચીશીમાં સ્પષ્ટપણે કહ્યું છે કે “મેં મુખને મેલું કર્યું દોષો પરાયાં ગાઈને, ને નેત્રને નિંદિત કર્યા પરનારીમાં લપટાઈને', આવો એકરાર રત્નાકરસૂરી મહારાજ કરી શકે. આપણે એવું ન કરી શકીએ. જ્યારે કષાયો ખટકશે ત્યારે આવો એકરાર કરવાની હિંમત આવશે. ખટક જ્યારે થશે કે મારે કષાયો દૂર કરવા છે ત્યારે એમ થશે કે કોને પૂછવું? તો પરમકૃપાળુદેવ જવાબ આપે છે કે... જાતાં સદ્ગુરુ શરણમાં, અલ્પ પ્રયાસે જાય. આટલો સુંદર ઉપાય આ ગાથામાં જોવામાં આવ્યો. ધન્યવાદ, આટલી ધીરજપૂર્વક સાંભળ્યું તે બદલ. દરેકના અંતઃકરણમાં રહેલા પરમાત્માને પ્રેમપૂર્વક નમસ્કાર. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005521
Book TitleAtmasiddhishastra Part 01
Original Sutra AuthorShrimad Rajchandra
AuthorBhanuvijay
PublisherSatshrut Abhyas Vartul
Publication Year2011
Total Pages492
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy