SearchBrowseAboutContactDonate
Page Preview
Page 273
Loading...
Download File
Download File
Page Text
________________ ૨ ૨ ૨ પ્રવચન ક્રમાંક - ૧૯, ગાથા ક્રમાંક - ૧૮ બૂરા દેખનકો ચલા, તો બૂરા ન મિલ્યા કોઈ, અંતર ખોજન દેખીયા, મુજસે બૂરા ન કોઈ. આ બધા દોષો કેવી રીતે જશે? જો મારા પ્રયાસે ગયા હોત તો ક્યારનાય ગયાં હોત. આજે પણ દોષો તો છે જ. જરા જાતનું અંતર નિરીક્ષણ બારીકાઈથી કરજો. જરા બારીકાઈથી જોજો કે કેટલાં સત્સંગો કર્યા? કેટલી પારાયણો કરી? કેટલી વખત અપૂર્વ અવસર ગાયું? કેટલી વખત વચનામૃત સાંભળ્યું, ચર્ચા કરી? અને એકાંતમાં પણ ગયા. કેટલી વખત આ બધું બેસીને વાંચ્યું? પરંતુ અંદર જોજો, ઓલી ચાર ચંડાળ ચોકડી જે બેઠી છે તેમાંથી કોઈએ રાજીનામું આપ્યું? એકપણ ઓછો થયો? રાગદ્વેષે ભર્યો, મોહરી નડ્યો, લોકની રીતમાં ઘણું યે રાતો, ક્રોધ વશ ધમધમ્યો, શુદ્ધ ગુણ નવિ રમ્યો, ભમ્યો ભવમાંહી, હું વિષય માતો, તાર હો તાર, પ્રભુ મુજ સેવક ભણી, જગતમાં એટલું સુજશ લીજે. આવો પોકાર તો કરો કે પ્રભુ મને બચાવો, ખાખી કપડાંવાળો પોલીસ પાછળ પડે તો ભગવાનને કહો છો કે ભગવાન ! મને બચાવો. આ ક્રોધ કે માનની બીક લાગે છે? અને ત્યારે કદી એમ કહ્યું કે પ્રભુ ! મને બચાવો? અનંત વર્ષો ગયા છતાં કષાયો નબળાં ન પડ્યાં. કેમ નબળાં ન પડ્યાં? સાહેબ ! યાદ રાખજો કે, માનાદિક શત્રુ મહા, નિજ છંદે ન મરાય, જાતાં સદ્ગુરુ શરણમાં, અલ્પ પ્રયાસે જાય. પોતાનાં છંદથી કે પોતાથી માન, ક્રોધ દૂર થતાં નથી. માનાદિ દૂર કરવાની એક રીત છે, એક પદ્ધતિ છે. જેમણે આ કષાયો જીત્યાં છે, તેમને ખબર છે કે એ કષાયો કેમ જાય. જેઓ માનથી મુક્ત બન્યા છે તેમને માનથી મુક્ત થવાની રીત ખબર છે. તેઓ કહે છે કે જાતાં સદગુરુ શરણમાં, અલ્પપ્રયાસે જાય.” સદ્ગુરુનાં શરણમાં જવાથી, સહેલાઈથી જાય. શબ્દ સમજીને વાપર્યો છે કે પ્રયાસ તો કરવો પડશે, મથામણ કરવી પડશે પરંતુ અલ્પ એટલે બહુ થોડી, પસીનો ઊતરી જાય તેટલી બધી મહેનત નહીં કરવી પડે. અલ્પ પ્રયત્નથી પણ કષાયો જીતી શકાય છે. જો સગુરુ ન હોય તો, એટલે કે તેમનું શરણું ન હોય તો, ગમે તેટલાં પ્રયત્નો કરવાથી પણ કષાયો જીતી શકાતાં નથી. કારણ શું? સગુનો યોગ જ્યારે થાય છે ત્યારે તે ઓઘદૃષ્ટિમાંથી યોગદૃષ્ટિમાં પ્રવેશ કરે છે. ઓઘ દૃષ્ટિ એટલે સામાન્ય દૃષ્ટિ, પ્રવાહની દૃષ્ટિ, લૌકિક દૃષ્ટિ, જગતમાં જે ચાલે છે તે ઓઘ દૃષ્ટિ. આપણે ઓથે ઓધે તો ચાલ્યા. એક ઘેટું આગળ ચાલે અને ત્યાં ખાડો આવે તો તે ઘેટું ખાડામાં પડે. તેની પાછળ બીજું ઘેટું ચાલ્યું, તે પણ ખાડામાં પડ્યું, તેની પાછળ ત્રીજું, તે પણ ખાડામાં પડ્યું. કોઈ ઘેટું બીજા Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005521
Book TitleAtmasiddhishastra Part 01
Original Sutra AuthorShrimad Rajchandra
AuthorBhanuvijay
PublisherSatshrut Abhyas Vartul
Publication Year2011
Total Pages492
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy