SearchBrowseAboutContactDonate
Page Preview
Page 272
Loading...
Download File
Download File
Page Text
________________ આત્મસિદ્ધિશાસ્ત્ર પ્રવચનમાળા ૨૨૧ માટે પરમાર્થ સંબંધી જાતજાતની કલ્પના કરવી નહિ અને માર્ગ જેવો છે તેવો સમજવો. ત્રીજી વાત - એ કરી હતી કે ઉપરથી સારા દેખાવાનો ડોળ કરવો, તેને કહેવાય છે માયા. પરમકૃપાળુદેવ એમ ગાઈ શકે કે હું તો દોષ અનંતનું ભાજન છું કરુણાળ.” આપણે આર્તહૃદયથી આવું ગાઈ શકીએ નહીં.આપણે તેમણે ગાયેલું ગાઈએ પણ અંદરથી માનીએ છીએ કે અમારી ક્વોલીટી જુદી છે. સુરદાસજીએ પણ બહુ કરુણાપૂર્વક ગાયેલું કે.. મો સમ કોન કુટિલ ખલ કામી, જિન તનુ દિયો ઈનકો બિસરાયો, ઐસો નિમક હરામી, મો સમ કૌન કુટિલ ખલ કામી. કેટલી વેદના હશે? કેટલી અંદરથી પીડા હશે? પ્રભુ ! બીજાની વાત તો શું કરું? પરંતુ મારા જેવો કોઈ કુટિલ નથી, કોઈ ખલ નથી, કોઈ કામ નથી. મારી આંખમાં વિકાર જાગે છે, બીજાને છેતરવાનું મન થઈ જાય છે, હું કોઈનો વિશ્વાસઘાત કરું છું. અને સૌથીમોટી વાત એ છે કે “જીન તનુ દિયો, ઈનકો વિસરાયો.” જેણે મને આ નરદેહ આપ્યો, તે તમને જ પ્રભુ ! હું ભૂલ્યો. પ્રભુ ! તમારું સ્મરણ ભૂલ્યો. આવો નિમકહરામી કોણ હોય ? મારાં કરતાં તો કૂતરું સારું, એક રોટલો નાખો તો ઓટલે બેસી જાય, અને રક્ષણ કરે. ઘર માલિક ઊંઘતો રહે પરંતુ એ જાગતો રહે. એ સીક્યોરીટી ગાર્ડ તરીકે કામ કરે. કટકો રોટલો મળ્યો એટલે એ નિમકહલાલ. હે પ્રભુ! તેં માનવદેહ આપ્યો, પણ અમે નિમકહરામ થયા. આ વેદના, વ્યથા અને અંદરની પીડા છે. પરમાત્માએ આપણને આવું કરવા નથી મોકલ્યાં. સાહેબ! તમે શુદ્ધ થાવ, સ્વચ્છ થાવ, આત્માનું કલ્યાણ કરો એટલા માટે મોકલ્યા છે. બાપે દીકરાને ઉઘરાણી કરવા મોકલ્યો છે, અને દીકરો ઉઘરાણી કરવા જાય છે. જેને ત્યાં ગયો તે વ્યવહારકુશળ માણસ હતો. ખાટલો પાથર્યો, ગાદલું પાથર્યું. ચા, પાણી, બીડી આપી અને રસોઈ તૈયાર કરાવી. લાડુ, દાળ, ભાત, ભજીયાં કરી જમાડ્યો. પછી બે કલાક ઊંધ્યો અને ઊભો થઈ ચાલતો થયો. ઘેર આવ્યો ત્યારે બાપાએ પૂછ્યું, ઉઘરાણી કરીને આવ્યો? ના, બાપા! એ તો ભૂલી જ ગયો. ત્યારે ત્યાં જઈ કર્યું શું? ચા પીધી, લાડુ દાળ, ભાત જમ્યો અને પછી સૂઈ ગયો. બે કલાક આરામ કર્યો. બાપે કહ્યું, ‘તને આટલા માટે મોકલ્યો હતો?' તેવી રીતે આ માનવદેહમાં આવ્યાં તે ખાઈ પીને આરામ કરવા જ આવ્યા છીએ ? કે અહીં પરમાત્માનો ભેટો કરવા આવ્યા છીએ ? પણ આ માનાદિ કષાયો તથા બીજા પ્રત્યે ધૃણા નડે છે. “માનાદિ શત્રુ મહા નિજ છંદે ન મરાય.” કબીરજીએ કહ્યું છે કે... જાતે થે પ્રભુ મિલનકો, બીચમેં બડી લંબી તલવાર, એક કંચન દુસરી કામિની, ઉસને દિયા માર. આ સંતોની વેદના તો જુઓ. તમને વેદના નથી, કેમકે તમે તેનાથી આગળ છો. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005521
Book TitleAtmasiddhishastra Part 01
Original Sutra AuthorShrimad Rajchandra
AuthorBhanuvijay
PublisherSatshrut Abhyas Vartul
Publication Year2011
Total Pages492
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy