SearchBrowseAboutContactDonate
Page Preview
Page 271
Loading...
Download File
Download File
Page Text
________________ ૨ ૨૦ પ્રવચન ક્રમાંક - ૧૯, ગાથા ક્રમાંક - ૧૮ ‘નિર્દોષ સુખ, નિર્દોષ આનંદ લ્યો ગમે ત્યાંથી ભલે; એ દિવ્ય શક્તિમાન જેથી જંજીરેથી નીકળે.” આનંદ એ જીવન છે અને જીવન આનંદ માટે છે. આનંદની અનુભૂતિ માટે છે, તમે આનંદ ગમે ત્યાંથી લ્યો, પણ એ આનંદ નિર્દોષ હોવો જોઈએ. શિકારી શિકાર કરે છે, તેને તેમાં મઝા આવે છે, પણ જેનો શિકાર થયો હોય તેને પૂછો કે તારી શું હાલત થઈ ? શિકાર કરનારને મઝા આવી પણ શિકાર થયો તેને કેટલી પીડા થઈ તે તેને પૂછો, માટે એમ કહ્યું કે નિર્દોષ સુખ અને નિર્દોષ આનંદ ગમે ત્યાંથી લો તેની ના નથી પણ તે નિર્દોષ હોવો જોઈએ, જેમાં કોઈની હાય કે પીડા ન હોય, કોઈ બંદ્ધ ન હોય, કોઈ મૂંઝવણ ન હોય, કોઈની આંતરડી કકળતી ન હોય. આ ક્યારે બને? તમને સૌના પ્રત્યે પ્રેમ હોય, અને પ્રેમ ત્યારે જ હોય જ્યારે અંતરમાં ઘણા ન હોય. ઘણાં લોકો કહેતા હોય છે કે અમને ભગવાનના દર્શન થઈ ગયા છે, તે વાત ભગવાન જાણે પણ જેને ભગવાનનાં દર્શન થયાં હોય તેને કોઈ પ્રત્યે ધૃણા ન હોય. આ ચાર બાબતો હું જાણું છું, તે જ સાચું, હું કરું છું તે જ ખરું. ઘરમાં ઘણાં લોકો એવું કહેતા હોય છે કે બસ, નહિ બોલવાનું. મેં કહી દીધું તે જ ફાઈનલ. એ ઘર કેવું ચાલતું હશે? તે તમે જોજો. યાદ રાખજો, ચૌદ પૂર્વધરો પણ દાવો નથી કરતાં કે અમે પૂરેપૂરું જાણીએ છીએ. શાસ્ત્રીય પરિભાષામાં મતિ, શ્રુત, અવધિ અને મનઃપર્યય જ્ઞાન, આ ચાર જ્ઞાન જેમને છે, તેમને પણ સર્વજ્ઞ કહ્યાં નથી, કેવળી કહ્યાં નથી પણ છદ્મસ્થ કહ્યાં છે, કેમકે હજુ દોષો થવાની શક્યતા છે. કેવળજ્ઞાન જ્યારે પ્રાપ્ત થાય ત્યારે સર્વદોષોથી મુક્ત થવાય. જેને જાણવું છે તેણે સમજણનાં દ્વાર, જ્ઞાનનાં દ્વાર ખુલ્લા રાખવાં પડશે, કોઈ તેની સાથે દિલ ખોલીને વાત કરી શકે તેવી અવસ્થા તેણે રાખવી પડશે. આ તો એમ કહે છે કે “અમે જાણ્યું છે તે જ સાચું અને જેને જાણવું હોય તે અમારી પાસે આવે.” હું જે કરું છું તે જ સાચું, એવું તે માને છે તે પહેલી વાત થઈ. બીજી વાત : પોતાની બુદ્ધિએ ધર્મ સંબંધની પરમાર્થવાદની કલ્પના કરવી. આ બહુ મોટું પાપ છે. જાતજાતની કલ્પનાઓ આપણે બુદ્ધિથી ઊભી કરીએ છીએ. “એક હોય ત્રણ કાળમાં પરમારથનો પંથ, પામે તે પરમાર્થને તે વ્યવહાર સંમંત. માર્ગ બદલાવશો નહિ. ઉન્માર્ગની દેશના આપશો નહિ અને સન્માર્ગનો નાશ કરશો નહિ. એ માર્ગ પલટાવશો નહિ. તમારી બુદ્ધિ, અહંકાર અને કર્તૃત્વ ખાતર માર્ગ બદલાવશો નહિ. માન, સન્માન અને તમારી મોટાઈ ખાતર વીતરાગ પરમાત્માનો કંડારેલો જે માર્ગ છે, તે અખંડ માર્ગ ઉપર તમે ક્યારેય જાળાં ઉગાડશો નહિ. માર્ગને બદલાવવો તે સૌથી મોટો અપરાધ છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005521
Book TitleAtmasiddhishastra Part 01
Original Sutra AuthorShrimad Rajchandra
AuthorBhanuvijay
PublisherSatshrut Abhyas Vartul
Publication Year2011
Total Pages492
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy