SearchBrowseAboutContactDonate
Page Preview
Page 270
Loading...
Download File
Download File
Page Text
________________ આત્મસિદ્ધિશાસ્ત્ર પ્રવચનમાળા ૨૧૯ અને દિવ્ય કામ આ તીર્થંકરદેવો કરે છે. અને તીર્થંકરદેવોને નજર સમક્ષ રાખીને સદ્ગુરુઓ પણ આ જ કામ કરે છે. સદ્ગુરુના કામની જેમ, ઉપરથી સારા દેખાવા રૂપ માયા કરવી એ ત્રીજું કારણ છે. સારા થવું તે જુદી વાત છે અને સારા દેખાવા માટે કરવું એ જુદી વાત છે. જ્ઞાની બનવું જુદી વાત છે અને જ્ઞાનની વાતો કરવી તે જુદી વાત છે. આપણને સારા દેખાવું છે, પણ સારા થવું નથી. જગતમાં સારા દેખાવા માટે જેટલાં પ્રયત્નો થયાં છે, તેના સોમા ભાગે પણ સારા થવા માટે જો પ્રયત્નો થયા હોત તો માનવ જાતિનું ભાવી જુદું હોત, અભુત માનવજાત હોત. ઉપરથી સારા દેખાવું છે પણ અંદરમાં સારા થવું નથી, એવી અવસ્થાને કહેવાય છે માયા. છેતરવું અને કપટ કરવું તે માયાનું એક રૂપ છે. પરંતુ ખરી વ્યાખ્યા એ છે કે ઉપરથી સારા દેખાવાનો ડોળ કરવો અને અંદરમાં સારા ન હોવું અને એમાં જે રસ લેવો તેને કહેવાય છે માયા. આવી માયા જ્યાં સુધી હશે ત્યાં સુધી માર્ગ પ્રાપ્ત નહિ થાય. માનને કેવી રીતે જીતશો? અને માયાને તમે કઈ રીતે જીતશો? પરમાર્થ સંબંધી જે કલ્પના કરી છે, તેને તમે સદ્ગુરુના શરણમાં ગયા વિના કઈ રીતે દૂર કરશો? છેલ્લું કારણ. બીજા જીવો પ્રત્યેનો દ્વેષ, બીજા પ્રત્યેની ધૃણા, તે કઈ રીતે દૂર કરશો? ઈશાવાસ્ય ઉપનિષદમાં સાધકે પ્રશ્ન કર્યો છે. ગુરુદેવ! જ્યારે ઈશ્વરનાં દર્શન થાય છે ત્યારે તેનું લક્ષણ શું? કેમ ખબર પડે કે ઈશ્વરના દર્શન થયા છે? ગુરુદેવ કહે છે કે તેનું લક્ષણ કહી શકાય તેમ નથી. જેને ઈશ્વરના દર્શન થાય તેના મોં પર લાલી આવે તેમ કહીએ તો બહુ સહેલું થઈ જાય. હેમોગ્લોબીન વધવાથી પણ મોં પર લાલી આવે છે. બહારના ફેરફારને લક્ષણો કહી શકાય તેવું નથી. પરંતુ એક વાત છે, જેને ઈશ્વરનાં દર્શન થયાં છે તેને જગતમાં કોઈપણ પ્રાણી પ્રત્યે અંતરમાં ધૃણા થતી નથી, આવી વ્યક્તિએ ઈશ્વર જોયા છે તેમ કહી શકાય.” ઘણા એટલે તિરસ્કાર, નફરત, અણગમો. ઘણી વખત આપણે કહેતાં હોઈએ છીએ કે એનું મોટું મારે જોવું નથી આ તિરસ્કાર છે, ધૃણા છે. પણ તે જોવું જ પડશે. આ જનમમાં તો જવું પડશે, પણ આવતાં જનમમાં એ સાથે આવશે. ઘૂણામાંથી જ હિંસા પ્રગટે છે. હિંસા સીધી થતી નથી. કોઈ માણસ કોઈ માણસને સીધો મારી શકતો નથી. કોઈપણ પ્રાણીને મારવું સહેલું કામ નથી. એના મનમાં પહેલા ધૃણા થાય. તેમાંથી તિરસ્કાર થાય, તેમાંથી દ્વેષ અને તેમાંથી વેરભાવ થાય, અને તેના પરિણામે જે પ્રગટ થાય તે હિંસા. સાહેબ ! ધૃણા બંધ કર્યા સિવાય હિંસા બંધ કરી નહિ શકાય. ધૃણાનો વ્યાપક અર્થ બીજાનું અસ્તિત્વ આપણાથી સહન ન થાય, આ ધરતી ઉપર હું એકલો જ બસ છું, બીજું કોઈ જોઈએ નહિ એવી જે પોતાની ઇચ્છા એવી જે પોતાની વૃત્તિ તે ધૃણાને કારણે છે. પરમકૃપાળુદેવે સોળ વર્ષની ઉંમરે મોક્ષમાળામાં અભુત કાવ્ય લખેલ છે. તેમાં કહ્યું છે કે Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005521
Book TitleAtmasiddhishastra Part 01
Original Sutra AuthorShrimad Rajchandra
AuthorBhanuvijay
PublisherSatshrut Abhyas Vartul
Publication Year2011
Total Pages492
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy