SearchBrowseAboutContactDonate
Page Preview
Page 269
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૧૮ પ્રવચન ક્રમાંક - ૧૯, ગાથા ક્રમાંક - ૧૮ આનંદધનજી મહારાજે પણ કહ્યું છે કે... ગચ્છનાં ભેદ બહુ નયન નિહાળતાં, તત્ત્વની વાત કરતાં ન લાજે, ઉદર ભરણાદિ નિજ કાજ કરતાં થકાં, મોહનડિયાં કલિકાલ રાજે. આ ત્રણે મહાપુરુષોએ કહેલ વાતનો તાળો મળી ગયો. પરમાર્થ સંબંધી કલ્પના કરવી તે વાસ્તવિકતા નથી.” પરમાર્થ સંબંધી કલ્પના, પરમાર્થ લાભની કલ્પના, અવસ્થા ન હોય, ભૂમિકા ન હોય, પ્રાપ્તિ થઈ ન હોય, અંદરમાં અનુભૂતિ થઈ ન હોય પરંતુ માને કે અમને અનુભવ થયો છે, દર્શન થયું છે, પાર પામી ગયા છીએ, હવે કંઈ કરવાનું અંદરમાં બાકી નથી, એવી કલ્પના કરીને પરમાર્થ વિષે વાત કરવી. આ અંતરાયભૂત બીજું કારણ છે. પરમકૃપાળુ દેવે સદ્ગુરુ માટે ટોચની વાત કરતા કહ્યું છે કે “ગુરુ રહ્યાં છઘસ્થ પણ વિનય કરે ભગવાન.” અને સાથે સાથે કડક શબ્દોમાં ચેતવણી આપતા કહ્યું કે અસગુરુ એ વિનયનો, લાભ લહે જો કાંઈ, મહામોહનીય કર્મથી, બૂડે ભવજળ માંહી. અડધી ગાથામાં વાત પ્રામાણિક પુરુષ માટે, નિષ્ઠાવંત પુરુષ માટે છે. અને પછી અડધી ગાથામાં કહ્યું કે જેનામાં તથા પ્રકારની અવસ્થા થઈ નથી, દશા થઈ નથી, સદ્ગુરુ યોગ્ય લક્ષણ નથી, ભૂમિકા પ્રાપ્ત થઈ નથી અને પોતામાં સદ્દગુરુપણાનો આરોપ કરીને, અમે જે સિદ્ધાંત કહીએ છીએ, તેનો જો કોઈ લાભ લે તો “મહામોહનીય કર્મથી બૂડે ભવજળ માંહી.” આટલા કડક શબ્દોમાં પરમકૃપાળુ દેવ જ ચેતવણી આપી શકે. સદ્ગુરુ જેમ શાસ્ત્રને આગળ રાખી વાત કરે છે તેમ અસગુરુ પણ શાસ્ત્રોને આગળ રાખીને વાત કરે છે. એમનો પણ મીડીયા આ શાસ્ત્રો છે. બંને એક જ શાસ્ત્રની વાત કરે છે. સદ્ગુરુ વીતરાગ પરમાત્મા વતી કહે છે પણ અસદ્દગુરુ પોતે વચમાં આવે છે અને તેથી શાસ્ત્રના નામે બહુ મુશ્કેલી ઊભી કરે છે. આવી અવસ્થા હોવાને કારણે પોતાને જે પ્રાપ્ત થવું જોઈએ તે પ્રાપ્ત કરી શકતા નથી. ચિદાનંદજીએ કહ્યું, “જાકુ જાકુ પૂછીયે સૌ અપની અપની ગાવે, સાચા મારગ કોઉ ન બતાવે.” જેને જેને પૂછીએ તે સૌ પોતાની જ વાત ગાય છે. સાચો માર્ગ કોઈ બતાવતું નથી. સાચો માર્ગ મળવો, સાચો રસ્તો મળવો બહુ કઠિન છે, ખોટાં માર્ગો ઊભા થયાં છે. સદગુરુ વગર સાચો માર્ગ શોધવો અત્યંત મુશ્કેલ છે. મહાપુરુષોએ કહ્યું છે કે તીર્થકર દેવો મલિયા’ માર્ગને આપવાવાળાં છે, સન્માર્ગે દોરી જનારાં છે. માર્ગ આપે છે, શરણ આપે છે, બોધિ આપે છે, અને હાથ પકડીને તમને ત્યાં લઈ પણ જાય છે. આવું અદ્ભુત Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005521
Book TitleAtmasiddhishastra Part 01
Original Sutra AuthorShrimad Rajchandra
AuthorBhanuvijay
PublisherSatshrut Abhyas Vartul
Publication Year2011
Total Pages492
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy