SearchBrowseAboutContactDonate
Page Preview
Page 268
Loading...
Download File
Download File
Page Text
________________ આત્મસિદ્ધિશાસ્ત્ર પ્રવચનમાળા ૨૧૭ બંડલ છે. ગુરુના ચરણોમાં તેને મૂકવાં છે. શિષ્ય આવી રહ્યો છે અને ગુરુ શિષ્યને કહે છે છોડી દે, છોડી દે.' શિષ્ય ડાબા હાથનું બંડલ છોડ્યું અને જમણાં હાથમાં રહેવા દીધું. ફરી ગુરુએ કહ્યું “છોડી દે', તો જમણા હાથનું પણ છોડી દીધું. બંને ખાલી હાથે થયાં અને પછી ચાલ્યો આવે છે. પાછું ગુરુ મહારાજે કહ્યું કે “છોડી દે”, પેલાને મૂંઝવણ થઈ. ડાબાનું છોડ્યું, જમણાનું પણ છોડ્યું, હવે શું છોડવાનું હશે? ઊંડો વિચાર કરતાં ખ્યાલ આવે છે કે “આ મેં છોડ્યું છે, એ સ્મૃતિ છોડવાની જરૂર છે.' તમને કંઈ સમજાણું? મેં છોડ્યું તે યાદ રહી જાય છે. છોડ્યા પછીમાં તેને યાદ રાખવાનું કામ ભાન કરે છે, આપણો અહંકાર કરે છે. મેં કંઈ ઓછું છોડ્યું નથી, તમે તો લાખ છોડીને દીક્ષા લીધી, મેં તો દશ લાખ છોડીને દીક્ષા લીધી છે. વધારે છોડ્યું એટલે તમારા કરતાં એક વેંત ઊંચા થયા. પોતે જે છોડ્યું છે તેને ભૂલી જાય, વિસ્મરણ કરે, તે ખરો કહેવાય, પરંતુ આ અહંકાર અને માન તેનું વિસ્મરણ નહિ થવા દે. એટલા માટે કહ્યું કે, પોતાનાં ડહાપણે ચાલતાં આ બધા કષાયો નાશ પામી શકે તેમ નથી. અનંતાનુબંધી માન, ક્રોધ, માયા, લોભ આ ચાર સમ્યકત્વને રોકનાર છે. શાસ્ત્રોમાં ફરી ફરી સમક્તિની વાત આવ્યા જ કરે છે, ઉપાય નથી, કારણ કે પહેલાં દર્શન થવું જોઈએ. સમ્યગ્ગદર્શન મોક્ષનો ભવ્ય દરવાજો છે. એ દરવાજામાંથી મોક્ષમાં પ્રવેશ થઈ શકશે. પરંતુ સમ્યગદર્શન થવામાં અંતરાયભૂત થોડાં કારણો છે. - તેમાં પહેલું કારણ હું જાણું છું તે જ સાચું છે', સમજાય છે? “તમે બહુ ડાહ્યા થશો નહિ, તમને મારા કરતાં કંઈ વધારે સમજણ પડતી નથી. અમે ઘણી દુનિયા જોઈ છે. અને તમે તો હજુ ઊગી નીકળ્યા છો.' હું જાણું છું તે જ સાચું એમ નક્કી કરો એટલે મોક્ષનાં દ્વાર બંધ થઈ ગયા. ‘હું કરું છું તે પણ સાચું જ છે.” હવે તેને ફેરફાર કે પરિવર્તન કરવાનું કહેશે કોણ? જેણે નક્કી કરી લીધું કે જે હું કરું છું અને જાણું છું, તે જ સાચું છે, આવો આગ્રહ જેના જીવનમાં હશે તેણે વિકાસના દરવાજા બંધ કરી દીધા. તેની ભૂલ થતી હશે તો પણ નહિ સુધરે, અને તેને કોઈ સમજાવે તો પણ નહિ સમજે. કારણ કે તેણે નક્કી કરી લીધું છે કે પોતે જે સમજે છે તે જ બરાબર છે. ખોટું હોય તો પણ જે માન્યું છે તે જ સાચું એવું સ્વીકારવું અને તેવું માનીને જીવવું તેને શાસ્ત્રો માન, અભિમાન અથવા અહંકાર કહે છે. આ એક વાત થઈ. પોતાની બુદ્ધિએ ધર્મ સંબંધી પરમાર્થની કલ્પના કરવી એ બીજો મોટો દોષ છે. યશોવિજયજી મહારાજે ૩૦૦ વર્ષ પહેલાં કહ્યું હતું કે... ધૂમધામે ધમાધમ ચલી, જ્ઞાનમારગ રહ્યો દૂર રે, સ્વામી સીમંધરા વિનતિ. દેવચંદ્રજી મહારાજે પણ કહ્યું કે... દ્રવ્ય ક્રિયા રુચિ જીવડા, ભાવધર્મ રુચિ હીન, ઉપદેશક પણ તેહવા, શું કરે જીવ નવીન? Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005521
Book TitleAtmasiddhishastra Part 01
Original Sutra AuthorShrimad Rajchandra
AuthorBhanuvijay
PublisherSatshrut Abhyas Vartul
Publication Year2011
Total Pages492
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy