SearchBrowseAboutContactDonate
Page Preview
Page 265
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૧૪ પ્રવચન ક્રમાંક - ૧૯, ગાથા ક્રમાંક - ૧૮ સાંભળવું હોય તો સાંભળી શકાય તેવું પણ નથી. ભગવદ્ ગીતામાં એક અદ્ભુત શ્લોક મૂક્યો છે. કોઈ આશ્ચર્ય મુગ્ધ બનીને આત્માની વાત કરે છે. કોઈ આશ્ચર્યમુગ્ધ બનીને સાંભળે છે અને કોઈ આશ્ચર્યમુગ્ધ બનીને આત્મા છે તેમ પણ કહે છે, પરંતુ અમને એમ કહેવા દો કે આ આશ્ચર્યમુગ્ધ બનીને કહેનારા હજુ અતીન્દ્રિય સૃષ્ટિની બહાર ઊભા છે, અંદર ગયા નથી. એ અતીન્દ્રિય સૃષ્ટિમાં દોરી જવાનું કામ જે કરે છે તે સદૂગુરુ. કોઈ કહેશે સગુરુની શી જરૂર છે? કંઈ જરૂર નથી, પણ જેને અતીન્દ્રિય સૃષ્ટિમાં જવું હશે, પ્રવેશ કરવો હશે, તેને સરુની જરૂર પડશે. અતીન્દ્રિય સૃષ્ટિમાં રહેલું તત્ત્વ જેને રૂપ, રંગ, વજન કે કદ નથી એવા, અરૂપી એટલે જે અવર્ણ, ગંધ, અરસ, અસ્પર્શ છે અને સમયસારજીમાં જેને માટે અલિંગ ગ્રહણ એવો શબ્દ વાપર્યો છે, જે કોઈપણ ચિન્હથી ગ્રહણ ન થાય અને ન પકડાય એવા આત્મામાં, જે ઈન્દ્રિયોની પેલી પાર છે તેવી અતીન્દ્રિય સૃષ્ટિમાં પ્રવેશ કરાવવાનું કામ સદ્ગુરુ દ્વારા થાય છે. ત્રીજી વાત..સગુરુ એ સૃષ્ટિનો અનુભવ કરીને આપણા વચ્ચે આવ્યાં છે. ત્યાં જઈને, ત્યાંથી પાછા ફરીને, અહીં આવ્યા છે. કેટલાક અનુભવીઓ એવા છે કે અંદર ડૂળ્યા તે ડૂળ્યા. આપણને કહેવા આવ્યા જ નથી અને આવવા જેવું પણ નથી, પણ કેટલાક અનુભવીઓ કરુણાથી ખેંચાઈને, કરુણાથી પ્રેરાઈને, અતીન્દ્રિય સૃષ્ટિનો અનુભવ કરીને, સ્થૂલ ભૂમિકા ઉપર આપણી વચ્ચે આવ્યા છે અને અતીન્દ્રિય સૃષ્ટિનો અણસાર આપવાનું કામ કરે છે. તમને ક્યાંથી ઝલક મળશે? તમને અણસાર ક્યાંથી મળશે? કોણ એ દિશા બતાવશે? કોણ ઓળખાણ આપશે? આત્મા નામનો શબ્દ ઘણાંને ખબર નથી, એવા અરૂપી અતીન્દ્રિય આત્મા તરફ દોરી જવાનું કામ, અતીન્દ્રિય સૃષ્ટિમાં ડૂબકી મરાવવાનું કામ, અને ડૂબકી મારતા હોય એમને ધક્કો મારવાનું કામ ગુરુ કરે છે. તમારે અતીન્દ્રિય સૃષ્ટિમાં જવું હશે તો સદ્ગુરુ વગર નહિ ચાલે. એ લઈ જતાં નથી, પણ તેમની હાજરીમાં જવાનું મન થાય છે. તેઓ કહેતાં નથી, પણ એ તરફ દોડવાનું મન થાય તેવું તેમનું અસ્તિત્વ છે, એવી તેમની હાજરી છે, માત્ર હાજરીથી કામ થાય. ક્યા દિવસે સૂર્યએ કહ્યું કે અમે આકાશમાં આવી રહ્યા છીએ, ઊઠો, સવાર થઈ ગઈ. પરંતુ સૂર્યોદય થતાં તમે જાગી જાઓ છો. સૂર્યની હાજરીમાં તમે જાગો છો. સદ્ગુરુની હાજરીમાં ઝણકાર આવે, અંદરથી ધૂન આવે, સદ્ગુરુની હાજરીમાં અંદરથી લગન લાગે, અંદરથી ભાવ અને શ્રદ્ધા થાય, સદ્ગુરુની હાજરીમાં અંદરથી સંવેદના આવે કે ચાલો, અતીન્દ્રિય સૃષ્ટિ અમારે જોવી છે. જગત તો જોયું. ભૌતિક સૃષ્ટિતો જોઈ પણ અતીન્દ્રિય સૃષ્ટિજોઈ નથી. અતીન્દ્રિય સૃષ્ટિમાં જવાનું કામ જેને કરવું છે તેને એવી વ્યક્તિ જોઈશે કે જેણે અતીન્દ્રિય સૃષ્ટિ જોઈ છે, જાણી છે, માણી છે, Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005521
Book TitleAtmasiddhishastra Part 01
Original Sutra AuthorShrimad Rajchandra
AuthorBhanuvijay
PublisherSatshrut Abhyas Vartul
Publication Year2011
Total Pages492
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy