SearchBrowseAboutContactDonate
Page Preview
Page 266
Loading...
Download File
Download File
Page Text
________________ આત્મસિદ્ધિશાસ્ત્ર પ્રવચનમાળા ૨૧૫ અનુભવી છે અને કરુણાના કારણે હાથ પકડીને ત્યાં લઈ જાય છે, તેમને સદ્ગુરુ કહે છે. - સગુરુ એ છે કે જેઓ આપણા જીવનમાં આવીને, આપણા સમગ્ર અસ્તિત્વનું ઉદ્ઘાટન કરે. આપણા ચૈતન્ય બીજને ખીલવે. બિયારણ પેક કરી ખેડૂત તિજોરીમાં મૂકે, અને સો વર્ષ જાય તો પણ બિયારણ બિયારણ જ રહેશે. પરંતુ એક દાણો પણ જો ખેડૂત ખેતરમાં વાવે તો એક દાણામાંથી મોટો છોડ તૈયાર થાય, અને કદાચ વૃક્ષ પણ તૈયાર થાય. આપણી પાસે પણ મૂળભૂત બીજ છે તે ખીલ્યું નથી. નિગોદમાં પણ બીજ હતું અને એકેન્દ્રિયમાં હતાં ત્યારે પણ બીજ હતું. પશુગતિમાં હતા ત્યારે અને આજે મનુષ્ય છીએ ત્યારે પણ બીજ છે. આપણે તેને તિજોરીમાં રાખ્યું છે, ખીલવવા માટે પ્રયત્ન કર્યો નથી. એ બીજને ખીલવવાનું કામ જે કરે છે તેને કહેવાય છે સદ્ગુરુ. સદ્ગુરુ બીજને ખીલવે છે, પ્રગટ કરે છે, અને ખીલવવાની પ્રક્રિયામાં એ સામેલ થાય છે. ચોથી મહત્ત્વની વાત, બાકી બધા ભૌતિક જગતના પ્રશ્નો કદાચ ઉકેલી શકાશે પણ આંતરિક જગતનાં પ્રશ્નો ઉકેલવાનું કામ ભૌતિક સુષ્ટિના વૈજ્ઞાનિકો કરી નહિ શકે. તેના માટે આધ્યાત્મિક સત્તા જોઈએ. વાંચતા નથી આવડતું, તો અક્ષરજ્ઞાન આપનાર છે. સંગીત નથી આવડતું તો સંગીત શીખવનાર છે, નૃત્ય અને ડીસ્કો નથી આવડતા તો શીખવનાર પણ છે, પરંતુ ચૈતન્યમાં ડૂબકી મારવી હોય તો કોણ શીખવનાર છે? આત્મામાં ડૂબકી મારવી છે, સ્વરૂપની અનુભૂતિ કરવી છે તો કોણ શીખવનાર છે? એવી અનુભૂતિ કરાવનાર જે પરિબળ તેને કહેવાય છે સદ્ગુરુ. તમે સદ્ગુરુનું કામ સમજી લ્યો. બધી વાત કરતી વખતે એ વાત ભૂલશો નહિ કે સદ્ગુરુ કંઈ જ કરતાં નથી-માત્ર હાજર હોય છે. હાજર રહેવું અને આખી પ્રક્રિયાને જોવી એ કઠિનમાં કઠિન કામ છે. આપણે તો બોલ્યા અને કહ્યા વગર રહી શકતા નથી. એક બાળક વિકાસ પામતું પામતું વૃદ્ધ થાય, એક બીજ ખીલતું ખીલતું વૃક્ષ થાય, બીજનો ચંદ્રમાં ખીલતો ખીલતો પૂર્ણિમાનો ચંદ્ર બને, એ પ્રક્રિયાને જોવી તેના કરતાં પણ આ જીવ ખીલતો ખીલતો શિવ થઈ જાય અને આત્મા ખીલતો ખીલતો પરમાત્મા થઈ જાય એ પ્રક્રિયાને જોવી તે પરમ ધીરજનું કામ છે. એવું પરમ ધૈર્ય જેમની પાસે છે તેમને કહેવાય છે સગુરુ. વિચાર કરજો, સદ્ગુરુ શિક્ષક નથી. શિક્ષક સર્જક છે પણ ઉદ્ઘાટક નથી, સદ્ગુરુચેતનાનું ઉદ્ઘાટન કરે છે. જેનામાં તાલાવેલી ન હોય એનામાં તાલાવેલી જગાડે છે અને જેને તાલાવેલી લાગી છે તેને પાર પમાડે છે. આ બન્ને કામ કોઈપણ જાતની અપેક્ષા વગર, બદલાની આશા રાખ્યા વગર સગુરુ કરે છે. શિષ્ય તો બધું આપવા તૈયાર છે, પરંતુ સદ્ગુરુને કંઈપણ જોઈતું નથી. આવી તેમની અવસ્થા છે. અહીં એક મહત્ત્વની વાત કરે છે કે, Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005521
Book TitleAtmasiddhishastra Part 01
Original Sutra AuthorShrimad Rajchandra
AuthorBhanuvijay
PublisherSatshrut Abhyas Vartul
Publication Year2011
Total Pages492
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy