SearchBrowseAboutContactDonate
Page Preview
Page 263
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રવચન ક્રમાંક - ૧૯, ગાથા ક્રમાંક - ૧૮ પ્રવચન ક્રમાંક - ૧૯ ગાથા ક્રમાંક - ૧૮ માન રોકાય છે - સના શરણમાં માનાદિક શત્રુ મહા, નિજછંદે ન મરાય; જાતાં સદ્ગુરુ શરણમાં, અલ્પપ્રયાસે જાય. ૧૮. ટીકા માન અને પૂજા સત્કારાદિનો લોભ એ મહા શત્રુ છે. તે પોતાના ડહાપણે ચાલતાં નાશ ન પામે, પરંતુ સદ્ગુરુના શરણમાં જતાં સહજ પ્રયત્નમાં જાય. (૧૮) સદ્ગુરુના લક્ષે વર્તવું, એવું અહીં ભારપૂર્વક કહેવામાં આવ્યું છે. તમને પ્રશ્ન થશે કે સદ્ગુરુ, સદૂગુરુ, ગુરુ આજ્ઞા પાલન કરો, એવું ભારપૂર્વક શા માટે કહો છો? ઘણાં બધા સાધનો અને ઉપાયો માનને દૂર કરવા માટે છે. સદ્દગુરુથી જ થાય તેવું શા માટે ? તમને એમ લાગશે કે સદૂગુરુ અમારી પાછળ પડ્યા છે અથવા તો એમને કોઈપણ રીતે અમારા જીવનમાં આવવું છે. જે કૃષ્ણમૂર્તિ કહે છે કે આ ગુરુવાદ અને ગુરુગમથી બચવા જેવું છે. આ ગુરુઓ શોષણ કરે છે, આધ્યાત્મિક શોષણ કરે છે, તેમાંથી માનવ જાતને મુક્ત કરવા જેવી છે. આવી ક્રાંતિકારી વાત તેઓ કરે છે, પણ તે એક પક્ષની વાત કરે છે. બે ત્રણ કારણો સમજી લઈએ, જેથી વાતની સ્પષ્ટતા થાય. પહેલી વાત તો એ છે કે સદ્દગુરુ કંઈ કરતાં નથી. તેઓ માત્ર હાજર છે. તેઓ અકર્તા છે. બારીકાઈથી વાત ખ્યાલમાં લેજો. તેઓ માત્ર હાજર છે. તેઓ કંઈ કરતા નથી પણ કાર્ય તેમની હાજરીમાં થાય છે. કોઈએ સંતને કહ્યું કે તમે મને કંઈક આપો જેથી મારો રોગ મટી જાય.” સંતે કહ્યું કે, “હું તમને કંઈક આપું તો તમને રોગ તો મટી જશે પણ મને મહારોગ થશે. અહંકારનો રોગ, કર્તુત્વનો રોગ, મેં દર્દો-રોગ મટાડ્યા તેનો રોગ, ભલું કર્યું તેનો રોગ.” એ રોગથી એમને બચવું છે. સદૂગુરુને સમજી લ્યો. સદ્દગુરુને કંઈ કરવું નથી. ક્રિયા છે, કર્મ છે, પણ કર્તુત્વ નથી. એમના સમગ્ર જીવનની ચર્યા પૂર્વનાં પ્રારબ્ધનાં પ્રયોગથી ચાલે છે. ટ્રેઈનના ડબ્બાને એન્જિન સાથે જોડો, એન્જિન જ્યાં જાય ત્યાં ડબ્બો પણ જશે. પ્રારબ્ધ એન્જિન છે, એ એમને ખેંચી જાય છે. “વિચરે ઉદયપ્રયોગ', એટલે કર્મના ઉદય પ્રમાણે કાર્ય થશે. તેઓ માત્ર પૂર્વના પ્રારબ્ધના વેગથી જીવનની સમગ્ર ક્રિયા કરે છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005521
Book TitleAtmasiddhishastra Part 01
Original Sutra AuthorShrimad Rajchandra
AuthorBhanuvijay
PublisherSatshrut Abhyas Vartul
Publication Year2011
Total Pages492
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy