SearchBrowseAboutContactDonate
Page Preview
Page 261
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૧૦ પ્રવચન ક્રમાંક - ૧૮, ગાથા ક્રમાંક - ૧૭ સમાધિ મરણ થયું. તેને શાંતિ થઈ. મરણ પામી દેવલોકમાં ગયો. દેવલોકમાં ગયો તે વાત જુદી છે. પણ “આણું તાણે કંઈ ન જાણું, શેઠનું વચન પ્રમાણું.” શેઠના આ વચનને ચોર પ્રમાણ ગણે છે. તીર્થંકર પરમાત્માને જો પ્રમાણ ગણીએ તો એમના વચનો પણ પ્રમાણભૂત થયા. પરમાત્માના વચનોની રુચિ થઈ, તેઓ ગમ્યા. મીરાંબાઈએ કહ્યું કે “લોકો એમ કહે છે કે સંસાર સાગર ઘણો મોટો છે પણ અમને તો મોટો લાગતો નથી. અમારા માટે તો જુદું જ બની ગયું, ભવ સાગર સુક ગયો હૈ, કોણ કહે છે મોટો છે? સંસાર સાગર સૂકાઈ ગયો. રહ્યો જ નથી.” કોઈ પૂછે છે કે “મીરાં ! કહે તો ખરી, તને થયું શું? આ શાસ્ત્રો કહે છે કે સંસાર સાગર તરવો બહુ મુશ્કેલ છે. અનંત છે, વિશાળ છે અને તું એમ કહે છે કે ભવસાગર સુકાઈ ગયો.” ત્યારે મીરાં કહે છે કે લાગી લગન પ્રભુ ચરનનકી, પ્રભુ ચરનનકી, ગુરુ ચરનનનકી, લાગી લગન હરિ ચરનનકી.” આ ઘટના ઘટી ગઈ. લગન લાગી ગઈ. આથી મીરાંએ કહ્યું, “સંસાર સાગર સૂકાઈ ગયો.' આને કહેવાય છે રુચિ. મને પરમાત્મા વહાલા લાગે છે, એવી પ્રતીતિ અને આશ્રયથી “પછી સ્પષ્ટ વિસ્તાર સહિત જીવાજીવનું જ્ઞાન એને અનુક્રમે થાય છે.” કંઈ ન ભણ્યા હોય તો પણ ક્ષપકશ્રેણી માંડી શકાય. આઠમા ગુણસ્થાને જઈ શકાય. મરૂદેવી માતા પાઠશાળમાં દાખલ થયા ન હતા, પણ ક્ષપકશ્રેણી માંડી, કેવળજ્ઞાન પામ્યા. “મા તુષ અને મા રુષ.” આટલા શબ્દો સ્પષ્ટ બોલવાની હેસિયત જેનામાં નથી તેમણે પણ ક્ષપક શ્રેણી માંડી અને ભલભલા વિદ્વાનો ચર્ચા કરતાં જ રહ્યાં કે “પ્રત્યક્ષ છે, પરોક્ષ છે.” આ ચર્ચાનો વિષય નથી. અનુભવનો વિષય છે. “તથારૂપ પુરુષની આજ્ઞા ઉપાસવાથી રાગદ્વેષનો ક્ષય થઈ વીતરાગ દશા થાય છે”, માટે છેલ્લો નિષ્કર્ષ તથારૂપ સત્પુરુષના યોગ વિના એ સમક્તિ પ્રાપ્ત થવું ઘણું કઠણ છે, તો શું કરવું? સ્વચ્છેદ મત આગ્રહ તજી, વર્તે સદ્ગુરુ લક્ષ, સમક્તિ તેને ભાખિયું, કારણ ગણી પ્રત્યક્ષ. આ અભુત ગાથા છે. ફરી ઉપસંહાર કરી જઈએ. સ્વછંદ અને મતાગ્રહને તજીને જે સદ્ગુરુના લક્ષે નિરંતર વર્તે છે, તેને વીતરાગ પરમાત્માએ સમક્તિ કહ્યું છે. એટલા માટે કે નિર્વિકલ્પ અનુભૂતિરૂપ જે સમ્યગદર્શન છે, નિશ્ચયનયની દૃષ્ટિથી જે સમ્યગદર્શન વર્ણવ્યું છે, તેવું સમ્યગુદર્શન થવામાં આ સમક્તિ કારણરૂપ થાય છે. આ રસ્તે જ તમારે જવું પડશે. સ્વચ્છંદ મતાગ્રહ તજીને સદ્ગુરુના લક્ષે વર્તીને એની પ્રતીતિ, એની રુચિ અને એનો આશ્રય કરી, તે રીતે જીવતાં જીવતાં દીવા જેવું જ્ઞાન થશે, અને પ્રત્યક્ષ આત્માની અનુભૂતિ થશે. “સમક્તિ તેને ભાખિયું કારણ ગણી પ્રત્યક્ષ', આ સમક્તિનું કારણ છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005521
Book TitleAtmasiddhishastra Part 01
Original Sutra AuthorShrimad Rajchandra
AuthorBhanuvijay
PublisherSatshrut Abhyas Vartul
Publication Year2011
Total Pages492
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy