SearchBrowseAboutContactDonate
Page Preview
Page 260
Loading...
Download File
Download File
Page Text
________________ આત્મસિદ્ધિશાસ્ત્ર પ્રવચનમાળા ૨૦૯ તમારી આજ્ઞા.... કર્મને કહ્યું, “આના ઉપર તમારી સત્તાં નહિ ચાલે, તમે જાવ.” અને કર્મો ગયા. અને મોહને કહ્યું, ‘તમારે આનું નામ ન લેવું. આ મારો છે, મારો ભક્ત છે.” પરમાત્માએ મારો કહ્યો. તમે એક વખત આનંદમાં આવી એમ કહો. “પ્રભુ! હું તારો છું.” તો આનંદ થાય. “કંઈક જીવોને તીર્થકર સાચાં પુરુષ છે.” બસ તેઓ સાચાં મોક્ષમાર્ગના ઉપદેષ્ટા છે. જેમ તેઓ કહે છે, તેમજ મોક્ષમાર્ગ છે, એવી પ્રતીતિ, એવી રુચિ અને શ્રી તીર્થકરના આશ્રયથી અને નિશ્ચયથી તેમને સમક્તિ કહ્યું છે. “કર્મની કેટલી પ્રકૃતિઓ અને નય કેટલાં? સાત કે આઠ? સપ્તભંગી કઈ ? તો સાહેબ! અમે કંઈ જાણતા નથી. અમે એટલું જાણીએ છીએ કે ધિંગો ધણી, ચૌદભુવનનો ધણી માથે છે એવી પ્રતીતિ, એવી રુચિ અને એવા આશ્રયનો તથા આજ્ઞાનો નિશ્ચય છે.” આપણે મુશ્કેલીમાં હોઈએ અને કોઈનું શરણું લઈએ અને કહીએ કે “ભાઈ ! બે દિવસ તમારા ઘરમાં રહેવા દો. વોરંટ આવ્યું છે. મારે છુપાઈને રહેવું છે. મને આશરો આપો.' “તે પણ એક પ્રકારે જીવાજીવના જ્ઞાન સ્વરૂપ છે.” ભલે તેને જીવ, અજીવ, આગ્નવ, બંધ, સંવર, નિર્જરા અને મોક્ષ; ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશ, કાળ; નૈગમ, સંગ્રહ, વ્યવહાર, ઋજુસૂત્ર, શબ્દ વગેરે નયો; ચાતુ અસ્તિ, સ્યા નાસ્તિ, સ્યાત્ અવક્તવ્ય, સ્યાદ્ અતિ અવક્તવ્ય, સ્યાત્ નાસ્તિ અવક્તવ્ય; ચૌદ ગુણસ્થાન, આ બધુ બોલતાં ન આવડતું હોય પણ તે તીર્થંકર દેવ સાચાં છે, બસ તેમનો જ આશ્રય “એક ભરોસા તેરા.” બસ પ્રભુ! એક તારો જ ભરોસો, તારા ભરોસે જીવવાનું છે, આવો દૃઢ નિશ્ચય જેમણે કર્યો તે પણ એક પ્રકારે, એક દૃષ્ટિથી જીવાજીવના જ્ઞાન સ્વરૂપ છે, આને જીવાજીવના જ્ઞાન સ્વરૂપ કહ્યું. મઝાની એક વાર્તા છે. એક ચોરે ચોરી કરી છે. તેને શૂળી ઉપર ચડાવ્યો છે, બપોરનાં બાર વાગ્યાં છે, તરસ લાગી છે, પીડા સહન થતી નથી અને પાણી પાણી થઈ રહ્યું છે. રાજાએ કહ્યું છે કે આને જે પાણી પાશે તેને પણ આવી શિક્ષા થશે. ત્યાંથી નગર શેઠ નીકળ્યાં. ચોર કહે છે “શેઠ ! મને પાણી પાવને. તરસ સહન થતી નથી.” શેઠે કહ્યું, પાણી ઘરેથી ભરીને લઈ આવું છું, ત્યાં સુધીમાં તું “નમો અરિહંતાણું, નમો અરિહંતાણં એમ બોલ્યા કર.” સૈનિકોએ કહ્યું, “શેઠ! તમે પાણી લાવશો તો તમને પણ શૂળીએ ચઢાવવાની શિક્ષા થશે.” “કંઈ વાંધો નહિ. આનું ભલું થતું હોય તો ભલે મને શૂળીની શિક્ષા થાય.” શેઠ પાણી લેવા ગયા છે. ચોર “નમો અરિહંતાણમુ એ ભૂલી ગયો અને આણે તાણે કંઈ ન જાણું, શેઠનું વચન પ્રમાણું.’ આ રીતે જાપ કરતાં કરતાં એ ચોરનું Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005521
Book TitleAtmasiddhishastra Part 01
Original Sutra AuthorShrimad Rajchandra
AuthorBhanuvijay
PublisherSatshrut Abhyas Vartul
Publication Year2011
Total Pages492
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy