SearchBrowseAboutContactDonate
Page Preview
Page 259
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦૮ પ્રવચન ક્રમાંક - ૧૮, ગાથા ક્રમાંક - ૧૭ છે, અનંતાનુબંધી કષાય છે, છતાં તેને સમક્તિ કહ્યું છે કારણ કે સમક્તિનું ફૂલ આમાંથી નક્કી ખીલવાનું છે. એ વાત શંકા વગરની છે. આને કારણ સમક્તિ કહ્યું છે. આ થશે તો નિર્વિકલ્પ અનુભૂતિ થશે. વચનામૃત ૭૭૧ માં પરમકૃપાળુ દેવે બહુ મહત્ત્વની વાત કરી છે. આ વચનામૃત ઘણી વખત વાંચી જવામાં આવ્યું છે પણ મુંબઈ સમાચારની જેમ વાંચી ગયા છીએ, પણ તેમ ન વંચાય. વચનામૃતજીનો શબ્દે શબ્દ અદ્ભુત છે. ‘મોક્ષમાર્ગની નિશાની સમ્યગ્દર્શન છે.’ ધજા દેખાય એટલે ખબર પડે કે મંદિર છે. ધૂમાડો દેખાય એટલે ખબર પડે કે અગ્નિ છે. હોબાળો થાય ત્યારે ખબર પડે કે કંઈક થયું છે, તેમ મોક્ષમાર્ગની નિશાની સમ્યગ્દર્શન છે. આ ચિન્હ છે. તેની પ્રાપ્તિ શાથી થાય ? શું કરવાથી થાય ? કેવી રીતે થાય ? આ મોક્ષની નિશાની તો છે, પણ કરવું શું પડે ? ‘ભગવત્ તીર્થંકરના નિગ્રંથ, નિગ્રંથિનીઓ, શ્રાવક તથા શ્રાવિકાઓ કંઈ સર્વને જીવ અજીવનું જ્ઞાન હતું તેથી તેને સમક્તિ કહ્યું છે, એવો સિદ્ધાંતનો અભિપ્રાય નથી.’ આ બધાને જીવાજીવનું જ્ઞાન હતું, તેટલા માટે સમક્તિ કહ્યું છે તેમ નથી. એવો સિદ્ધાંતનો અભિપ્રાય નથી. સમક્તિ કેમ થયું ? શું થયું ત્યાં ? કયું પરિબળ ? કયું પોઝીટીવ ફેક્ટર ત્યાં કામ કરતું હતું ? ‘તેમાંથી કંઈક જીવોને તીર્થંકર સાચાં પુરુષ છે', એવો જે સ્વીકાર હતો તે બહુ મોટી વાત છે. આનંદધનજીએ કહ્યું, ભગવાન ! હવે ચિંતા ગઈ, હવે મૂંઝવણ ગઈ. પહેલાં અમે એમ કહેતાં હતાં કે મોહ જબરો છે, કામવાસના જબરી છે, લોભ જબરો છે, કષાય જબરા છે, પણ પ્રભુ ! એ અમારી ભૂલ હતી. અમે એટલા માટે કહેતાં હતાં કે તું નહોતો મળ્યો. હવે તું મળ્યો, તેથી બીક ગઈ, ભય ગયો. હવે શું થયું ? ‘થિંગ ધણી માથે કિયા રે કુણ ગંજે નર ખેટ, વિમલ જિન દીઠાં લોયણ આજ.’ (આનંદઘનજી) પ્રભુ ! મેં તમને જોયાં. ફોજદારની ઘરવાળી શાક માર્કેટમાં જાય અને શાકનો ભાવ પૂછે તો શાકવાળો કહેશે કે ‘‘શું કરવા બહેન પૂછો છો ? આ શાક તમારું જ છે’’ શાકવાળો આવું કેમ કહે છે ? ફોજદા૨ની ઘરવાળી છે માટે કહે છે. ફોજદારની ઘરવાળી છે માટે વટ પડે છે તો તીર્થંકરદેવનો કોઈ વટ જ નહીં. તમે તીર્થંકરદેવને શું સમજો છો ? એ ધિંગોધણી છે. લોકો એમ કહેતા હોય છે કે મનમોહનસિંહ અમારા ગજવામાં છે. તમે એક વખત તો કહો કે તીર્થંકર મારા માથે છે. મારો ધણી છે. એ સામાન્ય નથી. ચૌદ ભુવનનો ધણી છે. ભાગવતમાં મધુર રીતે એક વાત કરેલ છે. ભગવાન કૃષ્ણે ત્રણ જણને બોલાવ્યા. માયાને બોલાવી, કર્મસત્તાને બોલાવી અને મોહને બોલાવ્યો. પછી કહ્યું ‘આ ભક્ત મારા શરણે આવ્યો છે. હવે માયા, તારી સત્તા નહિ ચાલે.’ માયા કહે છે ‘હા માલિક, જેવી Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005521
Book TitleAtmasiddhishastra Part 01
Original Sutra AuthorShrimad Rajchandra
AuthorBhanuvijay
PublisherSatshrut Abhyas Vartul
Publication Year2011
Total Pages492
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy