SearchBrowseAboutContactDonate
Page Preview
Page 258
Loading...
Download File
Download File
Page Text
________________ આત્મસિદ્ધિશાસ્ત્ર પ્રવચનમાળા ૨૦૭ સમજતાં હતાં, માનતા હતા તે એમણે મને કહ્યું અને તમે સ્વીકાર્યું, એ તમારો મત થઈ ગયો. મત માટે તમે સત્યને છોડવા તૈયાર થયાં. મત માટે તમે સત્યની ઉપેક્ષા કરી. મતને બચાવવા તમે સત્યનો દ્રોહ કર્યો. ભગવાન મહાવીરના જમાઈ જમાલી એમ કહે છે કે ભગવાન મહાવીર ખોટાં છે. શાસ્ત્રોમાં કહ્યું છે કે નવગ્રહ તો છે, શનિ, રાહુ, કેતુ, મંગળ વિગેરે પણ જમાઈ એ દશમો ગ્રહ છે. પણ એ દશમા ગ્રહ કરતાં પણ મતાગ્રહ અગિયારમો ગ્રહ જબરો છે. એની પકડમાંથી તમે છૂટી શકતાં નથી. સાત ખોટનો દીકરો છોડવો સહેલો છે પણ મત છોડવો ઘણો મુશ્કેલ છે. જમાલી તો ગયો, પણ પોતાની લાડકી દીકરી પ્રિયદર્શન પણ એક હજાર સાધ્વીઓને લઈને જમાલી પાછળ ગઈ. તેઓ બધાં જ કહેતા હતાં કે ભગવાન મહાવીર ખોટાં છે અને પ્રિયદર્શન પણ કહેતી કે જમાલી સાચા છે, મહાવીર નહિ. એ બાપાને ભૂલી. આ મતનો આગ્રહ. જમાલી સસરાને ભૂલ્યા એ મતનો આગ્રહ. મતનો આગ્રહ શું કામ કરાવે છે તે સમજી લો. જીવવાનું કેવી રીતે? “સ્વચ્છેદ મત આગ્રહ તજી, વર્તે સદ્ગુરુ લક્ષ.” વર્તે એટલે જીવવાનું, વર્તે એટલે વર્તવું, જીવવું, આચરવું. વર્તે એટલે રહેવું. કેવી રીતે રહેવું ? સદ્ગુરુના લક્ષે રહેવું. સદ્ગના લક્ષે રહેવું એટલે એમનો જ વિચાર, એમનું જ ભાવન, એમનું જ ચિંતન, એમનું જ અવલોકન, એમના જ શબ્દો, એમની આજ્ઞા. બસ એમની જ આજ્ઞા પ્રમાણે જીવવું. અંબાલાલભાઈ કહે છે “સ્વચ્છંદને તથા પોતાના મતના આગ્રહને તજીને જે સદ્ગુરુના લક્ષે ચાલે.' હવે લક્ષ એક જ રહ્યું. જેમ લગ્ન થાય એટલે સ્ત્રી પોતાના પતિની અનુગામી થાય છે. પતિના પગલે પગલે ચાલે છે. સીતાજીને કોઈએ પૂછ્યું કે “તમે સુકોમળ છો, જનકવિદેહીના દીકરી છો, ધરતી ઉપર પગ નથી મૂક્યો. પાલખીમાં જ ફર્યા છો, દાસ દાસીઓ વચ્ચે રહ્યાં છો, આજે તમે રામજી પાછળ ઉઘાડે પગે ચાલો છો, તમને પગમાં પીડા થતી નથી ?' સીતાજીએ કહ્યું, “ભાઈ ! મને પીડા થતી નથી પણ આનંદ આવે છે. રામજીની પાછળ હું ચાલું છું, અને તેમની પાછળ ચાલતાં ચાલતાં, પગલે પગલે પ્રસન્ન થઉં છું. એમના પગ જોઉં છું અને જીવનમાં બધા દુઃખને ભૂલી જાઉં છું. મને જનક યાદ નથી આવતાં, મને મિથિલા કે સંપત્તિ યાદ નથી આવતી. મને અયોધ્યા કે મારી મહેલાતો પણ યાદ નથી આવતી. મારા પતિના ચરણને નિરખતી નિરખતી હું જાઉં છું.' આને કહેવાય છે વર્તે લક્ષ. “સદ્દગુરુના લક્ષે વર્તે તેને પ્રત્યક્ષ કારણ ગણીને વીતરાગ પરમાત્માએ સમક્તિ કહ્યું છે.” આમાં આત્માની અનુભૂતિ નથી. સમ્યગદર્શન થયું નથી. દર્શન મોહ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005521
Book TitleAtmasiddhishastra Part 01
Original Sutra AuthorShrimad Rajchandra
AuthorBhanuvijay
PublisherSatshrut Abhyas Vartul
Publication Year2011
Total Pages492
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy