SearchBrowseAboutContactDonate
Page Preview
Page 257
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦૬ પ્રવચન ક્રમાંક - ૧૮, ગાથા ક્રમાંક - ૧૭ સદ્ગુરુ ઉમેરાય તેના પહેલાં તૈયારી શું કરવાની? મકાન સાફ કરવાનું? રંગોળી કરી રાખવાની? શ્રીફળ મૂકવાનું? સવા રૂપિયો મૂકવાનો? શું કરવાનું? બે કામ કરવા પડશે. સ્વછંદ અને મતાગ્રહ છોડવા પડશે. આપણને અનંતવાર સગુરુ મળ્યાં છે. “અત્યારે છે કે નહિ? આ ધરતી ઉપર છે કે નહિ? નથી મળતાં, પહેલાં થઈ ગયા, હવે હોય નહિ.” આ બધી વાતો છોડો. તમે તૈયારી તો કરો, પછી સદ્ગુરુ સામે આવશે. આવીને કહેશે કે “ચાલ બેટા.” પાટણ પાસે કનોડામાં નવિજયજી મહારાજ ગયા અને પાંચ વર્ષના જશવંતની માને કહે છે, “બેન ! આ બાળક હોનહાર છે, એને તમે મને આપો.' મા કહે –“આપ્યો.” અને એ જશવંત ઉપાધ્યાય યશોવિજયજી બન્યા. ધંધુકામાં દેવેન્દ્રસૂરિ મહારાજ પધાર્યા. માતા પાહિની પાંચ વર્ષના ચાંગદેવને (હેમચંદ્રાચાર્યને) લઈને ઉપાશ્રયમાં આવ્યા. ગુરુ મહારાજે માતાને કહ્યું કે “આ પુત્ર મને આપી દો.” માતાએ પુત્ર આપી દીધો. તમે શેની વાતો કરો છો કે સદ્ગુરુ મળતાં નથી. અરે ! તમે તૈયાર નથી. તમે એક વાર તૈયાર તો થાવ. સદ્ગુરુ તમારા આંગણે આવીને ઊભા રહે તો પણ તમે કહો છો કે અમને હમણાં ટાઈમ નથી. કોઈ ભક્ત ભગવાનને કહ્યું, “ભગવાન આટલી આટલી પ્રાર્થના કરીએ છીએ પણ કેમ તમે આવતાં નથી?” ભગવાને કહ્યું, “ભાઈ, હું ઘણી વખત તારે ઝાંપે આવ્યો, પણ બોર્ડ લગાડેલ હતું કે પરવાનગી સિવાય આવવું નહિ, તેથી પાછો વળી ગયો. બીજા ઠેકાણે પણ મને યાદ કર્યો એટલે ફરતો ફરતો હું ત્યાં ગયો હતો, તો ત્યાં બોર્ડ મારેલું હતું કે કૂતરાથી સાવધાન રહેજો, એટલે પાછો વળી ગયો. આવા તો કેટલાય બોર્ડ મારેલાં છે.” સદ્ગુરુ નથી મળતાં એ વાત છોડો. સદ્દગુરુ હાજર છે, પણ પ્રાપ્ત કરવા બહુ મોટી તૈયારી કરવી પડશે. સ્વચ્છંદ, મત, આગ્રહ છોડવાં પડશે. ગામડામાં ખેડૂત એમ કહે છે કે “સાહેબ ! અષાઢ મહિનો આવ્યો, વાડ પાકી કરી, ખેતર ખેડ્યું. હવે હાથ જોડીને બેઠા છીએ, મેઘરાજા ક્યારે પધારશે? તેની રાહ જોઈને તૈયારી કરીને બેઠા છીએ. વાડ, જમીન બધું તૈયાર છે.' તેમ સાધક પણ તૈયાર થઈને બેસે છે. સદ્ગુરુ ક્યારે પધારશે? તમે તૈયાર થઈને બેસશો તો સદ્ગુરુ આવશે ને આવશે જ. તમે મતને પોતાનો માન્યો છે. ખરેખર તો તમારો મત જ ક્યાં હોય છે? તમારી પસંદગી જ ક્યાં હોય છે? ક્યાં જનમવું? એ પણ નક્કી નહિ. તમે જન્મી ચૂક્યા. ખરેખર જો તમને પૂછવાનું રાખ્યું હોત કે તમારે ક્યાં જનમવું છે? તો સાહેબ ! તમે મુંબઈમાં તો નહિ જ, પણ અમેરિકામાં રોકફેલરને ત્યાં, રાષ્ટ્રપતિ બુશને ત્યાં જ તમારી પસંદગી જણાવત, બીજી રેંગીયેંગી જગ્યાએ નહિ, પણ તમને પૂછે છે કોણ? બીજું એ કે મા-બાપ જે Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005521
Book TitleAtmasiddhishastra Part 01
Original Sutra AuthorShrimad Rajchandra
AuthorBhanuvijay
PublisherSatshrut Abhyas Vartul
Publication Year2011
Total Pages492
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy