SearchBrowseAboutContactDonate
Page Preview
Page 256
Loading...
Download File
Download File
Page Text
________________ આત્મસિદ્ધિશાસ્ત્ર પ્રવચનમાળા ૨૦૫ આ મતાગ્રહ આવી ગયો. તે કહે છે, ‘દોસ્ત ! હવે જીવ ઉપર આપણું રાજ. તારું તું ચલાવ અને મારું જોર હું ચલાવું.' આવો જીવ સત્યને પામી શકે નહિ. એટલા જ માટે વારંવાર કહીએ છીએ કે બધું છોડવું સહેલું પણ સ્વચ્છંદ અને મતાગ્રહ છોડવા મુશ્કેલ છે. સ્વચ્છંદ કઈ રીતે જાય ? કારણ સમક્તિ કઈ રીતે થશે ? નિર્વિકલ્પ અનુભૂતિ શેમાંથી થશે ? આ ઘટના શું કરવાથી ઘટશે ? પરમકૃપાળુ દેવ કહે છે ‘સ્વચ્છંદ મત આગ્રહ તજી’, મને બોલતાં અને તમને સાંભળતાં વાર નહિ થાય. પણ આ બંને છોડતાં કેટલાંય જનમ કરવા પડે ? માટે હિંમત કરી સ્વચ્છંદ અને મતાગ્રહ છોડી દો. જેને સત્ય મેળવવું છે તે કોઈની શેહમાં તણાતો નથી, જેને સત્યની અનુભૂતિ અને સાક્ષાત્કાર કરવો છે તે ક્યાંય ઊભો રહેતો નથી. લોકો તમને કહેશે કે ‘તમે તેરમે ગુણસ્થાને છો, તમે ભગવાન છો.’ પણ તમે તમને જાણો છો કે તમે ક્યાં છો ? ‘મા જાણે બાપ અને આપ જાણે પાપ.’ પોતાને ખબર છે કે પોતે ક્યાં ઊભો છે ? છતાં ડોકું હલાવ્યા કરે. આની બહુ ભારે મીઠાશ છે. હિન્દુસ્તાનમાં પટાવાળા થવું કઠિન છે, પણ ભગવાન થવું બહુ સહેલું છે. પરમકૃપાળુ દેવના ત્રણ શબ્દો સ્વચ્છંદ, મત અને આગ્રહ છે. મતનો આગ્રહ પણ હોઈ શકે છે અને એ સિવાય બીજા ઘણાં આગ્રહો પણ હોઈ શકે છે. આગ્રહ એટલે પકડ, જીદ. બહુ મુશ્કેલી તો એ છે કે જીદ છૂટી શકતી નથી. કહેવત છે કે ‘ગદ્ધા પુચ્છ પકડ્યું તે પકડ્યું.' પછી ભલે ગધેડો લાત મારે અને પડી જાય, પણ છોડે તે બીજા. અરે ભલા, તું કેટલું ખોવા બેઠો છે? વિચાર તો કર. સ્વચ્છંદ, મત, આગ્રહ આ નેગેટીવ સાઈડ છે. સંપૂર્ણ છોડવાની વાત છે. સ્વચ્છંદને છોડો અને મતના આગ્રહને છોડો-પણ આ અધૂરી વાત છે. આ પચાસ ટકાથી વાત પૂરી નહિ થાય, આટલાથી કામ નહિ થાય. એક પોઝીટીવ વાત ઉમેરવી પડશે. ‘વર્તે સદ્ગુરુ લક્ષ’, વર્તે એટલે જીવે. વર્તવું એટલે જીવવું, તે પ્રમાણે ચાલવું. વર્તવું એટલે આચરવું, વર્તમાનમાં નિયમોનું પાલન કરવું. વર્તવું એટલે ચારિત્ર અથવા આચરણ. કેવી રીતે જીવવું? અત્યાર સુધીમાં તો મતના લક્ષે, સ્વચ્છંદના લક્ષે, ભોગના લક્ષે, આગ્રહના લક્ષે, ભૌતિકતાના લક્ષે, ધન, કંચન અને કામિનીના લક્ષે જીવ્યા. હવે જીવવું કેવી રીતે ? હવે સદ્ગુરુના લક્ષે જીવવું. આ નવીન તત્ત્વ ઉમેરાયું. આપણી નોંધપોથીમાં આની નોંધ ન હતી. પૈસો, મકાન, પત્ની, કુટુંબ, પરિવાર, વેવાઈ, સાળો, ધંધો, આવક, જાવક, કપડાંલત્તાં, શરીર, ઘર, દાગીનો, ખાવું, પીવું, કેટલું ગણાવું ? આ બધું તો હતું પણ એક તત્ત્વ ન હતું, સદ્ગુરુ ન હતાં. હવે સદ્ગુરુ ઉમેરાયા, તેથી ફટ દઈને મોક્ષના દરવાજા ખુલ્લા થઈ જશે, જરાય વાર નહિ લાગે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005521
Book TitleAtmasiddhishastra Part 01
Original Sutra AuthorShrimad Rajchandra
AuthorBhanuvijay
PublisherSatshrut Abhyas Vartul
Publication Year2011
Total Pages492
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy