SearchBrowseAboutContactDonate
Page Preview
Page 255
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦૪ પ્રવચન ક્રમાંક - ૧૮, ગાથા ક્રમાંક - ૧૭ - દુનિયામાં કોઈપણ માણસ એવો નથી કે જેને કોઈ મત ન હોય. નાસ્તિકનો ચાર્વાકનો પણ મત છે, અમે પુણ્ય પાપમાં માનતા નથી એ પણ મત છે. અમે માનીએ છીએ કે ખાના, પીના, રોના, સોના', એ પણ મત છે, અને આત્મા છે એ પણ મત છે. આત્મા નિત્ય છે, બ્રહ્મ છે, ઈશ્વર કર્યા છે, આત્મા અરૂપી કે રૂપી છે તે પણ મત છે. સત્ય તો અખંડ હોય. ખલીલ જીબ્રાન એમ કહેતા હતા કે તમે જ્યારે સત્યને શબ્દનાં અલંકાર પહેરાવો છો તે વખતે સત્ય, સત્ય મટી અસત્ય બની જાય છે. જ્યાં સુધી અનુભવ છે ત્યાં સુધી સત, જ્યાં સુધીમાં મૌન ત્યાં સુધીમાં સત, માટે જ જ્ઞાની પુરુષો બોલવા તૈયાર નથી. કથા એવી છે કે ભગવાન બુદ્ધને બુદ્ધત્વની પ્રાપ્તિ થઈ ત્યારે મૌન થઈ ગયા. બોલતાં જ નથી. આ ધરતી ઉપર બુદ્ધત્વનું ફૂલ ખીલ્યું, કમળ ખીલ્યું, એ બોલશે જ નહિ તો એમને એમ ધરતી ઉપરથી ખજાનો જતો રહેશે. દેવો નીચે આવ્યા. પ્રભુ! તમે બોલો. ભગવાન બુદ્ધ કહે છે કે હું બોલીશ અને તમે પામશો જ, એવું માનશો નહિ, અને જે પામવાના હશે તે હું નહિ બોલું તો પણ પામશે.” દેવોએ પ્રાર્થના કરી, તમારા નિમિત્તે જે પામવાના હશે તે તો પામશે. પછી ભગવાન બુદ્ધ બોલ્યાં. સત્યની અનુભૂતિ થાય તો તે મૌનમાં થાય, અનુભૂતિ નિર્વિકલ્પ અને નિર્વિચાર છે, અને જ્યારે જ્યારે એ અનુભૂતિ શબ્દોમાં ઢાળવામાં આવી ત્યારે મતો ઊભા થયાં અને મતનો આગ્રહ થયો. આ જીવ ત્યાં અટક્યો છે. આ જીવ મુનિ બન્યો, સંન્યાસી બન્યો, વિરક્ત બન્યો, સાધુ મહંત બન્યો પણ મતમાં અટક્યો. એક કહે છે ભગવા વસ્ત્ર વગર ન ચાલે, બીજો કહે છે કાળા વસ્ત્ર વગર ન ચાલે. આ આગ્રહ છે. તપ, જપ, વ્રત, અનુષ્ઠાન થઈ શકે, સંસારને લાત મારી શકાય, સંન્યાસી થઈ શકાય. નગ્ન-દિગંબર થઈ શકાય પણ મતનો આગ્રહ છૂટવો બહુ મુશ્કેલ છે. આ મતે આપણને સત્ય પાસે જતાં રોકી રાખ્યાં છે. તમે હિંમત કરશો તો ધન છોડી શકશો, સ્ત્રી છોડી શકશો, કુટુંબ, ઘર, શરીરને પણ તમે છોડી શકશો પણ મતને તમે નહિ છોડી શકો. જ્યાં સુધી તમારું જીવન મતના હાથમાં છે ત્યાં સુધી તમને સત્યની અનુભૂતિ નહીં થાય. સત્ય કઠિન નથી, સત્ય સરળ છે. સત્ય સુગમ છે. આગ્રહ પણ શેનો? મતનો, પણ મત ખંડિત છે, મત અંશ છે, અંશ અંશી નથી. પર્યાય પૂરું દ્રવ્ય નથી. ખંડ એ અખંડ નથી. ભલે ચંદ્રમાં બીજનો હોય પણ બીજનો ને? પૂર્ણિમાનો તો નહિ ને? ચંદ્રમાં ખીલ્યો છે. આપણે દર્શન કરવા જઈએ છીએ, એ વાત સાચી, પણ ચંદ્રમા છે બીજનો, અખંડ તો નહિ. શરદપૂર્ણિમાનો તો નહીં જ ને ? સત્ય એ શરદપૂર્ણિમાનો ચંદ્ર છે, અને મત તે બીજનો ચંદ્ર છે. મતનો આગ્રહ હશે ત્યાં સુધીમાં આપણે પકડાયેલા જ છીએ. માટે શબ્દ વાપર્યો મતાગ્રહ. બે ભેગાં મળ્યાં. એક સ્વચ્છંદ તો હતો અને સ્વચ્છંદને ટેકો આપવા માટે Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005521
Book TitleAtmasiddhishastra Part 01
Original Sutra AuthorShrimad Rajchandra
AuthorBhanuvijay
PublisherSatshrut Abhyas Vartul
Publication Year2011
Total Pages492
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy