SearchBrowseAboutContactDonate
Page Preview
Page 254
Loading...
Download File
Download File
Page Text
________________ આત્મસિદ્ધિશાસ્ત્ર પ્રવચનમાળા ૨૦૩ ખરેખર સમ્યગ્દર્શન છે. એ સમ્યગ્દર્શન થવામાં સ્થૂળ ભૂમિકા પર જે અનુકૂળ એવાં કારણો તેને કારણ સમક્તિ કહેવામાં આવે છે. કેમ ? નિર્વિકલ્પ શુદ્ધાત્માની અનુભૂતિ થવામાં તે કારણ છે. અચૂક કારણ છે. આનાથી સમ્યગ્દર્શન થાય જ. કારણ તેને કહેવાય કે જ્યારે તેનાથી, તેની હાજરીમાં કાર્ય થાય. તેના વિના શાસ્ત્રો તેને કારણ કહેતાં નથી. જ્યારે હસ્તમેળાપ થાય ત્યારે લગ્ન થયા કહેવાય. નિર્વિકલ્પ આત્માની અનુભૂતિ થાય તે કાર્ય અને એ કાર્યમાં અનિવાર્ય ટોટલ ફેક્ટર જે ભાગ ભજવે છે એને કહેવાય કારણ સમ્યક્ત્વ. કયું કારણ ? તો પ્રત્યક્ષ. આ પ્રત્યક્ષ કારણ છે. આ કારણ હોય તો સમ્યગ્દર્શન થાય જ. અનુભવ રસમેં રોગ ન શોકા, લોકવાદ સબ મેટા, કેવલ અચલ અનાદિ અબાધિત, શિવશંકરકા ભેટા, અવધૂ અનુભવ કલિકા જાગી, મતિ મેરી આતમ સમરન લાગી. હવે તો નિરંતર આત્માનું સ્મરણ થવા લાગ્યું. ગોપીઓ કહે છે “નહિ રે વિસારું હરિ, અંતરમાંથી નહિ રે વિસારું.' હવે ભૂલી શકાય જ નહિ. કારણ તારા સિવાય બીજું કોઈ રહ્યું નથી. જે કંઈ છે તે તું છે. આવી શુદ્ધ આત્માની અનુભૂતિ ક્યારે થાય ? ‘સ્વચ્છંદ મત આગ્રહ તજી’, અહીં પહેલો શબ્દ સ્વચ્છંદ આપ્યો પણ તે અધૂરો પડ્યો. તેથી સ્વચ્છંદ શબ્દની જોડે એક નવો શબ્દ મૂક્યો તે છે ‘મતનો આગ્રહ.’ પરમકૃપાળુ દેવ વારંવાર મતાગ્રહની વાત કરતાં આવ્યા છે અને એમણે એમ કહ્યું છે કે અમારો કોઈ મત નથી. વીતરાગ પરમાત્માનો અભિપ્રાય એ જ અમારો મત, અને એ જ અમારો અભિપ્રાય છે, અમારો કોઈ સ્વતંત્ર મત હોઈ શકે નહિ. મત સ્થાપવાની વાત જ નહિ. અમે છીએ જ નહિ. અમે વીતરાગ પુરુષના ચરણના દાસ છીએ. આવી જેમણે ઉદ્ઘોષણા કરી તેઓ કહે છે કે મત સતથી જુદો પડે છે. મત એ છાંટો છે પણ એ છાંટો સત્ય નથી. મત એ અગ્નિનો તણખો છે. અગ્નિ જ કામ કરી શકશે, તણખો કામ ન કરી શકે. એમ આ મત તે છાંટો કે તણખો છે, સત્ય તો નથી જ. સત અને મત બંને વચ્ચે ફરક છે. મત અધૂરો છે, મત ખંડિત છે, મત, અભિપ્રાય, માન્યતા અધૂરા જ્ઞાનનું પરિણામ છે. મત પોતાની સ્વીકૃતિ છે. સત્ ટોટલ વ્યક્તિત્વ છે. સત્ય સમગ્રતામાં છે, સત અખંડ છે, સત્યના કટકા થઈ શકે નહિ. સાહેબ ! કટકા થયા તેને કહેવાય છે મત. આ જીવ અહીં સુધી આવે છે. મત સુધી આવે છે, પણ મતની હદ કુદાવીને પેલી પાર જો ન જાય તો સત્યના દર્શન ન થાય. જીવ મતની બાઉન્ડ્રી કુદાવી શકતો નથી. ક્રિકેટના મેદાનમાં બાઉન્ડ્રી કુદાવે છે પણ જીવનના ક્ષેત્રમાં મતની બાઉન્ડ્રી કુદાવતો નથી. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005521
Book TitleAtmasiddhishastra Part 01
Original Sutra AuthorShrimad Rajchandra
AuthorBhanuvijay
PublisherSatshrut Abhyas Vartul
Publication Year2011
Total Pages492
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy