SearchBrowseAboutContactDonate
Page Preview
Page 253
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦૨ - પ્રવચન ક્રમાંક - ૧૮, ગાથા ક્રમાંક - ૧૭ અનુભૂતિ, આ સંપૂર્ણ આંતરિક ઘટના છે. આનંદધનજીએ કહ્યું, આલંબન સાધન જે ત્યાગે, પરપરિણતિને ભાગે. અહીં બધા આલંબનો છૂટી ગયા, બધા સાધનો, વિચારો છૂટી ગયા. શાસ્ત્રો પણ છૂટી ગયા અને બધા ભાવો પણ છૂટી ગયા. માત્ર બાકી રહ્યો શુદ્ધાત્મા. હવે અમે એનો અનુભવ કરી રહ્યા છીએ અને એમાંથી આનંદની છોળો ઊછળે છે. પ્રવાહ અંદરથી વહેતો થાય છે. શુદ્ધ બુદ્ધ ચૈતન્યઘન, સ્વયં જ્યોતિ સુખધામ, બીજું કહીએ કેટલું, કર વિચાર તો પામ. એવી એક શુદ્ધ ચૈતન્યની અનુભૂતિ થાય છે, અને “વૃત્તિ વહી નિજ ભાવમાં પરમાર્થે સમક્તિ'' બહારમાં ફરતી વૃત્તિ જે બહાર દોડતી હતી તે પાછી વળી અને સ્વરૂપમાં ગઈ અને સ્વરૂપમાં ઠરી એવી શુદ્ધાત્માની અનુભૂતિ, નિર્વિકલ્પ અનુભૂતિ અને જ્ઞાનીઓ નિશ્ચય સમ્યગદર્શન કહે છે. આ ટોટલ આંતરિક ઘટના વર્ણવી શકાતી નથી, કહી શકાતી નથી. જિનહી પાયા તિનહી છિપાયા, ન કહે કોઉકે કાનમેં; તાલી લાગી જબ અનુભવકી, તબ જાને કોઉ સાનમેં, હમ મગન ભયે પ્રભુ ધ્યાનમેં. જેને મળ્યું તે તેણે છુપાવ્યું. જ્ઞાની પુરુષી છિપાવે છે કારણ કે તેઓ જાણે છે કે હજુ જોખમ છે. આજુબાજુમાં ચોરો ફરી રહ્યા છે. લુંટી લે તેવા છે, અત્યારે બહુ જાહેરાત કરવા જેવી નથી. કાનમાં પણ કહેતા નથી. એવી આંતરિક, ગુપ્ત અને અલૌકિક ઘટના ઘટે છે. તે ક્યારે સમજાશે? જ્યારે તાર સંધાશે, અંદરમાં તન્મયતા આવશે ત્યારે એ સાનમાં સમજી જશે. એને કહેવું નહિ પડે. આવી એક અવસ્થાને જ્ઞાનીઓ નિશ્ચય સમ્યગદર્શન કહે છે. આવું નિશ્ચય સમ્યગ્ગદર્શન પ્રાપ્ત કરવા માટે અનુકૂળ કારણો જોઈએ ને? તેને કહેવાય છે કારણ સમક્તિ. એક કારણ સમક્તિ અને એક કાર્ય સમક્તિ. શુદ્ધ આત્માની નિર્વિકલ્પ અનુભૂતિ તે કાર્ય સમક્તિ, અને શુદ્ધ આત્માની અનુભૂતિ થવામાં જે મહત્ત્વના ને ચોક્કસ કારણો તેને કહેવાય છે કારણ સમક્તિ. ઉપાદાન આતમ સહિ રે, પુષ્ટાલંબન દેવ, ઉપાદાન કારણપણે રે પ્રગટ કરે પ્રભુ સેવ; જિનવર પૂજો, પૂજો રે ભાવિક જન પૂજો, પ્રભુ પૂજ્યા પરમાનંદ. (દેવચંદ્રજી મહારાજ) આવું સમ્યગ્ગદર્શન પ્રાપ્ત થવામાં જે પરિબળો કામ કરે છે એને પરમકૃપાળુ દેવ કારણ સમ્યક્ત્વ કહે છે. દર્શનમોહનો ઉપશમ થતાં જે નિર્વિકલ્પ શુદ્ધ આત્માની અનુભૂતિ થાય તે Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005521
Book TitleAtmasiddhishastra Part 01
Original Sutra AuthorShrimad Rajchandra
AuthorBhanuvijay
PublisherSatshrut Abhyas Vartul
Publication Year2011
Total Pages492
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy