SearchBrowseAboutContactDonate
Page Preview
Page 246
Loading...
Download File
Download File
Page Text
________________ આત્મસિદ્ધિશાસ્ત્ર પ્રવચનમાળા અન્ય ઉપાય કર્યા થકી, પ્રાયે બમણો થાય. ૧૬ ટીકા : પ્રત્યક્ષ સદ્ગુરુના યોગથી તે સ્વચ્છંદ રોકાય છે, બાકી પોતાની ઈચ્છાએ બીજા ઘણાં ઉપાય કર્યા છતાં ઘણું કરીને તે બમણો થાય છે. (૧૬) બહુ સીધી વાત છે. સ્વચ્છંદના ગમે તેટલાં પ્રકાર હોય, ઇચ્છાઓના ગમે તેટલા પ્રકાર હોય, ડહાપણનાં ગમે તેટલા પ્રકાર હોય અને આત્મા ઉપર અજ્ઞાન અને વૃત્તિઓની સત્તા હોય, કષાયો અને મોહની સત્તા હોય, સાથે સાથે અહંકારની પણ સત્તા હોય અને ડહાપણની કે ઇચ્છાની સત્તા હોય તે બધાને ટાળનાર, રોકનાર સાધન એક જ છે, “પ્રત્યક્ષ સદ્ગુરુ યોગ.” પ્રાપ્તિ નહિ પણ યોગ શબ્દ વાપર્યો. સદ્ગુરુ મળ્યાં એમની પાસે ગયાં, બેઠાં, એમનાં પ્રવચનો સાંભળ્યાં અને સત્સંગ કર્યો. હા કહી, સારું થયું. સાંભળનારે પ્રમાણપત્ર પણ આપ્યું. મહારાજ સારું બોલે છે, ઠીક કહે છે, મઝા આવે છે, આનંદ આવે છે. શાસ્ત્રો કહે કે સદ્ગુરુ તો મળ્યા પણ યોગ ન થયો. મળવું એક વાત અને યોગ થવો બીજી વાત. યોગ એટલે માત્ર પ્રાપ્તિ નહીં પણ સદ્ગુરુની ચેતના સાથે પોતાની ચેતનાનું અનુસંધાન, જોડાણ. એને કહેવાય છે યોગ. ૧૯૫ સદ્ગુરુની ચેતના સાથે આપણી ચેતના મળી જવી. તમારી પરિભાષામાં કહેવું હોય તો ટ્યુનીંગ થઈ જવું. સદ્ગુરુની સાથે આપણું ટ્યુનીંગ થઈ જવું જોઈએ. પાસે ગયા, બેઠાં, વાતો કરી પણ હજુ ટ્યુનીંગ થયું નથી. જ્યાં સુધી ટ્યુનીંગ ન થાય, ત્યાં સુધી યોગ થયો ન કહેવાય. યોગ થવો એટલે ચિત્તમાં અનુસંધાન થવું. યોગ થવો એટલે લય સાધવો, યોગ થવો એટલે ટ્યુનીંગ સાધવું. કોની સાથે ? સદ્ગુરુ સાથે. ઘણી વખત પૂછીએ છીએ કે બાપ દીકરા વચ્ચે કેમ ચાલે છે ? ટ્યુનીંગ નથી. દીકરો જુદું કહે છે, બાપ જુદું કહે છે. કંઈ મેળ પડતો નથી. એ બાપ-દીકરો છે. અહીં ગુરુ શિષ્ય છે પણ ટ્યુનીંગ નથી, અને ટ્યુનીંગ ન હોવાના કારણે સદ્ગુરુ પાસેથી જે ચેતનાનો પ્રવાહ અંદર દાખલ થવો જોઈએ તે પ્રવાહ અંદર દાખલ થઈ શકતો નથી. પ્રવાહ દાખલ થવો તે આધ્યાત્મિક ઘટના છે. સદ્ગુરુની ચેતનામાંથી જે કંપનો, જે ભાવો, જે ઉલ્લાસ આવે છે, તે તમામ ભાવો શિષ્યમાં દાખલ થાય ક્યારે ? ટ્યુનીંગ હોય ત્યારે. આવું ટ્યુનીંગ એને કહેવાય છે યોગ. આવો યોગ જો પ્રાપ્ત થાય તો સ્વચ્છંદ રોકાય. સ્વચ્છંદ રોકનાર પરિબળ માત્ર સદ્ગુરુ સાથેનું ટ્યુનીંગ છે. હવે શંકા કરે છે. ઠીક છે આ ઉપાય. પણ સ્વાધ્યાય કે તપ કરીએ તો કેમ ? મંદિરમાં જઈએ તો કેમ ? પૂજાપાઠ કરીએ તો કેમ ? આમાંથી બતાવોને કયું સાધન કરીએ ? Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005521
Book TitleAtmasiddhishastra Part 01
Original Sutra AuthorShrimad Rajchandra
AuthorBhanuvijay
PublisherSatshrut Abhyas Vartul
Publication Year2011
Total Pages492
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy