SearchBrowseAboutContactDonate
Page Preview
Page 245
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯૪ પ્રવચન ક્રમાંક - ૧૭, ગાથા ક્રમાંક - ૧૫ પ્રકારે સાધનાની શરૂઆત થશે. સ્વચ્છંદ રોકાય પછી દર્શન સમ્યક્, જ્ઞાન સમ્યક્, ચારિત્ર સમ્યક્, વ્રત, તપ અને ક્રિયાઓ સમ્યક્, ભક્તિ અને ધ્યાન સમ્યક્, યોગ સમ્યક્, અને સમજ પણ સમ્યક્, સાચી, તથ્ય બને છે. તમે સ્વચ્છંદ રોકયો એ જ મોક્ષનો માર્ગ છે. અને તીર્થંકર આદિ દેવોએ નિઃસ્વાર્થપણે એ જ વાત કરી છે. સવાલ એ છે કે સ્વચ્છંદ આટલો બળવાન અને આટલો જબરો છે, અનંતકાળથી આપણને પજવી રહ્યો છે, અને આપણું બધું નિષ્ફળ બનાવી રહ્યો છે, તો તેને કેમ રોકવો ? ખેતરમાં અનાજ બરાબર તૈયાર થાય, લીલુંછમ ઘાસ તૈયાર થાય અને રાતના ટાઈમે બે ત્રણ પાડાઓ પેસી જાય તો સવાર થતાં થતાં બધું સફાચટ તેમ આપણા સાધનાના ખેતરમાં અનંતકાળથી કેટલાયે પાડાં પેઠાં છે અને બધું સફાચટ કરી જાય છે. ‘આદર્યું આચરણ લોક ઉપચારથી, શાસ્ત્ર અભ્યાસ પણ કાંઈ કીધો.’ દેવચંદ્રજી મહારાજે કહ્યું, અમે આચરણ કે સાધના નથી કરી એમ નહિ, અમે શાસ્ત્રોનો અભ્યાસ પણ કર્યો છે, તો શું બાકી રહી ગયું ? ‘શુદ્ધ શ્રદ્ધાન વળી આત્મ અવલંબન વિનુ’, શુદ્ધ શ્રદ્ધા વિના અને આત્માના અવલંબન વગર જેવું કાર્ય થવું જોઈએ તેવું કાર્ય જીવનમાં થઈ શક્યું નથી. અંદ૨માં શાંતિથી વિચારજો. આપણે સાધના કરીએ છીએ છતાં સરળતા કેમ આવતી નથી ? રાગદ્વેષ કેમ જતાં નથી ? મોહ કેમ જતો નથી ? અજ્ઞાનની ધારા કેમ તૂટતી નથી ? આ વિચારતાં એમ ખ્યાલ આવશે કે આપણી સાધના એળે ન જાય તેની કાળજી આપણે લીધી નથી અને એ કાળજી જો આપણે લઈએ તો આપણું કાર્ય સરળતાપૂર્વક પરિપૂર્ણ કરી શકીએ. તો સ્વચ્છંદ કઈ રીતે રોકાય ? શું ઉપાય છે ? કયું બળવાન સાધન જોઈએ ? જેટલો રોગ બળવાન, તેટલી દવા પણ બળવાન. જેટલો ખાડો ઊંડો, પૂરણ પણ તેટલું જ ઊંડું કરવું પડશે. અવરોધ જેટલો બળવાન તેટલો અવરોધ તોડનાર પરિબળ પણ બળવાન હોવું જોઈએ. કોના આધારથી, કોની સહાય અને કોની કૃપાથી ? કોનો હાથ પકડીએ તો સ્વચ્છંદ રોકાય ? સ્વચ્છંદ રોકવા માટે શાસ્ત્ર વાંચવું કે માળા ગણવી ? પૂજાપાઠ કરવા કે કોઈ શાસ્ત્રો કંઠસ્થ કરવાં ? કોઈ તીર્થયાત્રા કરવી ? પાલીતાણ જઈ આવવું? કરવું શું? તે કહો. આ સ્વચ્છંદ શું કરવાથી રોકાય, અને પરમકૃપાળુ દેવ સ્પષ્ટ શબ્દોમાં કહે છે : પ્રત્યક્ષ સદ્ગુરુ યોગથી, સ્વચ્છંદ તે રોકાય, Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005521
Book TitleAtmasiddhishastra Part 01
Original Sutra AuthorShrimad Rajchandra
AuthorBhanuvijay
PublisherSatshrut Abhyas Vartul
Publication Year2011
Total Pages492
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy